AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips : વધુ પડતું મીઠાનું સેવન તમને વહેલા ઘરડા પણ બનાવી શકે છે, જાણો વધુ માહિતી

સામાન્ય માત્રામાં તેનું સેવન કરવું સંપૂર્ણપણે સલામત છે અને તે સ્વાસ્થ્ય માટે પણ જરૂરી છે. શરીરમાં પાણીનું સંતુલન જાળવવા માટે મીઠું જરૂરી છે અને તેની ઉણપથી સ્નાયુઓમાં દુખાવો અને ખેંચાણ, માનસિક સમસ્યાઓ જેવી કે તણાવ અને હતાશા વગેરે થાય છે.

Health Tips : વધુ પડતું મીઠાનું સેવન તમને વહેલા ઘરડા પણ બનાવી શકે છે, જાણો વધુ માહિતી
Too much salt intake can make you grow old too early(Symbolic Image )
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 10, 2022 | 8:36 AM
Share

મીઠું (Salt ) આપણા આહારનું (food )અભિન્ન અંગ છે અને તેના વિના આહારની કલ્પના પણ કરી શકાતી નથી. એવું માનવામાં આવે છે કે પહેલા લોકો મીઠાઈઓ (Sweets ) વધુ ખાતા હતા, પરંતુ હવે લોકો મોટાભાગે મીઠાયુક્ત ખોરાક ખાય છે. ખાસ કરીને આપણા દેશમાં મીઠા વગર લોકોનું પેટ ભરતું નથી અને આ જ કારણ છે કે બહાર મળતા મોટાભાગના સ્પાઈસી ફૂડ પણ મીઠુંવાળા હોય છે.

જો કે મીઠું આપણા શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, તે ઘણા સ્વાસ્થ્ય લાભો આપે છે અને આપણું પાચનતંત્ર પણ ઝડપી બને છે. પરંતુ શું તમે જાણો છો કે વધુ પડતું મીઠું ખાવાથી તમને બ્લડ પ્રેશર અને સોજો જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓ જ નથી થતી, પરંતુ તે ઝડપથી વૃદ્ધત્વના લક્ષણો પણ લાવે છે.

ઉપરાંત, શરીરમાં સોડિયમની વધુ માત્રા હોવાને કારણે શરીરને ઘણા ગંભીર નુકસાન પણ થઈ શકે છે. જો તમને પણ વધુ મીઠું ખાવાની આદત હોય તો તમારે આ લેખ જરૂર વાંચવો. આ લેખમાં વધુ પડતા મીઠાને કારણે થતી સમસ્યાઓ અને તેનો સામનો કરવાની યોગ્ય રીતો વિશે જણાવવામાં આવ્યું છે.

વધુ મીઠાનું સેવન વહેલું વૃદ્ધત્વ લાવી શકે છે

જો તમે પણ યુવાન અને સ્વસ્થ રહેવા માંગતા હો, તો તમને સલાહ આપવામાં આવે છે કે તમે નિયંત્રિત માત્રામાં મીઠાનો ઉપયોગ કરો. વધુ પડતા મીઠાનું સેવન કરવાથી લોહીની ગુણવત્તા પર અસર થાય છે અને આંખની સમસ્યા પણ થાય છે. તેમજ જે લોકો વધુ મીઠું ખાય છે તેમને પણ વાળ ખરવાની સમસ્યા રહે છે અને આ બધા લક્ષણો તમને વૃદ્ધાવસ્થા તરફ લઈ જાય છે.

જે લોકોએ મીઠું ઓછું ખાવું જોઈએ

વ્યક્તિના સ્વાસ્થ્ય પ્રમાણે મીઠાની માત્રા પણ બદલાઈ શકે છે. જોકે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) અનુસાર, તંદુરસ્ત વ્યક્તિએ દરરોજ 5 ગ્રામથી વધુ મીઠું ન લેવું જોઈએ અને આમ કરવાથી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. જો કે, જે લોકોને હાઈ બ્લડ પ્રેશર અથવા અન્ય કોઈ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા છે, તેઓએ યોગ્ય માત્રામાં મીઠું લેવા વિશે ડૉક્ટર સાથે વાત કરવી જોઈએ.

કઈ પરિસ્થિતિઓમાં તમારે મીઠું ઓછું ખાવું જોઈએ?

જે લોકોને શરીરના કોઈપણ ભાગમાં બળતરા હોય છે, તેમના માટે વધુ પડતું મીઠું ખાવું નુકસાનકારક હોઈ શકે છે. ઉપરાંત, હાઈ બીપીથી પીડિત લોકોને સામાન્ય કરતાં ઓછું મીઠું ખાવાની સલાહ આપવામાં આવે છે, નહીં તો તેમનું સ્વાસ્થ્ય ગંભીર રીતે બગડી શકે છે. જો તમને વધુ તાવ આવતો હોય તો પણ થોડા દિવસો સુધી મીઠાનું સેવન ઓછું કરવું જોઈએ.

મીઠું સ્વાસ્થ્ય માટે જરૂરી છે

જો કે, મીઠું ત્યારે જ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે જ્યારે તેનું વધુ પડતું સેવન કરવામાં આવે. તે જ સમયે, સામાન્ય માત્રામાં તેનું સેવન કરવું સંપૂર્ણપણે સલામત છે અને તે સ્વાસ્થ્ય માટે પણ જરૂરી છે. શરીરમાં પાણીનું સંતુલન જાળવવા માટે મીઠું જરૂરી છે અને તેની ઉણપથી સ્નાયુઓમાં દુખાવો અને ખેંચાણ, માનસિક સમસ્યાઓ જેવી કે તણાવ અને હતાશા વગેરે થાય છે. તેમજ જો શરીરમાં મીઠાની ઉણપ હોય તો કોલેસ્ટ્રોલનું સ્તર વધી શકે છે.

(નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી)

આ પણ વાંચો :

Constipation Remedies : જો તમે કબજિયાતની સમસ્યાથી પરેશાન છો, તો આ ખોરાકથી મળશે તરત રાહત

Chanakya Niti :કાર્યસ્થળે માન-સન્માન જાળવવા માટે યાદ રાખો આચાર્ય ચાણક્યની આ વાતો

જીવનસાથી સાથે શોપિંગ કરવાની મજા આવશે, કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખો
જીવનસાથી સાથે શોપિંગ કરવાની મજા આવશે, કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખો
BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો
ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
ત્યજી દેવાયેલી દીકરીને સુરત પોલીસે અપનાવી, કર્યું નામકરણ
ત્યજી દેવાયેલી દીકરીને સુરત પોલીસે અપનાવી, કર્યું નામકરણ
ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર - જુઓ Video
ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર - જુઓ Video
નીતિન પટેલે ગઝનીની સરખામણી કુતરા સાથે કરી- જુઓ Video
નીતિન પટેલે ગઝનીની સરખામણી કુતરા સાથે કરી- જુઓ Video
સ્વર્ગસ્થ ફિલ્મ અભિનેત્રી પરવીન બાબીનો જૂનાગઢમાં આવેલ મહેલ તોડી પડાયો!
સ્વર્ગસ્થ ફિલ્મ અભિનેત્રી પરવીન બાબીનો જૂનાગઢમાં આવેલ મહેલ તોડી પડાયો!
Breaking News: કાઈટ ફેસ્ટીવલમાં વડાપ્રધાન મોદી બન્યા પતંગબાજ
Breaking News: કાઈટ ફેસ્ટીવલમાં વડાપ્રધાન મોદી બન્યા પતંગબાજ
g clip-path="url(#clip0_868_265)">