Health Tips : મેથીના દાણા જ નહીં પરંતુ મેથીનું પાણી પણ સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

મેથીના દાણામાં વિટામિન અને મિનરલ ભરપૂર હોય છે. તે ફક્ત આપણા આહારનો સ્વાદ જ વધારતા નથી પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.

Health Tips :  મેથીના દાણા જ નહીં પરંતુ મેથીનું પાણી પણ સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક
મેથીનું પાણી સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 22, 2021 | 8:48 PM

મેથીના (Fenugreek) દાણાનો ઉપયોગ સામાન્ય રીતે ખાવામાં કરવામાં આવે છે. આપણા ખોરાકમાં સ્વાદ વધારવા સિવાય મેથીના દાણા આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. મેથીના દાણામાં વિટામિન અને મિનરલ ભરપૂર હોય છે. મેથીના દાણા તમારી ત્વચા અને વાળ માટે ફાયદાકારક છે. કરી અને શાક સિવાય તમે મેથીનું પાણી (Fenugreek Seeds Water )પણ પી શકો છો. આવો જાણીએ મેથીના પાણીના ફાયદા શું છે અને તેને કેવી રીતે બનાવી શકાય.

મેથીનું પાણી તૈયાર કરવાની રીત :

એક પેનમાં મેથી નાખીને શેકી લો. આ બાદ થોડો સમય માટે થનાડુ થવા દો. હવે આ દાણાને મિક્સરમાં નાખીને જીણો ભૂકો કરી લો. એક ગ્લાસ ગરમ પાણીમાં 1 ચમચી મેથીનો પાઉડર નાખો અને મિક્સ કરો. આ રીતે મેથીનું પાણી તૈયાર કરી શકાય છે. મહત્તમ ફાયદાઓ મેળવવા માટે તમે તેને સવારે પી શકો છો.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

મેથીના પાણી પીવાના ફાયદા

મેથીનું પાણી પીવાથી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. મેથીમાં ફાઈબર ભરપૂર હોય છે. આનાથી તમે લાંબા સમય સુધી પેટ ભરેલુ હોય તેવું મહેસુસ થાય છે. મેથીનું પાણી વજન નિયંત્રણમાં મદદ કરી શકે છે. જયારે તમે વધુ કેલરી ખાતા નથી. આ સ્થિતિમાં, તમે અનિચ્છનીય નાસ્તા પણ ખાતા નથી. તેથી તે વજન વધારાને અટકાવવા માટે મદદ કરે છે.

મેથીના દાણામાં પોષક તત્વો હોય છે જે વાળના વિકાસમાં મદદ કરે છે. તે વાળને જાડા અને ખોડો જેવી વાળની ​​સમસ્યાઓને દૂર રાખવામાં મદદ કરે છે.

મેથીનું પાણી તમારા શરીરમાંથી હાનિકારક ટોક્સિનને બહાર કરવામાં મદદ કરે છે. તે તમને પાચન સંબંધિત સમસ્યાઓ સામે લડવામાં મદદ કરે છે. તે પાચક સમસ્યાઓ જેવી કે કબજિયાત અને અપચોથી બચાવે છે.

ડાયાબિટીઝના દર્દીઓ માટે મેથીના દાણા એક સારો ઉપાય છે. મેથી બ્લડ સુગરના લેવલને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. મેથીના દાણામાં એમિનો એસિડ હોય છે જે શરીરમાં બ્લડ સુગર લેવલ ઘટાડવામાં મદદ કરે છે.

મેથીનું સેવન કિડનીની પથરીની સારવારમાં મદદ કરે છે. મેથીના દાણા કિડનીના આરોગ્યને સુધારવામાં મદદ કરે છે.

મેથીનું પાણી તમારી ત્વચા માટે પણ સારું છે. મેથી તમારી પાચક શક્તિ માટે ફાયદાકારક છે. મેથીનું પાણી તમારા શરીરના તમામ નુકસાનકારક ઝેરને દૂર કરે છે. તે ખીલ અને ત્વચા સંબંધિત ઘણી બધી સમસ્યાઓ જેવી કે ફાઇન લાઇન્સ, ડાર્ક સ્પોટ્સ અને કરચલીઓથી બચાવે છે.

મેથીના દાણામાં ઘુલનશીલ ફાઇબર હોય છે જે તમારા હૃદય માટે સારું છે. તેઓ તમારા હૃદયને હાર્ટ એટેકથી બચાવે છે. મેથીનું પાણી પીવાથી ખરાબ કોલેસ્ટરોલને ઓછું કરવામાં પણ મદદ મળે છે અને હૃદયની સમસ્યાઓનું જોખમ ઓછું રહે છે.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

આ પણ વાંચો : પ્રિન્ટિંગ પ્રેસની અંદરનો વીડિયો આવ્યો સામે, આ રીતે સામાન્ય કાગળ બની જાય છે ચલણી નોટ!

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">