AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health : મશરૂમ બનાવે છે ઈમ્યુનિટીને મજબૂત, જાણો તેને ખાવાના અનેક ફાયદા

મશરૂમમાં હાજર સેલેનિયમ અને એર્ગોથિઓનિન નામના તત્વો રોગપ્રતિકારક શક્તિ વધારે છે. આ સિવાય મશરૂમમાં વિટામીન A, B અને C પણ ભરપૂર માત્રામાં હોય છે, જે રોગો સામે લડવાની ક્ષમતા વધારે છે.

Health : મશરૂમ બનાવે છે ઈમ્યુનિટીને મજબૂત, જાણો તેને ખાવાના અનેક ફાયદા
Mushroom (File Pic)
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 28, 2021 | 2:39 PM
Share

મશરૂમ (Mushrooms) એક એવી શાકભાજી (Vegetable) છે જે સમગ્ર વિશ્વના લોકોના આહારમાં સ્થાન મેળવે છે. રસોઈમાં વિવિધ પ્રકારના મશરૂમનો ઉપયોગ થાય છે. શાકાહારી અને માંસાહારી બંને આહાર પર લોકો આ શાકભાજીના પોષક તત્વોના ફાયદા મેળવવા માટે તેનું સેવન કરે છે. મશરૂમ જંગલી ફૂગનો એક પ્રકાર છે, પરંતુ તે વનસ્પતિ તરીકે ઓળખાય છે. આ લેખમાં મશરૂમનું સેવન કરવાથી શરીર માટે થતા ફાયદાઓ વિશે વાંચો અને સાથે જ જાણી લો કે કઈ સ્વાસ્થ્ય સમસ્યાઓમાં મશરૂમનું સેવન વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

મશરૂમ નબળી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરી શકે છે મશરૂમ ઘણા પોષક તત્વોથી ભરપૂર હોવાથી એવું માનવામાં આવે છે કે મશરૂમ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. મશરૂમમાં મળતા એન્ટીઓક્સીડેન્ટ્સ અને ફાયટોકેમિકલ્સ શરીરમાં સોજાને ઘટાડી શકે છે. તેમની બળતરા વિરોધી, એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટિ-ફંગલ ગુણધર્મો મોસમી રોગો અને ચેપ સામે રક્ષણની દ્રષ્ટિએ ફાયદાકારક માનવામાં આવે છે. મશરૂમમાં હાજર સેલેનિયમ અને એર્ગોથિઓનિન નામના તત્વો રોગપ્રતિકારક શક્તિ વધારે છે. આ સિવાય મશરૂમમાં વિટામીન A, B અને C પણ ભરપૂર માત્રામાં હોય છે, જે રોગો સામે લડવાની ક્ષમતા વધારે છે.

કેન્સર સામે રક્ષણ આપે છે મશરૂમમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે શરીરને હાનિકારક ફ્રી રેડિકલથી બચાવે છે. ફ્રી રેડિકલ્સ કેન્સરનું સૌથી મોટું કારણ છે.

મશરૂમનું સેવન સ્થૂળતાના જોખમને ઘટાડી શકે છે મશરૂમ ખાવાથી વજન વધતું અટકાવવામાં મદદગાર સાબિત થઈ શકે છે. મશરૂમ ખાવાથી વજન વધવાની અને સ્થૂળતાની શક્યતા ઓછી કરવાના દાવા કરવામાં આવે છે. આ રીતે, મશરૂમ્સનું સેવન વજન ઘટાડવાની પ્રક્રિયામાં પણ મદદ કરી શકે છે.

મશરૂમ હૃદય રોગનું જોખમ ઘટાડી શકે છે (હૃદય રોગ અટકાવે છે) વિવિધ અભ્યાસોએ જણાવ્યું છે કે મશરૂમમાં લીન પ્લાન્ટ પ્રોટીન જોવા મળે છે. આ સિવાય તે ઓછી કેલરી અને ઓછી ચરબીવાળો ખોરાક પણ છે. મશરૂમ્સના કુદરતી રીતે ખારા સ્વાદને કારણે, તેને રાંધતી વખતે થોડી માત્રામાં મીઠું ઉમેરવાની જરૂર છે. જેના કારણે, તે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે અને તે હૃદયના સ્વાસ્થ્યને પણ વેગ આપી શકે છે અને હૃદયના રોગોનું જોખમ ઘટાડી શકે છે.

(નોંધ- આ લેખ વાચકોને વધુ માહિતી ઉપયોગમાં આવવા માટે લખાયો છે. આ સંદર્ભમાં પોતાના ફેમિલી ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.)

આ પણ વાંચો : Periods problem : જો તમને માસિક મોડું કે ઓછું આવવાની સમસ્યા છે તો કામ આવી શકે છે આ ઘરગથ્થુ ઉપચાર

આ પણ વાંચો : Health Tips: જો તમારી પણ સવાર ચા પીધા વગર નથી પડતી, તો આ અહેવાલ ખાસ વાંચો

Follow Us
ગરીબોના હકના અનાજનું કૌભાંડ: અડધી રાત્રે દરોડા પાડી સંચાલક ઝડપાયો
ગરીબોના હકના અનાજનું કૌભાંડ: અડધી રાત્રે દરોડા પાડી સંચાલક ઝડપાયો
સુરેન્દ્રનગર-અમદાવાદ ફરીથી ગરમીમાં ધગધગ્યું
સુરેન્દ્રનગર-અમદાવાદ ફરીથી ગરમીમાં ધગધગ્યું
પાલનપુરમાં પતિએ જ 50 હજારમાં પત્નીને વેચી, 6 આરોપીઓની ધરપકડ
પાલનપુરમાં પતિએ જ 50 હજારમાં પત્નીને વેચી, 6 આરોપીઓની ધરપકડ
ગુજરાતમાં ચોમાસુ કેવું રહેશે? વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં 'મોટો વરતારો'
ગુજરાતમાં ચોમાસુ કેવું રહેશે? વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં 'મોટો વરતારો'
રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખના પુત્રે રાજકીય વિરોધીને આપી લુખ્ખી ધમકી
રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખના પુત્રે રાજકીય વિરોધીને આપી લુખ્ખી ધમકી
મહિલા દર્દીએ ડોક્ટર પર ગંભીર આક્ષેપ કર્યા, ડૉક્ટરે તમામ આરોપો નકાર્યા
મહિલા દર્દીએ ડોક્ટર પર ગંભીર આક્ષેપ કર્યા, ડૉક્ટરે તમામ આરોપો નકાર્યા
ATS-SOGએ રૂ.71 લાખનું મેફેડ્રોન ઝડપી પાડ્યું
ATS-SOGએ રૂ.71 લાખનું મેફેડ્રોન ઝડપી પાડ્યું
ફ્લેટના નામે લાખોની ઠગાઈ, Phd શિક્ષિકા નીકળી માસ્ટર માઈન્ડ
ફ્લેટના નામે લાખોની ઠગાઈ, Phd શિક્ષિકા નીકળી માસ્ટર માઈન્ડ
હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને પોરબંદર પહોંચ્યું જહાજ
હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને પોરબંદર પહોંચ્યું જહાજ
અમદાવાદ મનપામાં નવા હોદ્દેદારોની વરણી, હિતેશ બારોટ બન્યા નવા મેયર
અમદાવાદ મનપામાં નવા હોદ્દેદારોની વરણી, હિતેશ બારોટ બન્યા નવા મેયર
g clip-path="url(#clip0_868_265)">