AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Home Remedies: ત્વચા પર લાલ ફોલ્લીઓ દેખાવાથી પરેશાન છો ? તો આ ઘરગથ્થુ ઉપચારની મદદ લો

કેટલીકવાર ખોટા તેલ અથવા ક્રીમનો ઉપયોગ પણ લાલ ચકામા થવાનું કારણ હોઈ શકે છે. તેનાથી રાહત માટે અસરગ્રસ્ત વ્યક્તિ ઘરેલું ઉપાય પણ અપનાવી શકે છે. અમે તમને આવા જ કેટલાક ઘરેલું ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

Home Remedies: ત્વચા પર લાલ ફોલ્લીઓ દેખાવાથી પરેશાન છો ?  તો આ ઘરગથ્થુ ઉપચારની મદદ લો
Tips for red spots on the skin (Image- social media)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 11, 2022 | 6:52 PM
Share

હવામાનમાં ફેરફાર, પ્રદૂષણ કે ખોરાકને કારણે ત્વચાને ક્યારેક ખંજવાળ ઉપરાંત એલર્જીનો પણ સામનો કરવો પડે છે. હવામાનમાં થોડો ફેરફાર અથવા ધૂળ અને માટીની અસર સૌ પ્રથમ ત્વચા પર દેખાય છે. ઘણા લોકોની ત્વચા એટલી સંવેદનશીલ (Sensitive Skin) હોય છે કે એલર્જી દરમિયાન તેમને લાલ ચકામા આવે છે. હવામાન ઠંડું હોય (winters skin care tips) કે ગરમ, સૌપ્રથમ અસર ત્વચા પર જ જોવા મળે છે. આ લાલ ચકામાઓને કારણે અસરગ્રસ્ત વ્યક્તિની ત્વચા પર ખંજવાળ અને બળતરા થવા લાગે છે. કલાકો સુધી ખંજવાળ (Skin allergies) આવે છે અને દાઝી જવાને કારણે દુખાવો પણ ખૂબ જ થાય છે.

નાળિયેર તેલ

ત્વચા માટે ખૂબ જ અસરકારક, નાળિયેર તેલ મોઇશ્ચરાઇઝિંગ ગુણધર્મોથી ભરપૂર છે. તેમાં હાજર એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણ ત્વચા પરની એલર્જીને દૂર કરવાની ક્ષમતા ધરાવે છે. નાળિયેર તેલને ત્વચાની સંભાળમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે, કારણ કે ડોક્ટરો પણ તેના ઉપયોગની ભલામણ કરે છે. જ્યાં પણ તમે ત્વચા પર લાલ ચકામાની સમસ્યાનો સામનો કરી રહ્યાં હોવ ત્યાં ફક્ત નારિયેળ તેલ લગાવો. તે વિસ્તારને હળવા હાથે મસાજ કરો અને પછી તેને હૂંફાળા પાણીથી સાફ કરો. તેનાથી ઘણી રાહત મળશે.

કુંવરપાઠુ

એવું કહેવાય છે કે તેમાં હીલિંગ ક્વોલિટી હોય છે અને આ કારણથી તે ત્વચાને લગતી સમસ્યાઓને દૂર કરવામાં અસરકારક માનવામાં આવે છે. ત્વચામાંથી ખંજવાળ અને એલર્જી ઉપરાંત, એલોવેરા તેને ચમકદાર અને હાઇડ્રેટેડ રાખવાનું પણ કામ કરે છે. તમે ફક્ત એલોવેરા જેલને મેશ કરો અને તેને અસરગ્રસ્ત વિસ્તાર પર લગાવો અને થોડીવાર પછી તેને સાદા પાણીથી દૂર કરો. આમ કરવાથી એલર્જીને ઘણી હદ સુધી દૂર કરી શકાય છે.

તુલસી

તુલસીના ઔષધિય ગુણોને કારણે માત્ર ત્વચા જ નહીં પેટને પણ સ્વસ્થ રાખી શકાય છે. ત્વચા માટે તેના પાંદડાને પીસીને પેસ્ટ બનાવો અને તેમાં મધ ઉમેરો. જો તમે ઇચ્છો તો તુલસીના પાનની પેસ્ટ પણ ત્વચા પર લગાવી શકો છો. તેને લગાવવાથી ત્વચા પરની લાલાશ, ખંજવાળ અને દુખાવો દૂર થાય છે.

નોંધ: આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો.

આ પણ વાંચો: Health Tips: શરીરમાં જો દેખાય આ તકલીફ તો ના કરો ઈગ્નોર, આપે છે પ્રોટીનની ઉણપના સંકેત

આ પણ વાંચો: Ayurveda Tips : કોરોનાના ભય વચ્ચે આ જડીબુટ્ટીઓ રાખશે તમને એકદમ ફિટ, જાણો વિગત

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
g clip-path="url(#clip0_868_265)">