AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: જો તમારી પણ સવાર ચા પીધા વગર નથી પડતી, તો આ અહેવાલ ખાસ વાંચો

વધુ ચાની અસર આંતરડા પર પડે છે. તેનાથી કબજિયાત પણ થાય છે. કેટલાક લોકો સવારે ચા પીધા વગર ફ્રેશ થતા નથી, પરંતુ આ આદત નુકસાનકારક છે. નિયમિત ચા પીવાથી હાડકાં બરડ થાય છે

Health Tips: જો તમારી પણ સવાર ચા પીધા વગર નથી પડતી, તો આ અહેવાલ ખાસ વાંચો
Tea lovers should keep these points in mind to stay away from diseases
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 23, 2021 | 9:54 AM
Share

ઘણા લોકોને સવારે આંખ ખુલતાની સાથે જ બેડ ટી (Bed Tea) પીવાની આદત હોય છે. એ વાત સાચી છે કે મોટાભાગના લોકોનો દિવસ ચાના કપથી શરૂ થાય છે.એક કપ ચામાં 20 થી 60 મિલિગ્રામ કેફીન (Caffeine) હોય છે. કેફીન સ્વાસ્થ્ય માટે સારું નથી. આવી સ્થિતિમાં જો તમે નિયમિત રીતે ચાનું સેવન કરો છો તો તમારે કેટલીક ખાસ વાતો જાણવી જ જોઈએ.

તમને જણાવી દઈએ કે વધુ પડતી ચા પીવી તમારા હૃદય માટે હાનિકારક હોઈ શકે છે. જો તમે કોઈ રોગ માટે દવા લઈ રહ્યા હોવ તો ચા પીવાનું ટાળો.

વધુ ચાની અસર આંતરડા પર પડે છે. તેનાથી કબજિયાત પણ થાય છે. કેટલાક લોકો સવારે ચા પીધા વગર ફ્રેશ થતા નથી, પરંતુ આ આદત નુકસાનકારક છે. નિયમિત ચા પીવાથી હાડકાં બરડ થાય છે, રક્તવાહિનીઓ સંકુચિત થાય છે, બ્લડ પ્રેશર વધે છે અને એસિડિસિસ વધે છે. કહેવાય છે કે વધુ પડતી ચા પીવાથી સ્થૂળતા પણ વધે છે. તેમજ સતત ચા પીવાથી દાંત પીળા દેખાય છે.

સવારની ચા કેટલી સારી ?

સવારે ખાલી પેટે ચા પીવાથી એસિડિટી થઈ શકે છે. આવી સ્થિતિમાં, સવારે ચા પીતા પહેલા ગરમ અથવા સાદું પાણી પીવો, આ પછી ચા પીવી, નહીંતર બને ત્યાં સુધી નાસ્તામાં થોડો પૌષ્ટિક ખોરાક લેવો અને પછી ચા પીવી.

કેમ ચા પહેલા પાણી પીવું જોઇએ ?

ખરેખર, શરીરને આખી રાત પાણી મળતું નથી, જેના કારણે શરીર નિર્જલીકૃત થઈ જાય છે, આવી સ્થિતિમાં, સવારે ઉઠ્યા પછી, માત્ર પાણી પીવું જોઈએ. જો તમે પાણી પછી ચા પીઓ છો, તો તેનું નુકસાન અમુક અંશે ઓછું થાય છે.

ચાને ઓછી ઉકાળો

વધુ ઉકાળેલી ચા પીવાથી ચામાં નિકોટિનામાઇડનું પ્રમાણ પણ વધે છે, જે તમારા સ્વાસ્થ્ય માટે સારું નથી. સંગ્રહિત ચાને ફરીથી ગરમ કરીને ઉપયોગમાં ન લેવી જોઇએ. તે ધીમા ઝેરથી ઓછું નથી. શક્ય હોય ત્યાં સુધી માત્ર તાજી ચા પીવો.

વધુ દૂધ વાળી ચાને બદલે ગ્રીન ટીનો ઉપયોગ કરી શકાય છે. જો તમે ગરમ હર્બલ ટી પીતા હો તો તેના તમામ ગુણ નાશ પામે છે. તેથી, પ્રથમ વખત ચા બનાવ્યા પછી તરત જ ચા પીવો.

આ પણ વાંચો –

Pfizer vaccine : બાળકોમાં ફાઇઝર વેક્સિન પ્રભાવી, અમેરિકામાં 5થી 11 વર્ષના બાળકમાં જલ્દી શરૂ થઇ શકે છે વેક્સિનેશન

આ પણ વાંચો –

માલદીવ્સથી પાછા ફરતા જ મીરા રાજપૂત તેના કપડાંને લઇને થઇ ગઇ ટ્રોલ, યૂઝર્સ બોલ્યા ‘કપડાં તો પૂરા પહેરી લેતે’

Follow Us
વિવાદમાં ‘લાલો’ ફેમ કરણ જોશી: યુવતીના આરોપ પર અભિનેતાએ આપી સ્પષ્ટતા
વિવાદમાં ‘લાલો’ ફેમ કરણ જોશી: યુવતીના આરોપ પર અભિનેતાએ આપી સ્પષ્ટતા
જૂનાગઢ: પ્રી-મોન્સૂન કામગીરી વિવાદમાં, મનપાના દાવા સામે લોકો નારાજ
જૂનાગઢ: પ્રી-મોન્સૂન કામગીરી વિવાદમાં, મનપાના દાવા સામે લોકો નારાજ
અમદાવાદ મેયર-સ્ટેન્ડિંગ ચેરમેનને લઈને 26 તારીખે થઈ શકે છે 'જાહેરાત'
અમદાવાદ મેયર-સ્ટેન્ડિંગ ચેરમેનને લઈને 26 તારીખે થઈ શકે છે 'જાહેરાત'
આણંદ: અમુલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10 વધાર્યા
આણંદ: અમુલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10 વધાર્યા
નવા નેતાઓને નીતિન પટેલની કડક શિખામણ, કામ કરીને પ્રજાનો વિશ્વાસ જીતો
નવા નેતાઓને નીતિન પટેલની કડક શિખામણ, કામ કરીને પ્રજાનો વિશ્વાસ જીતો
હવે 'ભાજપ' વિરુદ્ધ 'ભાજપ'! BJP ના બે જૂથ જાહેરમાં મારામારી
હવે 'ભાજપ' વિરુદ્ધ 'ભાજપ'! BJP ના બે જૂથ જાહેરમાં મારામારી
જામનગરના રણમલ લેકમાં પક્ષીઘરમાં પાણીના ફુવારા કાર્યરત કરાયા
જામનગરના રણમલ લેકમાં પક્ષીઘરમાં પાણીના ફુવારા કાર્યરત કરાયા
જુનાગઢમાં ઇંધણની કટોકટી: ડીઝલ અછત અને લાંબી કતારોથી વાહનચાલકોમાં રોષ
જુનાગઢમાં ઇંધણની કટોકટી: ડીઝલ અછત અને લાંબી કતારોથી વાહનચાલકોમાં રોષ
TMCના ઉમેદવાર જહાંગીરે ફલતા બેઠક પરથી ચૂંટણી લડવા કર્યો ઈન્કાર-Video
TMCના ઉમેદવાર જહાંગીરે ફલતા બેઠક પરથી ચૂંટણી લડવા કર્યો ઈન્કાર-Video
રાજકોટમાં ડીઝલ લેવા માટે ખેડૂતોની લાઈન, ઇંધણ ન મળતા ખેતીકામ પર અસર
રાજકોટમાં ડીઝલ લેવા માટે ખેડૂતોની લાઈન, ઇંધણ ન મળતા ખેતીકામ પર અસર
g clip-path="url(#clip0_868_265)">