AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health: લાલ કેળા રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ, જાણો તેના કેટલા છે ફાયદા

આજે અમે તમને લાલ કેળાના એવા ફાયદા જણાવવા જઈ રહ્યા છીએ જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે, પીળા અને લીલા કેળા કરતા પણ તે વધુ રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

Health: લાલ કેળા રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ, જાણો તેના કેટલા છે ફાયદા
RED BANANA
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 14, 2021 | 8:38 PM
Share

સ્વસ્થ આહાર (Healthy eating) તમારી જીવનશૈલીને સારી બનાવી શકે છે. તંદુરસ્ત જીવનશૈલી (Healthy lifestyle)માં ફળોનો વપરાશ શ્રેષ્ઠ છે, જેમાં કેળાનો પણ સમાવેશ થાય છે. પોષણથી ભરપૂર કેળા (Bananas) એ આખી દુનિયામાં ખાવામાં આવતુ ફળ છે. એવું કહેવાય છે કે વિશ્વભરમાં કેળાની 18થી વધુ જાતો છે. જો કે ભારતમાં પીળા અને લીલા રંગના જ કેળા ખાવામાં આવે છે. આજે અમે તમને લાલ કેળાના ફાયદા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

લાલ કેળામાં ફાઈબર અને કાર્બોહાઈડ્રેટ્સ હોય છે અને વિટામિન્સ પણ યોગ્ય માત્રામાં મળે છે, જેની મદદથી ઈમ્યુનિટી વધારી શકાય છે. આ કેળું માત્ર ઓસ્ટ્રેલિયામાં જ નહીં પરંતુ અન્ય દેશોમાં પણ જોવા મળે છે. આ કેળાને રેડ ડાક્કા પણ કહેવામાં આવે છે. જાણો તેના ફાયદા…

રોગપ્રતિકારક શક્તિ

કોરોના કાળની વચ્ચે, લોકો રોગપ્રતિકારક શક્તિને વધારવા અને મજબૂત કરવા માટે તમામ પ્રકારની પદ્ધતિઓ અપનાવી રહ્યા છે. જો તમે પણ આવું કરી રહ્યા છો તો લાલ કેળાને પણ ડાયટમાં સામેલ કરો. લાલ કેળામાં રોગપ્રતિકારક શક્તિ વધારતા વિટામિન સી અને વિટામિન બી 6 પુષ્કળ પ્રમાણમાં હોય છે.

ઉર્જા

જો સવારના નાસ્તામાં લાલ કેળાનો સમાવેશ કરવામાં આવે તો તે તમને સ્વસ્થ રાખશે અને રોગપ્રતિકારક શક્તિમાં વધારો થશે. ઉર્જાવાન થવાથી તમે તાજગી અનુભવશો અને દિવસ સારો જશે.

વજન ઘટાડે છે

એવું જોવામાં આવ્યું છે કે સ્થૂળતાને કારણે રોગપ્રતિકારક શક્તિ નબળી રહે છે. લાલ કેળાનું સેવન વજન ઘટાડવા ઉપરાંત તેને જાળવી રાખવામાં મદદ કરે છે. આ કેળું ખાવાથી તમને લાંબા સમય સુધી ભૂખ લાગશે નહીં અને તેના કારણે તમે વધુ પડતું ખાવાનું ટાળશો. જો તમે ઓછું ખાશો તો વજન વધવાની સમસ્યા દૂર થઈ જશે.

આંખો માટે ફાયદાકારક

લાલ કેળું આંખોને સ્વસ્થ રાખવામાં ખૂબ જ મદદગાર સાબિત થાય છે. વાસ્તવમાં લ્યુટીન અને બીટા કેરોટીન આંખની સમસ્યાઓ દૂર કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ બંને લાલ કેળામાં હોય છે. તેથી આજથી જ તમારા આહારમાં લાલ કેળાનો સમાવેશ કરો.

લાલ બનાના શેક

લાલ બનાના શેક બનાવવા માટે દૂધ, એલચી અને જાયફળનો ઉપયોગ કરો. આ શેકને દરરોજ નહીં તો અઠવાડિયામાં ત્રણ વાર પીવો અને તમારી રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરો.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

આ પણ વાંચો –PHOTOS : કપાળમાં સિંદૂર અને વિક્કી કૌશલનો હાથ પકડીને ચાલતી જોવા મળી કેટરિના કૈફ, હનીમૂન પરથી પરત ફર્યુ કપલ

આ પણ વાંચો –વુહાન લેબમાંથી કોરોના લીક થવાની વાતો હવે કેમ સાચી લાગવા લાગી છે? એક્સપર્ટે કહ્યું- તાઇવાનમાં સામે આવેલા કેસથી શંકા વધી

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">