Ginger water Benefits: આદુ વાળા પાણીના આ છે ફાયદા, વજન ઘટાડવા સહિત સ્વાસ્થય માટે છે અત્યંત લાભકારી

આદુ એન્ટીઑકિસડન્ટ અને એન્ટિ એન્ફ્લેમેટરી (બળતરા વિરોધી) ગુણધર્મોનું પાવરહાઉસ છે જે ત્વચા, વાળ અને શરીર માટે ફાયદાકારક છે

Ginger water Benefits: આદુ વાળા પાણીના આ છે ફાયદા, વજન ઘટાડવા સહિત સ્વાસ્થય માટે છે અત્યંત લાભકારી
Ginger water Benefits
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 09, 2021 | 9:46 AM

Ginger water Benefits: આદુને સામાન્ય રીતે ભારતીય ઘરોમાં પસંદ કરવામાં આવે છે. હવે ભલે આપણે તેનો ઉપયોગ ચામાં કરીએ કે ભોજનમાં. તમારી વાનગીઓને સ્વાદ આપવા ઉપરાંત, આદુનો પરંપરાગત રીતે આયુર્વેદ અને હોમિયોપેથી જેવા તબીબી વિજ્ઞાનમાં ઉપયોગ કરવામાં આવે છે. તેના ઘણા સ્વાસ્થ્ય લાભ છે. આદુ એન્ટીઑકિસડન્ટ અને એન્ટિ એન્ફ્લેમેટરી (બળતરા વિરોધી) ગુણધર્મોનું પાવરહાઉસ છે જે તમારા ત્વચા, વાળ અને શરીર માટે ફાયદાકારક છે.

વજન ઘટાડવું – આદુ માત્ર સ્વાદ વધારનાર જ નથી, પણ તે વજન ઘટાડવા માટે એક ઉત્તમ વિકલ્પ તરીકે પણ કામ કરે છે. જો તમે નિયમિતપણે આદુનું પાણી પીઓ છો, તો તે પોષક તત્વોને વધુ સારી રીતે શોષી લે છે. તે તમારી ભૂખ પણ ઘટાડે છે. તેનું સેવન કર્યા પછી તમે લાંબા સમય સુધી ભૂખ અનુભવતા નથી.

ત્વચા માટે – આદુનું પાણી પીવાથી ત્વચાની સમસ્યાઓ દૂર થાય છે. તે એન્ટીઑકિસડન્ટ જીંજરોલથી ભરપૂર છે જે મુક્ત રેડિકલ સામે લડી શકે છે. તે ત્વચાને ન માત્ર સ્વસ્થ રાખે છે પણ તેને ચમકદાર બનાવવામાં પણ મદદ કરે છે. તેના બળતરા વિરોધી ગુણધર્મો તમામ પ્રકારના ચેપ સામે લડી શકે છે અને તમારી ત્વચાને સ્વસ્થ અને સ્વચ્છ બનાવી શકે છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

માસિક ધર્મમાં ઉપયોગી – પીએમએસને કારણે થતી તકલીફ ઘટાડવા માટે તમે આદુનું પાણી પી શકો છો. એક સંશોધન મુજબ, આદુ માસિકમાં દુખાવો અને ખેંચાણ ઘટાડવામાં મદદ કરે છે.

કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડે છે – આદુનું પાણી ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડે છે. હૃદયરોગ અને સ્ટ્રોક જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓનું વધતું જોખમ ઘટાડે છે.

આદુનું પાણી એન્ટીઑકિસડન્ટોથી ભરેલું છે – આદુનું પાણી એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર છે જે તમને ફ્રી રેડિકલ્સ સામે લડવામાં કરવામાં મદદ કરે છે. તે કેન્સર, હૃદય રોગ અને ડાયાબિટીસ જેવી આરોગ્યની સ્થિતિનું જોખમ ઘટાડે છે. આદુનું પાણી પોટેશિયમથી ભરપૂર છે. તમારા હૃદય, સ્નાયુઓ, હાડકાં અને મેટબોલીઝમ માટે પોટેશિયમ મહત્વનું છે પોટેશિયમની ઉણપ હૃદયની સમસ્યાઓ અને હાઈ બ્લડ પ્રેશર તરફ દોરી શકે છે.

આ રીતે બનાવો ઘરે આદુનું પાણી

સામગ્રી તાજા આદુનું મૂળ પાણી – 3 કપ મધ – 1 ચમચી

રીત આદુને છીણી લો, તેને એક બાઉલમાં નાખો. 3 કપ પાણી ઉકાળો. પાણી ઉકળવા આવે એટલે તેમાં આદુ ઉમેરો. ગેસ બંધ કરો અને પાણીને 5 મિનિટ સુધી આ રીતે રહેવા દો. એક ગ્લાસમાં આદુના ટુકડા કાઢવા માટે પ્રવાહીને ગાળી લો. એક ચમચી મધ ઉમેરો અને સારી રીતે ભળવા દો. આદુનું પાણી પીવા માટે તૈયાર છે.

નોંધ: પ્રાથમિક માહિતીઓના આધારે આ જનરુચિને ધ્યાનમાં લેખને તૈયાર કરવામાં આવ્યો છે. સ્વાસ્થય સબંધિત કોઈ પણ પ્રયોગ કરતાં પહેલા જે તે વિષયના અનુભવી વિશેષજ્ઞની સલાહ લેવી સલાહ આપવામાં આવે છે. 

આ પણ વાંચો: Health : વજન ઓછું કરવા પાણીમાં ઉમેરો પાંચ એલચીના દાણા અને પછી જુઓ પરિણામ

આ પણ વાંચો: Health Tips : આ ઘરગથ્થું ઉપાય અજમાવીને વધારો તમારી આંખોનું તેજ, ચશ્માના નંબર પણ ઉતરવા લાગશે

Latest News Updates

નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">