AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cardamom Health Benefits: વધતા વજનને કાબૂમાં રાખવાથી લઈને પાચનક્રિયા સુધારવામાં મદદગાર, જાણો એલચીના શ્રેષ્ઠ ફાયદાઓ

એલચી (Cardamom)નો ઉપયોગ ઘણી સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવા માટે થાય છે. એલચી ખાવાનો સ્વાદ અને સુગંધ તો વધારે છે, પરંતુ તે સ્વાસ્થ્યને પણ ઘણા ફાયદા આપે છે.

Cardamom Health Benefits: વધતા વજનને કાબૂમાં રાખવાથી લઈને પાચનક્રિયા સુધારવામાં મદદગાર, જાણો એલચીના શ્રેષ્ઠ ફાયદાઓ
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 19, 2023 | 9:38 AM
Share

Cardamom Health Benefits : એલચી ખાવાનો સ્વાદ વધારે છે. એલચી (Cardamom)નો ઉપયોગ ખીર, હલવો અને કઢી જેવી ઘણી વસ્તુઓમાં થાય છે. તેને ભોજનમાં ઉમેરવાથી સ્વાદ અને ટેસ્ટ બંને વધે છે. પરંતુ તે માત્ર સ્વાદ જ નહીં પરંતુ તમારા સ્વાસ્થ્યને પણ ઘણા ફાયદા આપે છે. તેમાં ઘણા વિટામિન્સ અને મિનરલ્સ જેવા પોષક તત્વો હોય છે.

આ પણ વાંચો : Health Tips: જે લોકોને આ બિમારી છે તેણે ક્યારે પણ ન ખાવા જોઈએ અંજીર, પથરીની સમસ્યા થઈ શકે છે

તમે એલચીનું પાણી પી શકો છો. આ માટે એલચીને પાણીમાં ઉકાળો. ઈલાયચી માત્ર સ્વાસ્થ્ય માટે જ સારી નથી, પરંતુ મોઢાના સ્વાસ્થ્ય માટે પણ ઘણી સારી છે. આવો અહીં જાણીએ કે એલચી તમને કઈ સ્વાસ્થ્ય સમસ્યાઓથી દૂર રાખે છે.

મેટાબોલિઝમ સારું રહે

તમે એલચીનું પાણી પી શકો છો. આ માટે 4 એલચીને રાત્રે પાણીમાં પલાળી રાખો. હવે આ પાણીને સવારે ગરમ કરો. આ પછી તમે આ પાણીને દિવસમાં 2 કે 3 વખત પી શકો છો. આ તમારા મેટાબોલિઝમને બુસ્ટ કરે છે. આ તમને વજન ઘટાડવામાં મદદ કરશે.

એલચીનું પાણી પીવાથી પેટ ભરાઈ જાય છે. આ તમને અતિશય આહારથી બચાવે છે. આ સાથે તમે બિનઆરોગ્યપ્રદ ખોરાક ખાવનું ટાળી શકો છો.

પાચનશક્તિ વધે છે

એલચી ખાવાથી તમારું પાચનતંત્ર સ્વસ્થ રહે છે. આને ખાવાથી તમે ગેસ, કબજિયાત અને પેટનું ફૂલવું જેવી સમસ્યાથી બચી શકો છો. તેનાથી તમારું પાચન બરાબર રહે છે. પાચનતંત્રને સ્વસ્થ રાખવા માટે તમે નાની એલચી ખાઈ શકો છો.

શરીરને ડિટોક્સ

આહારમાં એલચીનો સમાવેશ તમારા શરીરને ડિટોક્સ કરે છે. તે શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરે છે. આ તમારા મેટાબોલિઝમને પણ વધારે છે. તે ઝડપી વજન ઘટાડવામાં પણ મદદ કરશે.

બ્લડ પ્રેશર

એક રિપોર્ટ અનુસાર, તમે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવા માટે એલચી પાવડર પણ લઈ શકો છો. એલચી પાવડરમાં એન્ટી ઓક્સિડન્ટ ગુણ હોય છે.

(આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ તેને અનુસરો.)

Healthના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">