શું તમને પણ છે વારંવાર પેશાબ જવાની સમસ્યા? આ ટિપ્સથી સમસ્યા થશે છૂમંતર

Urination problem : નિષ્ણાતોના મતે જો કોઈ વ્યક્તિ દિવસમાં 8થી વધુ વખત પેશાબ કરવા જાય છે તો તે ચિંતાનો વિષય બની શકે છે. શરીરમાં કોઈ સમસ્યાને કારણે આવું થઈ શકે છે અને તેને નજરઅંદાજ કરવું ભારે પડી શકે છે.

શું તમને પણ છે વારંવાર પેશાબ જવાની સમસ્યા? આ ટિપ્સથી સમસ્યા થશે છૂમંતર
Urination ProblemImage Credit source: freepik
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 24, 2022 | 11:16 PM

બદલતી લાઈફસ્ટાઈલ (Lifestyle) અને વાતાવરણ વચ્ચે દરેક વ્યક્તિ કોઈને કોઈ સમસ્યાનો સામનો કરતા હોય છે. જેમાં શારીરિક સમસ્યાઓનો સમાવેશ થાય છે. વર્ષોથી ભારતમાં બીમારીઓ દૂર કરવા માટે લોકો પહેલા ઘરેલૂ ઉપાયો કરતા હોય છે. જેનાથી બીમાર વ્યક્તિને જટીલથી જટીલ બીમારીમાંથી પણ રાહત મળતી હોય છે. કેટલાક લોકોને વારંવાર પેશાબ જવાની સમસ્યા હોય છે, પરંતુ તેઓ આ સ્થિતિને સામાન્ય ગણીને અવગણવા લાગે છે. નિષ્ણાતોના મતે જો કોઈ વ્યક્તિ દિવસમાં 8થી વધુ વખત પેશાબ કરવા જાય છે તો તે ચિંતાનો વિષય બની શકે છે. શરીરમાં કોઈ સમસ્યાને કારણે આવું થઈ શકે છે અને તેને નજરઅંદાજ કરવું ભારે પડી શકે છે. વારંવાર પેશાબ થવાથી દિનચર્યામાં પણ તકલીફ થાય છે અને રાત્રે ઊંઘમાં ખલેલ પડે છે. તેની પાછળ ઘણા કારણો હોઈ શકે છે, જેમાં યુરિન ઈન્ફેક્શન (Urine infection), પેશાબના માર્ગમાં પથરી, ગર્ભાવસ્થા વગેરે સામેલ છે. જે લોકો ડાયાબિટીસથી પીડિત છે તેમને વારંવાર પેશાબની સમસ્યા પણ રહે છે.

આ સમસ્યાને ડાયાબિટીસની નિશાની પણ માનવામાં આવે છે. જે લોકો દારૂનું વધુ પડતું સેવન કરે છે, ચિંતામાં રહે છે, તેમને પણ આ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. અતિશય પેશાબના કિસ્સામાં, તમારે તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. જો કે, કેટલાક ઘરેલું ઉપાય છે, જેને અપનાવીને આ સમસ્યાને ઘણી હદ સુધી ઓછી કરી શકાય છે.

વારવાર પેશાબ આવવાની સમસ્યામાંથી રાહત મેળવવાના ઘરેલૂ ઉપાય

આમળા

આમળામાં વિટામિન સી ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે ઘણા પોષક તત્વોથી ભરપૂર છે. તે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારે છે. જો તમે વારંવાર પેશાબથી છુટકારો મેળવવા માંગો છો, તો આમળાનું સેવન કરો અને રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરો. આમળાને પીસીને તેમાં મધ મિક્સ કરીને તેનું સેવન કરો.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

દહીં

દહીંમાં હાજર એન્ટીબાયોટીક્સ શરીરમાં રહેલા ટોક્સિન્સ અને બેક્ટેરિયાને નષ્ટ કરવાનું કામ કરે છે. દહીંનું સેવન તમને પાચનતંત્ર અને કિડનીને સ્વસ્થ રાખવામાં મદદ કરશે. જો કિડની સાફ રહે છે, તો વારંવાર પેશાબની સમસ્યા ઓછી થશે. દરરોજ સવારે મર્યાદિત માત્રામાં દહીં ખાઓ અને સ્વસ્થ રહો.

મેથીના દાણા

આ સમસ્યામાંથી રાહત મેળવવા માટે તમારે દરરોજ મેથીના દાણામાંથી બનાવેલું પાણી પીવું પડશે. આ માટે મેથીના દાણાને આખી રાત પાણીમાં પલાળી રાખો. સવારે આ પાણીમાં ઉકાળો અને પીવો.

તજ

સ્વાસ્થ્ય જાળવવા માટે આયુર્વેદમાં પણ તજની ભલામણ કરવામાં આવી છે. જો તમે ઇચ્છો તો દરરોજ સવારે પાણીમાં તજનો પાવડર મિક્સ કરીને પી શકો છો.

નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">