AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ખાદ્ય સુરક્ષા હાંસલ કરવા માટે ફૂડ ફ્યુચરિઝમ: જાણો નિષ્ણાતોના સૂચન

ખોરાકના ભાવિ ફરીથી કલ્પના કરવાનો સમય આવ્યો છે. ભારત તેના ખાદ્યપદાર્થોની પર્યાપ્તતા હાંસલ કરવાના પ્રયાસોમાં ઘણું આગળ વધ્યું છે. રાસાયણિક જંતુનાશકો (Chemical pesticides) પર નિર્ભરતા ઘટાડીને સંતુલિત આહાર માટે સ્વસ્થ, પૌષ્ટિક ખોરાકની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવુ તે ભારત માટે આગળ લક્ષ્યાંક છે.

ખાદ્ય સુરક્ષા હાંસલ કરવા માટે ફૂડ ફ્યુચરિઝમ: જાણો નિષ્ણાતોના સૂચન
Protein (Symbolic Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 20, 2022 | 6:42 PM
Share

આજે વિજ્ઞાન અને ટેક્નોલોજીએ (Science & Technology) મનુષ્યની રહેવા, ખાવાની અને મુસાફરી કરવાની રીતમાં ક્રાંતિ કરી છે. આબોહવા પરિવર્તન અને રોગચાળા જેવા પડકારોનો સામનો કરતી વખતે, ભારતને (India) વધુ સુરક્ષિત, ટકાઉ અને મહેનતને ન્યાય આપે તેવી ખાદ્ય પ્રણાલીની જરૂર છે. નિષ્ણાતો સૂચવે છે કે ટેક્નોલોજીનો ઉપયોગ, કૃષિ ક્ષેત્રે ઉભરતી નવીનતાઓ અને આનુવાંશિક રીતે સાંશોધિત ખોરાક ભારતને ખાદ્ય સુરક્ષા હાંસલ કરવામાં, જાહેર આરોગ્ય સ્થિતિ સ્થાપકતાનું નિર્માણ કરવામાં અને પ્રોટિનની ગુણવત્તા અને પોષણક્ષમતા વધારવામાં મદદ કરી શકે છે.

“આજે ઉચ્ચ ગુણવત્તાયુક્ત ખોરાકનું ઉત્પાદન કરવા માટે શ્રેષ્ઠ આનુવાંશિક આધારિત ટેક્નોલોજી ઉપલબ્ધ છે. હું જીએમ ખોરાકના ઉત્પાદન માટે આનુવંશિક ઇજનેરીનો ઉલ્લેખ કરી રહ્યો છું. જ્યારેઆપણે આપણા ખોરાકની માત્રા અને ગુણવત્તા વધારવા માટે સંવર્ધનની પરાંપરાગત પદ્ધતિઓનો ઉપયોગ કરી રહ્યા છીએ, ત્યારે આજના સમયમાં જો આપણે આપણા ખોરાકમાં ચોક્કસ મિનરલ્સ અને અને પોષણ ઉમેરવા માાંગતા હોઈએ તો આનુવાંશિક ઈજનેરી, અને તાજેતરમાં વિકસિત જીનોમ સંપાદનની ટેકનોલોજી વિશ્વમાં પ્રચલિત છે.” પ્રો. કે.સી. બાંસલ, ભૂતપૂર્વ નિયામક, ICAR-નેશનલ બ્યુરો ઑફ પ્લાન્ટ જિનેટિક રિસોર્સિસ, નવી દિલ્હીએ કહ્યું.

આનુવાંશિક રીતે એન્જિનિયર્ડ ખાદ્યપદાથો ભારતને કેવી રીતે લાભ આપી શકે છે તે દર્શાવતા, ડૉ. બાંસલ સૂચવે છે કે સરકારે કૃષિમાં નવી તકનીકને પ્રોત્સાહન આપવું જોઈએ.

“ભારતમાાં, તેલીબિયાં અને કઠોળ પાકો પર વધુભાર આપવાની જરૂર છે. ચણા અને તુવેર જેવા કઠોળને પોડ બોરર (H. armigera) નામની જીવાતથી પ્રતિકૂળ અસર થાય છે. આ અને અન્ય પાકોના રક્ષણ માટે જીનેટિક મોડિફિકેશન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને અમે અપેક્ષા રાખીએ છીએ કે ભારત સરકાર આ ટેકિોલોજીને વધુર વિલંબ કર્યા વિના ખેડૂતોના ખેતરોમાં લાવે. પાકને આ વિનાશક જીવાતો અને પેથોજેન્સથી બચાવવા જંતુનાશકો પરની નિર્ભરતા ઘટાડવા માટે આ તકનીકોનો ઉપયોગ કરવાનો વિચાર છે. આથી, જીએમ ટેક્નોલોજી માત્ર ખોરાકના જથ્થાને જ નહી પરંતુ તેની ગુણવત્તા વધારવામાં પણ મદદ કરશે,” પ્રો. બાંસલેસૂચવ્યું.

જીવાતોનો સામનો કરવા ઉપરાંત, ખાદ્ય વિજ્ઞાન ફોર્ટીફાઇડ અને પૌષ્ટિક પ્રોટીન-સમૃદ્ધ ખોરાકના વિકલ્પો પ્રદાન કરવામાં ખૂબ જ ઉપયોગી છે. આ ભારતની પોષણ સુરક્ષાની યાત્રામાં નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે.

“આપણે એક સમુદાય તરીકે, ઉદ્યોગ અને સરકારે એકસાથે આવવું જોઈએ અને ખાદ્ય વિજ્ઞાનનો લાભ ઉઠાવવો જોઈએ જેથી સ્વાદિષ્ટ અને પોષણક્ષમ ભાવે મળતા ખોરાકની રચના કરી શકાય. આનાથી ગ્રાહકોને તેમના રોજિંદા જીવનમાં યોગ્ય ખોરાકની પસંદગી લાગુ કરવામાં મદદ મળી શકે છે. ખાદ્ય વિજ્ઞાનના ઉપયોગથી ઘણો ફાયદો થઈ શકે છે. શાકાહારી માાંસ (Plant based meat) જેવા ઉત્પાદનોને પ્રાધાન્ય મળી રહ્યું છે. આ નવીન ઉત્પાદનો સફળતાપૂર્વક માંસના સ્વાદનું અનુકરણ કરી રહ્યા છે જે ગ્રાહકોના મનમાં છે અને તે પ્રેમ કરે છે, અને તે પબ્લિક અને પ્લેનેટરી હેલ્થ માટે ખૂબ જ સારું છે.” ધ ગુડ ફૂડ ઇન્સ્ટિટ્યૂટના મેનેજિંગ ડિરેક્ટર વરુણ દેશપાાંડે દ્વારા સૂચન આપવામાં આવ્યું.

ન્યુટ્રીવેલ હેલ્થ ઈન્ડિયાના સ્થાપક, જાણીતા ન્યુટ્રીશનિસ્ટ ડૉ. શિખા શર્મા સૂચવે છે કે ફૂડ સાયન્સનો ઉપયોગ ફૂડ પ્રોસેસિંગ, સ્ટોરેજ અને ટ્રાન્સપોર્ટના સંદર્ભમાં બગાડને પણ ઘટાડી શકે છે.

“શાકભાજી જેવી લગભગ 60 ટકા તાજી પેદાશો નાશ પામે છે કારણ કે તે વેરહાઉસમાં યગ્ય રીતે સંગ્રહિત નથી કરવામાં આવતી અથવા પરિવહન દરમિયાન સુરિક્ષત નથી. અમે અસંખ્ય કિસ્સાઓ જોયા છે જ્યાં અયોગ્ય સંગ્રહને કારણે અથવા ઉંદરો દ્વારા અનાજનો ખાસો મોટો બગડ્યા હોય. ખાદ્ય સંગ્રહ, પ્રક્રીયા અને વિતરણ માટે વૈજ્ઞાનિક તકનિકોનો સમાવેશ કરવાથી ખાદ્ય સુરક્ષામાં નોંધપાત્ર સુધારો થશે,” ડૉ શિખા શર્માએ અવલોકન કર્યુ.

મર્યાદિત સાંસાધનો સાથે ખાદ્ય અનાજના ઉત્પાદન વધારવામાં ટેક્નોલોજીની ભૂમિકા પર ભાર મૂકતા પ્રો. બાંસલ સૂચવે છે કે, “બીજ એ ખાદ્ય ઉત્પાદન માટે મૂળભૂત ઈનપુટ છે. જીનોમ એડિટિંગ જેવી નવી તકનિકો ઓછા કૃષિ રસાયણો અને ઓછી જમીન, પાણી અને ખાતરનો ઉપયોગ કરીને શ્રેષ્ઠ ઉત્પાદન પ્રદાન કરવા માટે બીજને વધારવામાં સક્ષમ છે. જો ભારત નજીકના ભવિષ્યમાં તેના ખાદ્ય અનાજના ઉત્પાદનને 300 મિલિયન ટનથી વધારવા માંગે છે, ખાસ કરીને ટકાઉ રીતે, તો આપણે આ સારી રીતે પરીક્ષણ કરેલ અને સાબિત તકનિકોને અપનાવવાની જરૂર પડશે.”

ફૂડ સાયન્સ અને ટેક્નોલોજીમાં પ્રગતિ કરવા સાથે, ફૂડ ફ્યુચરિઝમ ખરેખર ભારતને પોષણ અને ખાદ્ય સુરક્ષા તરફ આગળ વધવામાં મદદ કરશે.

આ પણ વાંચો: Natural Sugar: ખાંડને બદલે આ કુદરતી સ્વીટનરનો ઉપયોગ કરો, સ્વાસ્થ્યને પણ મળશે અનેક ફાયદા

આ પણ વાંચો: Turmeric for Skin Care: ચહેરાની ચમક વધારવા માટે આ 5 રીતે હળદરનો ઉપયોગ કરો

પરિવારના સભ્યોની સલાહ બનશે વરદાન; વ્યાવસાયિક ક્ષમતા વધારવા ઉત્તમ સમય
પરિવારના સભ્યોની સલાહ બનશે વરદાન; વ્યાવસાયિક ક્ષમતા વધારવા ઉત્તમ સમય
મંત્રી મનીષા વકીલનું વિઝન: આંગણવાડીની કાયાપલટ અને કુપોષણ સામે જંગ
મંત્રી મનીષા વકીલનું વિઝન: આંગણવાડીની કાયાપલટ અને કુપોષણ સામે જંગ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવા કોંગ્રેસે રાજ્યસ્તરની 7 કમિટી રચી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવા કોંગ્રેસે રાજ્યસ્તરની 7 કમિટી રચી
ઈરાન-ઇઝરાયેલ યુદ્ધ વચ્ચે ગુજરાતમાં ફેલાઈ અફવા !
ઈરાન-ઇઝરાયેલ યુદ્ધ વચ્ચે ગુજરાતમાં ફેલાઈ અફવા !
મરી ગયેલ હડકાઈ ભેસનુ દૂઘ પિનારાઓએ રસી લેવા કરી દોડાદોડી
મરી ગયેલ હડકાઈ ભેસનુ દૂઘ પિનારાઓએ રસી લેવા કરી દોડાદોડી
રમેશભાઈ ઓઝા એ રીલના યુગમાં સનાતન પર ચિંતા વ્યક્ત કરી, જુઓ-Video
રમેશભાઈ ઓઝા એ રીલના યુગમાં સનાતન પર ચિંતા વ્યક્ત કરી, જુઓ-Video
10 ગીગાવોટ ઉત્પાદનનું અમારુ લક્ષ્યાંક : ડૉ. ફારૂક પટેલ
10 ગીગાવોટ ઉત્પાદનનું અમારુ લક્ષ્યાંક : ડૉ. ફારૂક પટેલ
મોહન ભાગવત બે દિવસીય ગુજરાત મુલાકાતે
મોહન ભાગવત બે દિવસીય ગુજરાત મુલાકાતે
બે દિવસમાં એક જ સોસાયટીમાં લિફ્ટમાં ફસાવાના બે બનાવ
બે દિવસમાં એક જ સોસાયટીમાં લિફ્ટમાં ફસાવાના બે બનાવ
અમદાવાદમાં મોડી રાત્રે 3 ફેક્ટરીમાં લાગી આગ,એક ઘટનામા 2 વ્યક્તિ દાઝ્યા
અમદાવાદમાં મોડી રાત્રે 3 ફેક્ટરીમાં લાગી આગ,એક ઘટનામા 2 વ્યક્તિ દાઝ્યા
g clip-path="url(#clip0_868_265)">