Ginger Water Benefits : સવારે ખાલી પેટે આદુનું પાણી પીઓ, અને આ પાંચ સમસ્યાઓને ભગાડો દૂર

આદુ (Garlic ) ખોરાકને શરીરમાંથી સારી રીતે પસાર કરવામાં મદદ કરે છે. આટલું જ નહીં, તે પેટમાં દુખાવો, પેટ ફૂલવું અને એસિડિટીની સમસ્યાથી પણ રાહત આપે છે

Ginger Water Benefits : સવારે ખાલી પેટે આદુનું પાણી પીઓ, અને આ પાંચ સમસ્યાઓને ભગાડો દૂર
Ginger Water Benefits (Symbolic Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 28, 2022 | 8:09 AM

આદુ (Ginger ) એક એવી વસ્તુ છે જે દરેક રસોડામાં (Kitchen ) અવશ્ય જોવા મળે છે, જે તમને ઘણી બીમારીઓમાં રાહત (Relief )આપવાનું કામ કરે છે. આદુનો ઉપયોગ આપણે ચામાં સ્વાદ ઉમેરવા, શાકભાજી અને ઉકાળો બનાવવા માટે કરીએ છે. ઉબકા, પેટમાં દુખાવો અને પાચન સંબંધી અન્ય સમસ્યાઓ માટે આદુનો ઉપાય ન માત્ર તમારા બ્લડ સુગર લેવલને ઘટાડવાનું કામ કરે છે પરંતુ તમારા હૃદયની તંદુરસ્તી જાળવી રાખવામાં પણ મદદ કરે છે. આદુ આપણી ઇમ્યુનીટી વધારવાનું કામ કરે છે અને જો તમે તમારા દિવસની શરૂઆત આદુનું પાણી પીવાથી કરો છો તો તે તમને તંદુરસ્ત રહેવામાં પણ મદદ મળશે. આવો જાણીએ ખાલી પેટ આદુનું પાણી પીવાના ફાયદાઓ વિશે, જે તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

1-ઊર્જા વધારવા માટે

આખી રાત સૂઈ ગયા હોવા છતાં જો તમે સવારે થાક અને સુસ્તી અનુભવો છો તો તમારે દિવસની શરૂઆત આદુનું પાણી પીવાથી કરવી જોઈએ, જે તમને ઉર્જા આપવાનું કામ કરે છે. તે બ્લડ સર્ક્યુલેશન સુધારે છે અને શરીરમાંથી ઝેરી ટોક્સિન દૂર કરવાનું કામ કરે છે. તમે તમારી ચા અને કોફીમાં આદુના રસના થોડા ટીપાં ઉમેરીને પીવી જોઈએ.

2- ઉબકા દૂર થાય છે

જો તમને ઊબકાની સમસ્યા સતાવતી હોય તો તમારે સવારે ઉઠીને આદુનું પાણી અચૂક પીવું જોઈએ. આદુનું પાણી તમને  ઉબકામાં જ નહીં પરંતુ ઉલ્ટીની સમસ્યામાં પણ મોટી રાહત આપે છે. આદુમાં જોવા મળતું જીંજરોલ નામનું તત્વ પાચન સબંધિત સમસ્યાને દૂર કરે છે અને પેટનું સ્વાસ્થ્ય સુધારે છે. એટલું જ નહીં, તે ઉબકા જેવી સમસ્યાઓને ઓછી કરવામાં પણ મદદ કરે છે. પ્રેગ્નન્ટ સ્ત્રીઓએ ઉબકાથી રાહત મેળવવા માટે આદુનું પાણી પીવું જોઈએ, જે ગર્ભમાં ઉછરી રહેલા બાળક માટે પણ સલામત છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

3-બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રાખવા

ખાલી પેટ આદુનું પાણી પીવાથી બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં મદદ મળે છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે ખુબ જ ફાયદાકારક છે. આદુમાં બળતરા વિરોધી ગુણો હોય છે. જેથી તે બ્લડ સુગર લેવલને વધવા દેતું નથી. આટલું જ નહીં, આદુનું પાણી હાઈ બ્લડ સુગર લેવલની સ્થિતિને પણ અટકાવે છે અને હૃદય રોગના જોખમને કંઈક અંશે ઘટાડે પણ છે.

4-પાચનક્રિયામાં રાહત આપે છે

આદુ ખોરાકને જમ્યા પછી શરીરમાંથી સારી રીતે પસાર કરવામાં મદદ કરે છે. આટલું જ નહીં, તે પેટમાં દુખાવો, પેટ ફૂલવું અને એસિડિટીની સમસ્યાથી પણ મોટી રાહત આપે છે. જે લોકોને વારંવાર ગેસની સમસ્યા રહેતી હોય તેઓને આદુનું પાણી પાચનતંત્રને સારી રીતે કામ કરવા મદદ કરે છે. આદુમાં રહેલા ઉત્સેચકો ખોરાકના પાચનમાં મદદ કરે છે અને ચયાપચય સુધારે છે.

5-સ્નાયુ અને માસિકના દુખાવામાં રાહત આપે છે

આદુમાં પેરાડોલ, જીંજરોલ અને શોગાઓલ નામના તત્વ હોય છે, જેમાં બળતરા વિરોધી ગુણ ધરાવે છે. બળતરાના કારણે સ્નાયુમાં દુખાવો, સાંધામાં દુખાવો અને શરીરમાં સોજો આવે છે, જો આદુનું પાણી પીવામાં આવે તો શરીરનો દુખાવો ઓછો કરવામાં મદદ મળે છે. આટલું જ નહીં, તે મહિલાઓમાં માસિક ધર્મ દરમિયાન ખેંચાણ પણ ઘટાડે છે.

(આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ તેને અનુસરો.)

Latest News Updates

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">