Bad Habits : રોટલી જમ્યા બાદ ના કરો આ ભૂલો, આવી આદતો આપશે બીમારીઓને આમંત્રણ

શું તમે જાણો છો કે રોટલી ખાધા પછી તરત જ પાણી પીવું આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. તેની સીધી અસર આપણી પાચક સિસ્ટમ પર પડે છે. જમ્યા પછી કોલ્ડ ડ્રિંક્સ, દૂધ પણ ન પીવો.

Bad Habits : રોટલી જમ્યા બાદ ના કરો આ ભૂલો, આવી આદતો આપશે બીમારીઓને આમંત્રણ
Do not do this things or drink these items after a meal
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 23, 2021 | 7:09 PM

આપણા સારા સ્વાસ્થ્ય માટે પોષક આહાર ખૂબ જ મહત્વપૂર્ણ છે. પોષક આહાર ખાવાથી આપણે રોગોથી બચી શકીએ છીએ. ઘણી વાર વડીલો પાસેથી પણ સાંભળ્યું છે કે જમવાના સમયે આપણે વધારે વાતો ન કરવી જોઈએ. પરંતુ ભાગ્યે જ કોઈ આ વાતો પર વિશ્વાસ કરે છે. જોકે મજાકમાં ગણવામાં આવતી આ બાબતો આપણા સ્વાસ્થ્યને ખુબ અસર કરે છે.

આપણું શરીર 75 ટકા પાણીથી બનેલું છે. તેથી દરરોજ 5 થી 7 લિટર પાણી પીવું જોઈએ. પરંતુ શું તમે જાણો છો કે રોટલી ખાધા પછી તરત જ પાણી પીવું આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે? તેની સીધી અસર આપણી પાચકશક્તિ પર પડે છે. જો તમે પાણી, કોલ્ડ ડ્રિંક્સ અથવા દૂધ ખોરાક અથવા ગરમ રોટલી સાથે પીતા હોવ તો તે તમારા પાચન માટે આ યોગ્ય નથી.

આને કારણે પેટમાં હાજર પાચક ઉત્સેચકો યોગ્ય રીતે કામ કરતા નથી અને જેથી તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે. તબીબી વિજ્ઞાન કહે છે કે ખોરાકમાં હાજર પ્રોટીન અને પોષક તત્વોને થોડા સમય એમ જ રાખવા જોઈએ. એટલે કે તેના પર પાણી કે કંઈ પીવું જોઈએ નહીં.

WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video

ખાધા પછી કોફી-ચા ના પીશો

કોઈએ ખાધા પછી તરત જ ચા અને કોફી ન પીવી જોઈએ. નિષ્ણાતોના મતે ચા-કોફીનું સેવન ભોજન પહેલાં અથવા પછી એક કલાક માટે ન કરવું જોઈએ. તેમાં હાજર ટેનીન રાસાયણિક આયર્નને શોષી લે છે, જેનાથી શરીરમાં આયનની ઉણપ થઈ શકે છે. અને તમે એનિમિયાનો ભોગ બની શકો છો.

ભૂલથી પણ ના પીવો સિગારેટ

ઘણા લોકોને ઘણી બધી સિગારેટ પીવાની ટેવ હોય છે. દરેક વ્યક્તિ જાણે છે કે સિગરેટ આપણા શરીર માટે હાનિકારક છે, પરંતુ શું તમે જાણો છો કે ખાધા પછી તરત જ સિગારેટ પીવાથી તમારા શરીરને 10 સિગારેટ પીવા બરાબર નુકસાન થાય છે. જો તમે પણ ખાધા પછી સિગારેટ પીતા હોવ તો આજે આ ટેવ બદલો.

ખાધા પછી નહાવાનું ટાળો

માત્ર આયુર્વેદ જ નહીં, તબીબી વિજ્ઞાન પણ માને છે કે ખોરાક ખાધા પછી તરત જ સ્નાન ન કરવું જોઈએ. નહાવાથી તમારા શરીરનું તાપમાન ખૂબ ઓછું થાય છે, જે તમારા લોહીના પરિભ્રમણને અસર કરે છે.

આ પણ વાંચો: Health Tips : મેથીના દાણા જ નહીં પરંતુ મેથીનું પાણી પણ સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Latest News Updates

APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
g clip-path="url(#clip0_868_265)">