AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diwali 2022 : તહેવારોની સિઝનમાં આહારમાં અજમાવો આ ટીપ્સ, સ્વાસ્થય રહેશે સુપર..

દિવાળી જેવા તહેવારોની સીઝનમાં ખાણી-પીણી અને સજાવટ અલગ-અલગ હોવી જોઈએ, પરંતુ આ બધામાં સ્વાસ્થ્ય સાથે રમત કરવી યોગ્ય નથી. અહીં અમે તમને કેટલીક એવી ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ જેના દ્વારા તમે તહેવારોની સિઝનમાં પણ તમારા આહારને હેલ્ધી રાખી શકો છો.

Diwali 2022 : તહેવારોની સિઝનમાં આહારમાં અજમાવો આ ટીપ્સ, સ્વાસ્થય રહેશે સુપર..
Diet tips
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 20, 2022 | 6:30 PM
Share

ડાયટ રૂટીન કરતી વખતે આપણે એ વાતનું ધ્યાન રાખવું પડશે કે એક દિવસમાં કેટલી કેલરી લેવી જોઈએ. બાય ધ વે, તહેવારોની સિઝનમાં મીઠાઈ, ખારી અને અન્ય ખાદ્યપદાર્થો ખાવાનું સામાન્ય છે અને આવી કેલરીનું સેવન વધી જાય છે. સ્વાદમાં અદ્ભુત આ વસ્તુઓ બિનઆરોગ્યપ્રદ છે અને વજન વધારવાનું કામ કરે છે. વજન વધવું અને શરીરમાં શુગર લેવલના વધારાને કારણે શરીરમાં અનેક સ્વાસ્થ્ય (Health) સમસ્યાઓ ઊભી થઈ શકે છે. ભલે દિવાળી (Diwali 2022) જેવા તહેવારોની સીઝનમાં ખાવા-પીવાની વસ્તુઓ અને સજાવટ અલગ-અલગ રહે છે, પરંતુ આ બધામાં સ્વાસ્થ્ય સાથે રમત કરવી પણ યોગ્ય નથી.

તમે શું ખાઓ છો અને કેટલું ખાઈ રહ્યા છો તેના પર ધ્યાન આપવું જરૂરી છે. અહીં અમે તમને કેટલીક એવી ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ જેના દ્વારા તમે તહેવારોની સિઝનમાં પણ તમારા આહારને હેલ્ધી રાખી શકો છો. જાણો…

ઘરે મીઠાઈ બનાવો

બજારમાં મળતી મીઠાઈઓને સ્વાદિષ્ટ બનાવવા માટે તેને બિનઆરોગ્યપ્રદ રીતે તૈયાર કરવામાં આવે છે. તેથી વધુ સારું છે કે તમે ઘરે મીઠાઈઓ તૈયાર કરો. તમને સોશિયલ મીડિયા પર મીઠાઈના વિકલ્પો અને વાનગીઓ બંને મળશે. આવી સ્થિતિમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની સાથે સ્વીટ ખાવાની ઇચ્છા પણ પૂરી થશે.

સ્વસ્થ નાસ્તો પસંદ કરો

તમને બજારમાં આવા ઘણા નાસ્તા મળશે, જે સ્વાદિષ્ટ હોય છે, પરંતુ તેમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓ બિનઆરોગ્યપ્રદ હોય છે. તમારે એવા નાસ્તા પસંદ કરવા જોઈએ, જેમાં ચરબી, ખાંડ અને મીઠું ઓછું હોય. તમે મખાના, ખાખરા, બદામ, સૂકો મેવો અને શેકેલા ચણા ખાઈ શકો છો.

સ્વાસ્થય વર્ધક વસ્તુઓ પસંદ કરો

ખાંડ આસાનીથી મળી જાય છે, જે સસ્તામાં સારો સ્વાદ આપવાનું કામ કરે છે, પરંતુ એ પણ સાચું છે કે તે સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચાડે છે. તમારે ખાંડને બદલે મધ અથવા ગોળ પસંદ કરવો જોઈએ, કારણ કે આ બંનેમાં નેચરલ શુગર હોય છે, પરંતુ તે શરીરને નુકસાન કરતું નથી.

મીલ સ્કિપ ન કરશો

માત્ર તહેવારોની સિઝનમાં જ નહીં, સામાન્ય જીવનમાં પણ વ્યક્તિએ રોજનું ભોજન છોડવું જોઈએ નહીં. જો તમે એક ટાઇમનું ભોજન છોડી દો અને પછી વધારે માત્રામાં ખાશો તો વજન ઝડપથી વધી શકે છે. હેવી બ્રેકફાસ્ટ હંમેશા રૂટીનનો ભાગ બનાવો. ધ્યાનમાં રાખો કે તમારા નાસ્તામાં પ્રોટીનનું પ્રમાણ વધારે માત્રામાં રહે. આ સિવાય દર બે-ત્રણ કલાક પછી પોષક તત્વોથી ભરપૂર વસ્તુઓનું સેવન કરવાનું રાખો.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">