AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips : ડેન્ગ્યુ તાવથી બચવા માટે આ વસ્તુઓ ખોરાકમાં સામેલ કરો, પ્લેટલેટ્સ વધારવામાં કરશે મદદ

વરસાદની ઋતુમાં ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા મચ્છરોથી પોતાને બચાવવા માટે આ ટિપ્સ અનુસરો. આ સાથે, તમારા આહાર પર પણ વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. ખોરાકમાં આ વસ્તુઓનો સમાવેશ કરવાથી પ્લેટલેટ્સ વધે છે.

Health Tips : ડેન્ગ્યુ તાવથી બચવા માટે આ વસ્તુઓ ખોરાકમાં સામેલ કરો, પ્લેટલેટ્સ વધારવામાં કરશે મદદ
Health Tips for Dengue
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 13, 2021 | 1:51 PM
Share

Health Tips : દર વર્ષે વરસાદની ઋતુની શરૂઆત સાથે ડેન્ગ્યુ, મેલેરિયા (Malaria)અને ચિકનગુનિયા (Chikungunya) ફેલાય છે અને મચ્છરો (Mosquitoes) આતંક મચાવે છે. આ ઋતુમાં મચ્છરોને કારણે થતો તાવ શરીરને સંપૂર્ણ રીતે તોડી નાખે છે. ખાસ વાત એ છે કે, ડેન્ગ્યુના મચ્છર સ્વચ્છ પાણીમાં ઉછરે છે. તાવ, શરીરમાં દુખાવો વગેરેની સમસ્યા છે. જેમાં, લોહી (Blood)માં હાજર પ્લેટલેટ્સ ખૂબ ઝડપથી ઘટવા લાગે છે.

આ સ્થિતિમાં જો ડેન્ગ્યુના દર્દીઓ યોગ્ય આહાર ન લે તો આ રોગ જીવલેણ બની શકે છે. યોગ્ય માત્રામાં પૌષ્ટિક આહાર (Nutritious Diet) લેવાથી આ રોગ મટી શકે છે. જોકે ડેન્ગ્યુ તાવ શરીરને સંપૂર્ણપણે નબળું પાડે છે. તમને જણાવી દઈએ કે, ડેન્ગ્યુ તાવમાં કઈ વસ્તુઓના સેવનને કારણે પ્લેટલેટ્સ (Platelets) વધવા લાગે છે.

પપૈયાના પાનનો રસ

સૌથી પહેલા પપૈયા (Papaya)ના પાનને સારી રીતે ધોઈ લો અને તેને બારીક કાપી લો. આ પછી, મધ્યમ કદના પપૈયા લો અને તેને બારીક કાપી લો. હવે તેમાં લીંબુનો રસ અને અડધો કપ નારંગી ઉમેરો. આ બધી વસ્તુઓમાં થોડું પાણી ઉમેરીને રસ તૈયાર કરો. આ રસ હંમેશા તાજો પીવો.

નાળિયેર પાણી

નાળિયેર પાણી (Coconut water) સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે, તેનાથી શરીર હાઇડ્રેટેડ રહે છે. તેમાં ઘણા પ્રકારના પોષક તત્વો હોય છે. ડેન્ગ્યુ તાવમાં કંઈ ખાવા કે પીવાનું મન થતું નથી. નારિયેળ પાણી આ સમસ્યાઓ સામે રક્ષણ કરવામાં મદદ કરે છે.

દાડમનો રસ

શરીરમાં લોહી વધારવા માટે દાડમ (Pomegranate)નો રસ પીવો જોઈએ. દાડમમાં કુદરતી રીતે ખનીજ હોય ​​છે જે શરીરને ઉર્જા આપવાનું કામ કરે છે. તેમાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે જે પ્લેટલેટ્સ વધારવામાં મદદ કરે છે.

ડેન્ગ્યુ અને મેલેરિયા મચ્છરને આ રીતે અટકાવો

1. કચરાનો યોગ્ય રીતે નિકાલ કરો. કોઈ પણ પ્રકારના વાસણમાં પાણીને વધુ સમય રાખો નહિ. જેમાં ડેન્ગ્યુ-મેલેરિયા મચ્છરોનું સંવર્ધન શરૂ થાય છે.

2. તમારા બગીચા અથવા ટેરેસમાં તમામ કન્ટેનર અથવા ખાલી પોટ્સ ઢાંકી દો, તમે તેને ઉલટું પણ રાખી શકો છો. આ સિવાય પાણીના વાસણો પણ સાફ રાખો.

3. ઘરની બહાર નીકળતી વખતે ફુલ સ્લીવના કપડાં પહેરો જેથી મચ્છરોનો સંપર્ક ઓછો થાય.

4. મચ્છરોથી બચવા માટે સ્પ્રે, ક્રિમ અને જાળીનો ઉપયોગ કરો. જો તમે બહાર સૂતા હોય તો મચ્છરદાનીનો ઉપયોગ કરો.

5. સાંજના સમયે દરવાજા અને બારીઓ બંધ કરો.

6. બિનજરૂરી રીતે ફરવાનું ટાળો. આમ કરવાથી તમે ડેન્ગ્યુનું જોખમ ઘટાડી શકો છો.

(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

આ પણ વાંચો : T20 world cup પછી વિરાટ કોહલી કેપ્ટનશિપ છોડશે, રોહિત શર્મા ટીમ ઇન્ડિયાની કમાન સંભાળી શકે છે

Follow Us
સાત જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ: ખેડૂતોને મોટી રાહત, જુઓ Video
સાત જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ: ખેડૂતોને મોટી રાહત, જુઓ Video
વડોદરામાં વરસાદ પહેલા ડ્રેનેજ પાઈપલાઈન નાખવાનો પ્રોજેક્ટ લટકી પડ્યો
વડોદરામાં વરસાદ પહેલા ડ્રેનેજ પાઈપલાઈન નાખવાનો પ્રોજેક્ટ લટકી પડ્યો
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી
ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી
તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર
તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર
Rajkot: રાજકોટમા ધોરાજીમાં સ્મશાનના નવિનીકરણમાં ભ્રષ્ટાચારના આરોપ
Rajkot: રાજકોટમા ધોરાજીમાં સ્મશાનના નવિનીકરણમાં ભ્રષ્ટાચારના આરોપ
ભાવનગરમાં જોખમી મકાનોને કરાશે ધ્વસ્ત, ગરીબ વસાહતીઓની પુનર્વસનની માગ
ભાવનગરમાં જોખમી મકાનોને કરાશે ધ્વસ્ત, ગરીબ વસાહતીઓની પુનર્વસનની માગ
g clip-path="url(#clip0_868_265)">