AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સ્ટડીમાં દાવો: લાંબા આયુષ્ય માટે આ 2 ફળો અને 3 શાકભાજીને આહારમાં શામેલ કરો, રોગ રહેશે દુર

સંશોધકોના જણાવ્યા મુજબ, તમામ ફળો અને શાકભાજી દીર્ધાયુષ્ય માટે ફાયદાકારક નથી. કેટલાક ફળો અને શાકભાજી વધુ સારા છે. શાકભાજીમાં વધુ પાંદડા અને ઓછા સ્ટાર્ચ હોવા જોઈએ.

સ્ટડીમાં દાવો: લાંબા આયુષ્ય માટે આ 2 ફળો અને 3 શાકભાજીને આહારમાં શામેલ કરો, રોગ રહેશે દુર
Harvard Study: Include these 2 fruits and 3 vegetables in the diet for longevity
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 06, 2021 | 7:33 AM
Share

આપણે બધા જાણીએ છીએ કે સ્વસ્થ અને લાંબા જીવન માટે તંદુરસ્ત આહારનું પાલન કરવું મહત્વપૂર્ણ છે. તમારો આહાર વિટામિન્સ અને મિનરલ્સથી સમૃદ્ધ હોવો જોઈએ જે તમને સ્વસ્થ અને ફિટ રાખે. જ્યારે મોટાભાગના લોકોને લાગે છે કે લાંબુ જીવન જીવવા માટે માંસ અને ઇંડાનું સેવન કરવું જરૂરી છે. હાવર્ડના એક સંશોધને આ આ માન્યતાને ફગાવી દીધી છે, જે કહે છે કે તંદુરસ્ત જીવન માટે લીલા શાકભાજી અને ફળો વધુ મહત્વના છે.

હોવર્ડના અભ્યાસ મુજબ, લાંબા આયુષ્ય માટે ખોરાકમાં વધુ ફળો અને શાકભાજીનું સેવન કરવું જોઈએ. હા, કોઈ માંસ અથવા ચિકન નથી જે તમને લાંબા સમય સુધી જીવવામાં મદદ કરી શકે, પરંતુ લીલા શાકભાજી અને ફળો તમારી આંતરિક સિસ્ટમને મજબૂત બનાવે છે અને જીવલેણ રોગોના જોખમને ઘટાડવામાં મદદ કરે છે.

માર્ચ 2021 માં અમેરિકન હેલ્થ એસોસિએશન દ્વારા બહાર પાડવામાં આવેલા અને હાર્વર્ડ ટીએચ ચાન સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના સંશોધકો દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સંતુલિત માત્રામાં ફળો અને શાકભાજી ખાવા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. દરરોજ માત્ર 2 ફળો અને 3 શાકભાજી ખાવાથી મૃત્યુ દર ઘટાડી શકાય છે. તેમજ આનાથી વધારે ખાવાથી કોઈ ફાયદો નથી. અભ્યાસના મુખ્ય લેખક ડોંગ ડીએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, “બે ફળો અને 3 લીલા શાકભાજી ખાવાથી શરીરમાં પર્યાપ્ત કુદરતી ઉત્પાદનો મળે છે જે ગંભીર રોગોથી છુટકારો મેળવવામાં મદદ કરે છે.

સંશોધકોના જણાવ્યા મુજબ, તમામ ફળો અને શાકભાજી દીર્ધાયુષ્ય માટે ફાયદાકારક નથી. કેટલાક ફળો અને શાકભાજી વધુ સારા છે. શાકભાજીમાં પાનની માત્રા વધુ અને સ્ટાર્ચ ઓછો હોવો જોઈએ.

કઈ શાકભાજી ખાવી જોઈએ?

લીલા પાંદડાવાળા શાકભાજી – પાલક, કોબી, સલગમ ગ્રીન્સ બીટા કેરોટિનથી સમૃદ્ધ શાકભાજી – ગાજર, શક્કરીયા, બ્રોકોલી ખાટ્ટા ફળો- જામુન, નારંગી, શેતૂર, સ્ટ્રોબેરી

આ સિવાય બીજી ઘણી વસ્તુઓ છે જે ઉંમર વધારવામાં મદદ કરે છે. તમે મેડિટેરિયન ડાયટ લો. કેટલાક અભ્યાસોએ દાવો કર્યો છે કે મેડિટેરિયન આહાર હૃદય અને ટાઈપ 2 ડાયાબિટીસનું જોખમ ઘટાડે છે. આ સિવાય હૃદય સંબંધિત રોગોને ઘટાડવામાં પણ મદદ કરે છે.

આ પણ વાંચો: Fitness: તમારી વધતી ઉંમરની અસરને રોકશે આ આસાન યોગાસન, હંમેશા લાગશો ફીટ એન્ડ ફાઈન!

આ પણ વાંચો: આમળા છે કમાલ: શું તમે જાણો છો આમળાથી થતા આ 6 સ્વાસ્થ્ય લાભો વિશે?

(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

Follow Us
ખેડૂતોના અધિકાર માટે કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રા
ખેડૂતોના અધિકાર માટે કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રા
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
મોરબીથી ટ્રેક્ટરો લઈ ખેડૂતો ગાંધીનગર તરફ
મોરબીથી ટ્રેક્ટરો લઈ ખેડૂતો ગાંધીનગર તરફ
જીવનને મળશે નવી દિશા, સગાઈ થઈ ચૂકેલા જાતકોને મળશે ખુશીઓ
જીવનને મળશે નવી દિશા, સગાઈ થઈ ચૂકેલા જાતકોને મળશે ખુશીઓ
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
g clip-path="url(#clip0_868_265)">