AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું તમે પણ લો છો વગર પ્રિસ્ક્રિપ્શન એન્ટિબાયોટિક્સ દવાઓ- આજથી જ ચેતી જજો

વગર પ્રિસ્ક્રિપ્શન કે બિનજરૂરી એન્ટિબાયોટિકનો દવાઓ નો ઉપયોગ સ્વાસ્થ્ય માટે નોંધપાત્ર ખતરો છે. ઘણા લોકો ડોક્ટરની સલાહ લીધા વિના એન્ટિબાયોટિક્સ લે છે, પરંતુ શું તમે જાણો છો કે તેનાથી શરીરને શું નુકસાન થાય છે?

શું તમે પણ લો છો વગર પ્રિસ્ક્રિપ્શન એન્ટિબાયોટિક્સ દવાઓ- આજથી જ ચેતી જજો
Image Credit source: Tv9Gujarati
| Updated on: Dec 29, 2025 | 8:51 PM
Share

જ્યારે તમને ખાંસી, શરદી કે શરીરમાં દુખાવો થાય છે, ત્યારે શું તમે પણ મેડિકલ સ્ટોરમાંથી દવાઓ ખરીદીને લો છો? શું તમે વર્ષોથી આવું કરી રહ્યા છો? તો હવે આવું કરવાનું બંધ કરો. કારણ કે સ્વ-પ્રિસ્ક્રાઇબ એન્ટિબાયોટિક્સ દવાઓ તમારા સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તાજેતરમાં તેમના મન કી બાત કાર્યક્રમમાં આ અંગે ચિંતા વ્યક્ત કરતા લોકોને એન્ટિબાયોટિક્સનો ઉપયોગ સમજદારીપૂર્વક કરવાની અપીલ કરી હતી.

ICMR (Indian Council of Medical Research) ના એક અભ્યાસમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે બિનજરૂરી એન્ટિબાયોટિક દવાઓનો ઉપયોગ દેશમાં એન્ટિબાયોટિક પ્રતિકાર (AMR – Antimicrobial Resistance) નું જોખમ વધારી રહ્યો છે. એન્ટિબાયોટિક્સ ફક્ત બેક્ટેરિયલ ચેપ માટે કામ કરે છે, પરંતુ લોકો તેને વાયરલ તાવ, ફ્લૂ અને શરદી માટે પણ લઈ રહ્યા છે. આ સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો છે.

એન્ટિબાયોટિક્સ તમારા સ્વાસ્થ્યને કેવી રીતે નુકસાન પહોંચાડી રહ્યો છે

લોકો બિનજરૂરી રીતે એન્ટિબાયોટિક્સ દવાઓ લઈ રહ્યા છે. આના કારણે શરીરમાં બેક્ટેરિયા આ દવાઓથી ટેવાઈ ગયા છે. પરિણામે, બેક્ટેરિયા દવાઓ સામે પ્રતિકાર વિકસાવી રહ્યા છે, જેના કારણે તેઓ ચેપ સામે બિનઅસરકારક બની રહ્યા છે. આવા કિસ્સાઓ દર વર્ષે ઝડપથી વધી રહ્યા છે. એન્ટિબાયોટિક્સ દવાઓ લોકો પર અસર કરી રહ્યી નથી, અને કેટલાક કિસ્સાઓમાં, તે જીવલેણ પણ સાબિત થઈ રહ્યી છે.

એન્ટિબાયોટિક્સ દવાઓ બેક્ટેરિયલ રોગો માટે છે, પરંતુ લોકો તેને વાયરલ સમસ્યાઓ માટે લઈ રહ્યા છે. ઉદાહરણ તરીકે, લોકો શરદી અને ગળાના દુખાવા માટે એઝિથ્રોમાસીન જેવી દવાઓ લઈ રહ્યા છે, પરંતુ આ દવાઓ બેક્ટેરિયલ સમસ્યાઓ માટે છે. શરદી અને ખાંસી એ વાયરલ રોગો છે જે તમે દવા લો કે ન લો, ત્રણથી ચાર દિવસમાં જાતે જ મટી જાય છે.

મેડિકલ સ્ટોર્સ અને જનતાની કમજોરીઓ

એક્સપર્ટસ કહે છે કે મેડિકલ સ્ટોર્સ માલિકો એ પ્રિસ્ક્રિપ્શન વિના એન્ટિબાયોટિક્સ દવાઓ વેચવી જોઈએ નહીં, પરંતુ વાસ્તવિકતા અલગ છે. જ્યારે લોકો ને કોઈ રોગ થયે જેમ કે શરદી- ખાંસી કે વાયરલ તાવ આવે ત્યારે લોકો આ દવાઓ ડોક્ટરની સલાહ લીધા વિના મેડિકલ સ્ટોર્સથી ખરીદે છે અને તેનું સેવન કરે છે. ઘણા લોકો વર્ષોથી આવું કરી રહ્યા છે. આના કારણે દવાઓ બિનઅસરકારક બની રહી છે. ઘણા રોગોની સામાન્ય દવાઓ પણ બિનઅસરકારક બની રહી છે અને હળવા બેક્ટેરિયલ ચેપ સામે અસરકારક સાબિત થતી નથી. સામાન્ય પેશાબના ચેપથી લઈને ન્યુમોનિયાના રોગ સુધીની દરેક વસ્તુની સારવાર માટે વપરાતી દવાઓ ધીમે – ધીમે બિનઅસરકારક બની રહી છે.

પીએમ મોદીની ચેતવણી શા માટે મહત્વપૂર્ણ છે?

મન કી બાતમાં વડા પ્રધાન દ્વારા આ મહત્વપૂર્ણ મુદ્દો ઉઠાવયો હતો કારણ કે વિશ્વ આરોગ્ય સંગઠને એન્ટિબાયોટિક પ્રતિકારને શાંત રોગચાળો જાહેર કર્યો છે. જો આવી પરિસ્થિતિ ચાલુ રહેશે, તો આગામી વર્ષોમાં સામાન્ય સમસ્યાઓ માટે પણ એન્ટિબાયોટિક્સ દવાઓ બિનઅસરકારક બની જશે. આનાથી દર્દીઓને બીમારીઓની સારવાર યોગ્ય રીતે ન મળી શકે તેમ બને છે અને સામાન્ય સમસ્યાઓ પણ જીવલેણ સાબિત થાય છે. તેથી, લોકોએ અત્યંત સતર્ક રહેવાની જરૂર છે.

એન્ટિબાયોટિક્સ ક્યારે લેવી જોઈએ

જ્યારે ડોક્ટર પ્રિસ્ક્રિપ્શન ઉપર લખીને આપે ત્યરે લેવું જોઈએ,  સામાન્ય આ રોગોમાં લઈ શકો છો જેમ કે ન્યુમોનિયા , ટાઇફોઇડ , યુટીઆઈ (મૂત્ર માર્ગ ચેપ), ટીબી જેવાં રોગો માં ડોક્ટર ની સલાહ લઈને લેવું જોઈએ.

ડોક્ટરની સલાહ લીધા વિના એન્ટિબાયોટિક્સ દવાઓ ના લો. જ્યારે સંપૂર્ણ કોર્સ પૂર્ણ થઈ જાય ત્યરે નિષ્ણાતોની સલાહ લીધા પછી દવા લેવાનું બંદ કરવું.

Disclaimer: આ સમાચાર સામાન્ય માહિતી પર આધારિત છે. TV9Gujarati આની પુષ્ટિ કરતું નથી. વધુ માહિતી માટે તમારા ડોક્ટરની સલાહ લો.

05 વર્ષ પછી પણ કંપની પાછી ખરીદશે તમારી કાર, શું છે બાયબેક ઓપ્શન, વાંચવા માટે અહીં ક્લિક કરો

પ્રેમલગ્ન બાદ યુવતીઓને ધિક્કારવી ન જોઈએ- મહિલા આયોગના ચેરમેન
પ્રેમલગ્ન બાદ યુવતીઓને ધિક્કારવી ન જોઈએ- મહિલા આયોગના ચેરમેન
વાતાવરણમાં આવશે 'પલટો' ! હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી
વાતાવરણમાં આવશે 'પલટો' ! હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી
અરવલ્લીને લઈને સુપ્રીમ કોર્ટે પોતાના જ ચુકાદા સામે આપ્યો સ્ટે
અરવલ્લીને લઈને સુપ્રીમ કોર્ટે પોતાના જ ચુકાદા સામે આપ્યો સ્ટે
સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માનવ મહેરામણ ઉમટ્યું, ડિસેમ્બરમાં લાખોની ભીડ
સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માનવ મહેરામણ ઉમટ્યું, ડિસેમ્બરમાં લાખોની ભીડ
ફાર્મા ફેક્ટરીમાં બનતો હતો નશો!, 22 કિલો અલ્પ્રાઝોલમ કર્યો જપ્ત
ફાર્મા ફેક્ટરીમાં બનતો હતો નશો!, 22 કિલો અલ્પ્રાઝોલમ કર્યો જપ્ત
ધારાસભ્ય યોગેશ પટેલને ડિજિટલ એરેસ્ટ કરવાનો પ્રયાસ કરાયો
ધારાસભ્ય યોગેશ પટેલને ડિજિટલ એરેસ્ટ કરવાનો પ્રયાસ કરાયો
આજનું હવામાન : ગુજરાતના મોટાભાગના શહેરોના તાપમાનમાં ઘટાડો નોંધાયો
આજનું હવામાન : ગુજરાતના મોટાભાગના શહેરોના તાપમાનમાં ઘટાડો નોંધાયો
દ્વારકામાં છેતરપિંડી અને કાળી કરતૂતનો પર્દાફાશ - જુઓ Video
દ્વારકામાં છેતરપિંડી અને કાળી કરતૂતનો પર્દાફાશ - જુઓ Video
પ્રેમલગ્ન બાદ પાટીદાર સમાજના રોષનો ભોગ બનેલી ગાયિકા આરતીએ ઠાલવી વેદના
પ્રેમલગ્ન બાદ પાટીદાર સમાજના રોષનો ભોગ બનેલી ગાયિકા આરતીએ ઠાલવી વેદના
તમિલનાડુ પોલીસ સુરતના વેપારીઓને કરી રહી પરેશાન, એકાઉન્ટ કર્યા ફ્રિઝ
તમિલનાડુ પોલીસ સુરતના વેપારીઓને કરી રહી પરેશાન, એકાઉન્ટ કર્યા ફ્રિઝ
g clip-path="url(#clip0_868_265)">