Thalassemia: થેલેસેમિયાને ખતમ કરવા માટે રાષ્ટ્રીય મિશન પણ થશે શરૂ, જાણો ક્યારે ખતમ થશે આ રોગ
Thalassemia : કેન્દ્રીય આદિજાતિ બાબતોના પ્રધાન અર્જુન મુંડાએ જણાવ્યું હતું કે, થેલેસેમિયા નાબૂદ કરવા માટે સામૂહિક પરીક્ષણ અને જાગૃતિ ફેલાવવાની જરૂર છે.

Thalassemia : થેલેસેમિયા એક જીવલેણ રોગ છે અને દર વર્ષે તેના કેસ વધી રહ્યા છે. આવી સ્થિતિમાં આ રોગથી બચવું પણ ખૂબ જ જરૂરી બની ગયું છે. આવી સ્થિતિમાં સરકાર હવે આ રોગને દૂર કરવા માટે રાષ્ટ્રીય મિશન શરૂ કરશે. આગામી 25 વર્ષમાં થેલેસીમિયા નાબૂદ કરવાનું સરકારનું લક્ષ્ય છે. કેન્દ્રીય આદિજાતિ બાબતોના મંત્રી અર્જુન મુંડાએ દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં વિશ્વ થેલેસેમિયા દિવસના અવસરે આ વાત કહી અને લોકોને થેલેસીમિયા મુક્ત ભારત માટે જાગૃત થવા હાકલ કરી છે.
આ પણ વાંચો : Surat : પોલીસ દ્વારા થેલેસેમિયાગ્રસ્ત દર્દી માટે રક્ત એકત્ર કરવાની ઝુંબેશ, ગૃહપ્રધાન, CP સહીતનાએ કર્યુ રક્તદાન
તેમણે કહ્યું કે, થેલેસેમિયા નાબૂદ કરવા માટે સામૂહિક પરીક્ષણો વધારવાની અને જાગૃતિ ફેલાવવાની જરૂર છે. આ રોગને રોકવા માટે રાષ્ટ્રીય મિશન મોડ પર નિવારણ અને તપાસ અભિયાન ચલાવવાની જરૂર છે. થેલેસેમિયા માટે સિકલ સેલ એનિમિયા જેવા આદિવાસી વિસ્તારોમાં મોટા પાયે પરીક્ષણ અને નિવારણ કરવું પડશે. આગામી 25 વર્ષમાં આ બંને રોગોને ખતમ કરવાનું સરકારનું લક્ષ્ય છે. આ પ્રસંગે લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે, દેશમાં બધા માટે થેલેસેમિયા માટે સ્ક્રીનિંગ શરૂ કરવાની સખત જરૂર છે. સૌના સામૂહિક પ્રયાસોથી આ રોગને નાબૂદ કરી શકાય છે.
સર ગંગારામ હોસ્પિટલમાં ટેસ્ટિંગ સેન્ટર થયું શરૂ
સર ગંગારામ હોસ્પિટલમાં કેરિયર ડિટેક્શન માટે પોઈન્ટ ઓફ કેર ટેસ્ટિંગ પણ શરૂ કરવામાં આવ્યું હતું. ભારતમાં આ પ્રકારનું આ પ્રથમ પરીક્ષણ કેન્દ્ર છે. હોસ્પિટલના હેમેટોલોજી અને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ વિભાગના એચઓડી, ડો. અનુપમ સચદેવાએ જણાવ્યું હતું કે, 2006 થી, સર ગંગા રામ હોસ્પિટલ સગર્ભા સ્ત્રીઓમાં થેલેસેમિયા માટે પરીક્ષણો કરે છે. હવે 50 હજારથી વધુ ટેસ્ટ કરવામાં આવ્યા છે. અત્યાર સુધી એક પણ બાળક થેલેસેમિયાનો શિકાર બન્યું નથી.
થેલેસેમિયાથી બચવા માટે ટેસ્ટિંગ જરૂરી છે
હોસ્પિટલના બાળરોગ વિભાગના અધ્યક્ષ ડૉ.વી.કે.ખન્નાએ જણાવ્યું હતું કે, થેલેસેમિયાની સારવાર માટે સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ પણ કરવામાં આવે છે, પરંતુ હજુ પણ આ રોગને અટકાવવાની ખૂબ જ જરૂર છે. આ એક ખતરનાક બ્લડ ડિસઓર્ડર છે. જેમાં શરીરની અંદર લોહીની ઉણપ જોવા મળે છે. આ કારણોસર દર થોડાં દિવસે લોહી ચઢાવવું જરૂરી છે. આવી સ્થિતિમાં દંપતીએ બાળકની યોજના કરતા પહેલા આ રોગની તપાસ કરાવવી જરૂરી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર