AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pregnancy Care Tips: શું ગર્ભવતી મહિલાની આ નાની ભૂલો બાળકને બનાવી શકે છે ‘ઓટિઝમ’નો શિકાર? જાણો કઈ લાપરવાહી બાળકાયના મગજના વિકાસને રોકી શકે છે!

બાળકોમાં જોવા મળતી 'ઓટિઝમ' નામની માનસિક બીમારી પાછળ માત્ર જિનેટિક કારણો જ નહીં, પરંતુ ગર્ભાવસ્થા દરમિયાન માતા દ્વારા કરવામાં આવતી કેટલીક ગંભીર ભૂલો પણ જવાબદાર હોઈ શકે છે. જો તમે પણ ફેમિલી પ્લાનિંગ કરી રહ્યા હોવ, તો એક્સપર્ટની આ સલાહ વાંચવી તમારા માટે અનિવાર્ય છે...

Pregnancy Care Tips: શું ગર્ભવતી મહિલાની આ નાની ભૂલો બાળકને બનાવી શકે છે 'ઓટિઝમ'નો શિકાર? જાણો કઈ લાપરવાહી બાળકાયના મગજના વિકાસને રોકી શકે છે!
| Updated on: Mar 22, 2026 | 7:31 PM
Share

ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર (ASD) એ એક એવી ન્યુરો-ડેવલપમેન્ટલ સ્થિતિ છે જેના લક્ષણો બાળક 3 વર્ષનું થાય તે પહેલા દેખાવા લાગે છે. સ્ત્રીરોગ નિષ્ણાતોના મતે, ગર્ભાવસ્થાની બીજી અને ત્રીજી ટ્રાઈમેસ્ટર (ત્રિમાસિક ગાળા) દરમિયાન થતી બેદરકારી બાળકના મગજ અને ચેતાતંત્રના માર્ગોને પ્રભાવિત કરી શકે છે.

આ ભૂલો વધારી શકે છે ખતરો:

  • ડાયાબિટીસ અને બીપીની અવગણના: ગર્ભાવસ્થા દરમિયાન થતો ડાયાબિટીસ (Gestational Diabetes) જો નિયંત્રણમાં ન રાખવામાં આવે, તો તે બાળકના મગજના કોષોના વિકાસમાં અવરોધ ઊભો કરી શકે છે. તેવી જ રીતે હાઈ બ્લડ પ્રેશર પણ જોખમી સાબિત થાય છે.
  • માનસિક તણાવ અને હોર્મોન્સ: જ્યારે માતા સતત સ્ટ્રેસમાં રહે છે, ત્યારે શરીરમાં સ્ટ્રેસ હોર્મોન્સ વધે છે. આ હોર્મોન્સ સીધા ગર્ભમાં રહેલા બાળકના માનસિક સ્વાસ્થ્ય પર પ્રહાર કરે છે.
  • વધતી ઉંમરે ગર્ભધારણ: નિષ્ણાતોના મતે, મોટી ઉંમરે માતા બનવાથી કેટલાક જૈવિક ફેરફારોનું જોખમ વધે છે, જે ઓટિઝમ સાથે સીધેસીધું જોડાયેલું હોઈ શકે છે.
  • ચેપ અને દવાઓ: ગર્ભાવસ્થામાં થતા સામાન્ય ઈન્ફેક્શનને હળવાશથી લેવા જોઈએ નહીં, કારણ કે તેનાથી શરીરમાં સોજો (Inflammation) આવે છે જે બાળકના ન્યુરોલોજીકલ વિકાસને નુકસાન પહોંચાડે છે. આ ઉપરાંત, ડોક્ટરની સલાહ વગર લેવામાં આવતી સામાન્ય દવાઓ પણ ઝેર સમાન બની શકે છે.
  • પ્રદૂષણ અને પોષણનો અભાવ: વાતાવરણમાં રહેલું પ્રદૂષણ અને ખોરાકમાં વિટામિન્સ-મિનરલ્સની ઉણપ બાળકના બ્રેન ડેવલપમેન્ટને પ્રભાવિત કરે છે.

બચાવ માટે શું કરવું?

ઓટિઝમ માત્ર એક કારણથી નથી થતું, તે જિનેટિક અને બાહ્ય પરિબળોનું મિશ્રણ છે. તેથી ગર્ભાવસ્થા દરમિયાન નીચેની બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે:

  • નિયમિત યોગ અને મેડિટેશન દ્વારા માનસિક શાંતિ જાળવી રાખવી.
  • બ્લડ શુગર અને બ્લડ પ્રેશરનું સતત મોનિટરિંગ કરવું.
  • પૌષ્ટિક આહાર લેવો અને ઝેરી તત્વો કે પ્રદૂષણથી દૂર રહેવું.
  • કોઈપણ દવા લેતા પહેલા નિષ્ણાત ડોક્ટરની મંજૂરી લેવી.

માતાની જાગૃતિ જ બાળકના સુરક્ષિત ભવિષ્યની ચાવી છે. ગર્ભાવસ્થા એ માત્ર શારીરિક પ્રક્રિયા નથી, પણ એક જવાબદારી છે જેમાં નાની બેદરકારી બાળકના આખા જીવનને અસર કરી શકે છે.

Disclaimer: આ સમાચાર સામાન્ય માહિતી પર આધારિત છે. વધુ માહિતી માટે તમારા ડૉક્ટરની સલાહ લો.

Solar AC Scheme: ભર ઉનાળે લાઈટ બિલ આવશે ‘ઝીરો’! હવે હાઈબ્રિડ ટેકનોલોજીથી ચાલશે તમારું હાઈટેક AC, જાણો વધુ વિગત

Follow Us
g clip-path="url(#clip0_868_265)">