AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health : આરામની ઊંઘ જોઈતી હોય તો જાયફળનું આ રીતે સેવન શરૂ કરી દો

જો તમને રાત્રે ઊંઘ ન આવે અને ગાઢ ઊંઘ માટે ઊંઘની ગોળીઓનો સહારો લો, તો જાણી લો કે તે તમારા સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે.

Health : આરામની ઊંઘ જોઈતી હોય તો જાયફળનું આ રીતે સેવન શરૂ કરી દો
Benefits of nutmeg for good sleep (File Image )
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 06, 2022 | 8:46 AM
Share

જાયફળ (nutmeg ) ખૂબ જ ફાયદાકારક મસાલો છે. જો કે, તે ભાગ્યે જ લોકો નિયમિતપણે ઉપયોગમાં લે છે. જાયફળ ખાવાનો સ્વાદ બમણો તો કરે જ છે સાથે સાથે સ્વાસ્થ્ય (health )પણ જાળવી રાખે છે. તમને ઘણી શારીરિક સમસ્યાઓથી બચાવી શકે છે, કારણ કે તેમાં ઘણા તત્વો રહેલા છે. તેમાં બળતરા વિરોધી, એન્ટી-ઓક્સિડન્ટ્સ, એન્ટિ-બેક્ટેરિયલ, એન્ટિ-ડાયાબિટીક ગુણધર્મો વગેરે છે.

જો તમને ઊંઘ નથી આવતી, તો જાયફળ આ સમસ્યાને દૂર કરવામાં પણ મદદરૂપ છે. ઘરે અનેક રીતે તેનો ઉપયોગ કરીને તમે અનિદ્રાની સમસ્યાને દૂર કરી શકો છો. જાણો, જાયફળનું સેવન કરીને તમે કઈ રીતે આરામની ઊંઘ મેળવી શકો છો.

શાંત ઊંઘ મેળવવા માટે જાયફળના ફાયદા  જો તમને રાત્રે ઊંઘ ન આવે અને ગાઢ ઊંઘ માટે ઊંઘની ગોળીઓનો સહારો લો, તો જાણી લો કે તે તમારા સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે. તમે ઊંઘ મેળવવા માટે કુદરતી રીતો અજમાવો. ઊંઘ ન આવવાની સમસ્યાથી જલ્દી છુટકારો મેળવવા માટે જાયફળનું સેવન કરો. જો તમે દિવસમાં 6 કલાકથી ઓછી ઊંઘ લો છો તો તમને અનેક પ્રકારની શારીરિક અને માનસિક સમસ્યાઓ થઈ શકે છે. જાયફળમાં કેટલાક ખાસ કુદરતી રસાયણો હોય છે, જે ગાઢ નિંદ્રા મેળવવામાં મદદ કરે છે. તમે જાયફળમાંથી બનાવેલી હર્બલ દવા, પાવડર, અર્ક વગેરેનું સેવન કરી શકો છો.

જાયફળની ચા અનિદ્રાની સમસ્યાને દૂર કરે છે જો તમે થોડા દિવસો સુધી રાત્રે ઊંઘી શકતા નથી, તો તેના માટે દવા ન લો. તમે જાયફળની ચા પીવાથી ફાયદા થાય છે. જાયફળની ચા બનાવવા માટે એક વાસણમાં એક કપ પાણી ગરમ કરો. તેમાં એક ચપટી જાયફળ પાવડર ઉમેરો. જ્યારે તે સારી રીતે ઉકળે ત્યારે તેને ગાળીને ગરમ ગરમ પી લો. તમે જાયફળના પાવડરને ગરમ દૂધ, પાણી અથવા તો દૂધની ચામાં મિક્સ કરીને પી શકો છો.

આમળા-જાયફળનું મિશ્રણ ગાઢ ઊંઘ આપે છે જો તમે સારી રીતે ઊંઘવા માંગો છો, તો એક આમળાનો રસ કાઢો. આ રસમાં એક ચપટી જાયફળ પાવડર ઉમેરો. તેને રાત્રે સૂતા પહેલા પીવો. તેનાથી સારી ઊંઘ આવે છે, સાથે જ પેટ સંબંધિત સમસ્યાઓ જેવી કે અપચો, ગેસ, પેટનું ફૂલવું વગેરેમાં પણ રાહત મળે છે.

આ પણ વાંચો : Health: વજન નહીં વધવા પાછળ તમારી આ 5 આદતો છે જવાબદાર

આ પણ વાંચો : Health: શરદી અને ફ્લૂના કારણે ઉંઘમાં પડે છે ખલેલ, અજમાવો આ ટિપ્સ

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Follow Us
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
g clip-path="url(#clip0_868_265)">