Health : વજન ઓછું કરવા પાણીમાં ઉમેરો પાંચ એલચીના દાણા અને પછી જુઓ પરિણામ

એલચી વજન ઘટાડવામાં મદદ કરે છે. તમે પાણીમાં વિવિધ અન્ય ઘટકો પણ ઉમેરી શકો છો. તે ઝડપથી વજન ઘટાડવામાં મદદ કરે છે

Health : વજન ઓછું કરવા પાણીમાં ઉમેરો પાંચ એલચીના દાણા અને પછી જુઓ પરિણામ
Health: To lose weight, add five cardamom seeds in water, and then see the result
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 09, 2021 | 9:17 AM

લોકોને  હંમેશા પુષ્કળ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. તે આપણને ફક્ત હાઇડ્રેટેડ નથી રાખતું પણ ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર કરવામાં પણ મદદ કરે છે. તે શરીરના મેટાબોલિક દરને વેગ આપે છે. ઉપરાંત તે વજન ઘટાડવામાં મદદ કરે છે. તમે પાણીમાં વિવિધ અન્ય ઘટકો પણ ઉમેરી શકો છો. તે ઝડપથી વજન ઘટાડવામાં મદદ કરે છે. આ કિસ્સામાં, તમે એલચીનો ઉપયોગ કરી શકો છો.તે ખોરાકમાં સામાન્ય રીતે વપરાતો ઘટક છે. અમે તમને જણાવીશું  કે તમે એલચીનું પાણી કેવી રીતે બનાવી શકો છો અને તે સ્વાસ્થ્ય માટે કેવી રીતે ફાયદાકારક છે.

એલચી ઔષધીય ગુણોથી ભરપૂર છે. તેમાં ઘણા પોષક તત્વો હોય છે. એલચીમાં આ વિટામિન્સ હોય છે-રિબોફ્લેવિન, નિયાસિન, વિટામિન-સી, ખનીજ-આયર્ન, મેંગેનીઝ, કેલ્શિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમ, આવશ્યક તેલ-પીનીન, સબીનિન, માયસીન, ફેલેંડ્રિન, ડાયેટરી ફાઇબર, એન્ટીઓક્સીડેન્ટ્સ વગેરે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. તે તમારા શરીરમાં હાજરવધારાની ચરબીને બાળી નાખવા ઉપરાંત શરીરને બીજા ઘણા ફાયદા કરાવે છે.

બ્લડ પ્રેશર ઘટાડવા માટે – બ્લડ પ્રેશર ઘટાડવા માટે એલચીનું સેવન કરી શકાય છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ અને ફાઇબર જેવા ગુણધર્મો છે. તે હૃદયને સ્વસ્થ રાખવાનું કામ કરે છે. એલચીમાં હાજર ડાયેટરી ફાઇબર કોલેસ્ટરોલનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે અને લોહીના ગંઠાવાનું જોખમ ઘટાડે છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

બ્લડ સુગર લેવલ નિયંત્રિત કરવા માટે – બ્લડ સુગર લેવલ ઘટાડવા માટે એલચી ફાયદાકારક છે. તેમાં  મેંગેનીઝ સમૃદ્ધ માત્રામાં જોવા મળે છે. જે ખનિજ ડાયાબિટીસનું જોખમ ઘટાડવામાં મદદ કરે છે.

શરદી અને ઉધરસની સારવાર કરી શકે છે – એલચીમાં એન્ટિટ્યુસિવ અને મ્યુકોલિટીક ગુણધર્મો છે. તે લાળના નિર્માણને રોકવામાં મદદ કરે છે અને ઉધરસ અને શરદીને દૂર કરે છે. તે ફેફસામાં રક્ત પરિભ્રમણ વધારે છે અને શ્વસન કાર્યને સુધારવામાં મદદ કરે છે.

પાચન સમસ્યાઓ દૂર કરવા માટે – એક અહેવાલ મુજબ, એલચીમાં એવા તત્વો હોય છે જે કેન્સર સામે લડવામાં મદદ કરી શકે છે. ઈલાયચીનું સેવન તમને પાચન સંબંધિત સમસ્યાઓથી દૂર રાખવામાં મદદ કરે છે. તે તમારી પાચન ક્રિયા સુધારવામાં પણ મદદ કરે છે.

એલચી પાણી કેવી રીતે બનાવવું?

આ માટે 5 ઈલાયચીની છાલ કાઢીને  તેને આખી રાત પાણીમાં પલાળી રાખો. સવારે ઉઠીને તે પાણી ગરમ કરો. તમે આ પાણી દિવસમાં 2 થી 3 વખત પી શકો છો. આ તમને વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. તમે એક દિવસમાં લગભગ 1 લીટર એલચીનું પાણી પી શકો છો. જો તમે આ નિયમિતપણે કરો છો, તો તે તમને વજન ઘટાડવામાં મદદ કરી શકે છે.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

આ પણ વાંચો :

Health Tips : આ ઘરગથ્થું ઉપાય અજમાવીને વધારો તમારી આંખોનું તેજ, ચશ્માના નંબર પણ ઉતરવા લાગશે

આ પણ વાંચો –

International Literacy Day : આ રાજ્ય છે શિક્ષણમાં મોખરે, અહીંના પુરુષોએ તો કેરળને પણ છોડ્યુ પાછળ !

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">