AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચેતી જજો: શિયાળામાં ન્યુમોનિયા રોગ થવાનું વધી જાય છે જોખમ, જાણો કારણો અને બચવાના ઉપાય

શિયાળાની ઋતુમાં ઘણા પ્રકારના બેક્ટેરિયા સક્રિય થઈ જાય છે. આ બેક્ટેરિયા ફેફસામાં ચેપનું કારણ બને છે. જે ન્યુમોનિયાનું કારણ બને છે. આ કારણે પીડિતના ફેફસામાં પ્રવાહી ભરાય છે. જેના કારણે વારંવાર ઉધરસ અને છાતીમાં દુખાવાની ફરિયાદ રહે છે

ચેતી જજો: શિયાળામાં ન્યુમોનિયા રોગ થવાનું વધી જાય છે જોખમ, જાણો કારણો અને બચવાના ઉપાય
Winter Health: Pneumonia disease reasons and preventive measures
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 15, 2021 | 6:34 PM
Share

Winter Health: શિયાળાની ઋતુમાં ન્યુમોનિયાની (Pneumonia) સમસ્યા ખૂબ જ વધી જાય છે. જો કે આ રોગના લક્ષણો (Pneumonia Symptoms) એવા છે કે જલ્દી જ ખ્યાલ આવી જાય છે, પરંતુ જો સમયસર તેની ઓળખ કરીને સારવાર ન કરવામાં આવે તો આ સમસ્યા ઘાતક પણ બની શકે છે. કેટલાક કિસ્સાઓમાં દર્દી મૃત્યુ પણ પામે છે. ચાલો જાણીએ કે ન્યુમોનિયા શા માટે થાય છે અને તેના લક્ષણ શું છે.

તબીબોના મતે શિયાળાની ઋતુમાં ઘણા પ્રકારના બેક્ટેરિયા સક્રિય થઈ જાય છે. આ બેક્ટેરિયાના કારણે ફેફસામાં ઈન્ફેક્શન થાય છે. જે ન્યુમોનિયાનું કારણ બને છે. આ કારણે પીડિતના ફેફસામાં પ્રવાહી ભરાય છે. જેના કારણે વારંવાર ઉધરસ અને છાતીમાં દુખાવાની ફરિયાદ રહે છે. જો કે, જો આ રોગના લક્ષણો યોગ્ય સમયે ઓળખવામાં આવે, તો તેનો સરળતાથી ઈલાજ કરી શકાય છે. છાતીના એક્સ-રે દ્વારા પણ ન્યુમોનિયા વિશે જાની શકાય છે. દર્દીને એન્ટિબાયોટિક્સથી સારવાર આપવામાં આવે છે. આ રોગ એકથી બે અઠવાડિયામાં ઠીક થઈ જાય છે.

બાળકો અને વૃદ્ધોએ સાવધાન રહેવાની જરૂર છે

એવા લોકોને વારંવાર ન્યુમોનિયાનો રોગ થાય છે. જેમને એલર્જી છે અથવા જેમની રોગપ્રતિકારક શક્તિ નબળી છે. ન્યુમોનિયાના મોટાભાગના કેસો બાળકો અને વૃદ્ધોમાં જોવા મળે છે. જે લોકોને અસ્થમા અથવા ફેફસાં સંબંધિત અન્ય કોઈ સમસ્યા છે. તેઓ ન્યુમોનિયાની ફરિયાદ પણ કરી શકે છે.

આ ન્યુમોનિયાના લક્ષણો છે

સતત ઉધરસ શ્વસન તકલીફ છાતીમાં દુખાવો કફ સાથે ઉધરસ ઠંડી લાગવી શ્વાસ લેતી વખતે ઘરઘરાટ જેવો અવાજ

વેક્સિનથી રાહત મળશે

Tv9 ભારતવર્ષના અહેવાલ અનુસાર મૂળચંદ હોસ્પિટલના ડોક્ટર ભવાન મંત્રી જણાવે છે કે જે લોકોના ફેફસા નબળા પડી ગયા છે તેઓને ફ્લૂની વેક્સિન લેવી જોઈએ. આ રસી હોસ્પિટલોમાં સરળતાથી ઉપલબ્ધ છે. તેને લગાવ્યા બાદ ન્યુમોનિયા, બ્રોન્કાઇટિસ અને ફેફસાને લગતી અન્ય બીમારીઓથી ઘણી રાહત મળે છે.

સ્વચ્છતાની કાળજી લો

ડોક્ટરના મતે બેક્ટેરિયાના ચેપથી બચવા માટે સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. ખોરાક લેતા પહેલા હાથ સાબુથી ધોઈ લો. આ સિવાય શિયાળામાં બહાર જતી વખતે ગરમ કપડાં પહેરો. છાતી અને માથા પર હવા ન લાગવા દો. ગરમ પાણી પીવો અને અઠવાડિયામાં એક વાર નાસ લો.

આ પણ વાંચો: કેવી રીતે કરાય છે ઓમિક્રોનનું ટેસ્ટિંગ? જીનોમ સિકવન્સ શું છે? જાણીએ GBRCના બાયોલોજીસ્ટ પાસેથી

આ પણ વાંચો: Health News : થાઇરોઇડના દર્દીઓએ દવા લેતી વખતે આ ભૂલો ક્યારેય ન કરવી જોઈએ

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
g clip-path="url(#clip0_868_265)">