AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જો તમને પણ વારંવાર ગેસ બને છે…? અને દવા અસર નથી કરતી, કંઈક પેટમાં કૃમિ તો નહીં ન…

શું તમને વારંવાર પેટ ફૂલવા કે ગેસની સમસ્યા થાય છે? દવાઓ છતાં રાહત નથી મળતી? તો આ આંતરડામાં રહેલા કૃમિના સંકેત હોઈ શકે છે. માત્ર બાળકો જ નહીં, પુખ્ત વયના લોકોમાં પણ આ સમસ્યા ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે. જાણો બચવાના રામબાણ ઉપાયો.

જો તમને પણ વારંવાર ગેસ બને છે...? અને દવા અસર નથી કરતી, કંઈક પેટમાં કૃમિ તો નહીં ન...
Image Credit source: AI
| Updated on: Apr 14, 2026 | 6:38 PM
Share

આજના સમયમાં ગેસ, અપચો અને પેટમાં ભારેપણું એ સામાન્ય વાત બની ગઈ છે. આપણે મોટાભાગે તેને ખરાબ ખાનપાનનું પરિણામ માનીને અવગણીએ છીએ, પરંતુ આ નાનકડી ભૂલ તમારા સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે. નિષ્ણાતોના મતે, વારંવાર થતો ગેસ અને પેટનો દુખાવો એ આંતરડામાં રહેલા ‘કૃમિ’ (Worms) નું મુખ્ય લક્ષણ હોઈ શકે છે.

માત્ર બાળકો નહીં, મોટા લોકો પણ છે નિશાના પર

એક મોટી ગેરસમજ એ છે કે પેટમાં કૃમિ માત્ર બાળકોને જ થાય છે. વાસ્તવમાં, અસ્વચ્છ પાણી અને દૂષિત ખોરાકને કારણે પુખ્ત વયના લોકો પણ આ આંતરડાના પરોપજીવીઓનો શિકાર બને છે. આ કૃમિ તમારા શરીરના જરૂરી પોષક તત્વો ખાઈ જાય છે, જેના કારણે લોહીની ઉણપ (એનિમિયા) અને નબળાઈ જેવી ગંભીર સમસ્યાઓ સર્જાય છે.

કેવી રીતે ઓળખશો આ ‘અદ્રશ્ય દુશ્મન’ને?

જો તમારા શરીરમાં નીચે મુજબના ફેરફારો દેખાય, તો સતર્ક થઈ જવું જોઈએ:

  • વારંવાર ગેસ થવો અને પેટ ફૂલવું.
  • દવાઓ લેવા છતાં ગેસની સમસ્યામાં કાયમી રાહત ન મળવી.
  • અચાનક વજન ઘટવું અને સતત થાક લાગવો.
  • ભૂખ ન લાગવી અથવા પેટમાં વિચિત્ર ખેંચાણ અનુભવવું.

ચેપ લાગવાના મુખ્ય કારણો

આ પરોપજીવીઓ તમારા શરીરમાં મુખ્યત્વે દૂષિત પાણી, ધોયા વગરના ફળો-શાકભાજી અને જમતા પહેલા હાથ ન ધોવાની આદતને કારણે પ્રવેશે છે. ખુલ્લામાં મળત્યાગ કે અસ્વચ્છ વિસ્તારોમાં રહેવાથી પણ કૃમિના ઇંડા શરીરમાં જવાની શક્યતા વધી જાય છે.

બચાવના ઉપાય: દર 6 મહિને કરો આ કામ

પેટના કૃમિથી બચવા માટે ‘ડિ-વર્મિંગ’ (કૃમિનાશક દવા) સૌથી અસરકારક રસ્તો છે. ડોક્ટરોની સલાહ મુજબ દર છ મહિને કૃમિનાશક દવા લેવી જોઈએ. આ ઉપરાંત, હંમેશા ગાળેલું કે ઉકાળેલું પાણી પીવું અને વ્યક્તિગત સ્વચ્છતા પર ખાસ ધ્યાન આપવું જોઈએ.

તમારા પાચનતંત્રને સ્વસ્થ રાખવા માટે જાગૃતિ એ જ શ્રેષ્ઠ સારવાર છે. જો લક્ષણો લાંબા સમય સુધી જણાય, તો તુરંત ટેસ્ટ કરાવવો હિતાવહ છે.

Disclaimer: આ સમાચાર સામાન્ય માહિતી પર આધારિત છે. વધુ માહિતી માટે તમારા ડૉક્ટરની સલાહ લો.

ઉનાળામાં ઈડલીનું ખીરું ખાટું થઈ જાય છે? બસ, આ એક પાન મૂકો અને જુઓ જાદુ!

Follow Us
77 કરોડનું સાયબર ફ્રોડ: ગોવાથી ચાલતી ગેંગનો પર્દાફાશ, 16ની ધરપકડ
77 કરોડનું સાયબર ફ્રોડ: ગોવાથી ચાલતી ગેંગનો પર્દાફાશ, 16ની ધરપકડ
નેતાઓના વાયદાથી કંટાળેલ જનતા મેદાને! ગટર મુદ્દે તંત્ર સામે 'લાલ આંખ'
નેતાઓના વાયદાથી કંટાળેલ જનતા મેદાને! ગટર મુદ્દે તંત્ર સામે 'લાલ આંખ'
જિમ જેહાદના રવાડે ચઢેલા વિધર્મીની SOGએ કાઢી 'હવા' - જુઓ Video
જિમ જેહાદના રવાડે ચઢેલા વિધર્મીની SOGએ કાઢી 'હવા' - જુઓ Video
ભાવનગરમાં કોંગ્રેસે 22 વર્ષિય કોલેજિયન દીકરીને આપી ટિકિટ
ભાવનગરમાં કોંગ્રેસે 22 વર્ષિય કોલેજિયન દીકરીને આપી ટિકિટ
ચોટીલામાં કોંગ્રેસનો અનોખો દાવ, કિન્નર ઉમેદવાર વૈશાલી દેવીને આપી ટિકિટ
ચોટીલામાં કોંગ્રેસનો અનોખો દાવ, કિન્નર ઉમેદવાર વૈશાલી દેવીને આપી ટિકિટ
ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ કોંગ્રેસમાં જોડાયા
ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ કોંગ્રેસમાં જોડાયા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મામલે મોટા સમાચાર
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મામલે મોટા સમાચાર
પ્રચાર માટે આવેલા ઉમેદવારોને લોકોએ લીધા ઉધડા
પ્રચાર માટે આવેલા ઉમેદવારોને લોકોએ લીધા ઉધડા
ભારતમાં વર્ષ 2026ના ચોમાસાને લઈ ચિંતાજનક અનુમાન
ભારતમાં વર્ષ 2026ના ચોમાસાને લઈ ચિંતાજનક અનુમાન
નાણાકીય બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, થાક અને તણાવમાંથી રાહત મળશે
નાણાકીય બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, થાક અને તણાવમાંથી રાહત મળશે
g clip-path="url(#clip0_868_265)">