આ માન્યતા સાચી છે કે ખોટી ? ગર્ભાવસ્થા દરમિયાન આ વસ્તુ ખાવાથી તમારા બાળકના રંગ પર અસર થાય છે ?
લોકોમા અનેક ખોટી માન્યતાના કારણે કેટલીક વાર ખરાબ સ્થિતીનો સામનો કરવો પડે છે. જેમા એક એવી પણ માન્યતા છે કે જો મહિલાઓ ગર્ભવસ્થામા આયરનની દવા લે છે તો તેમના બાળકનો રંગ કાળો થઈ જાય છે.
ગર્ભવસ્થા મહિલાના જીવનની એક સુંદર લાગણી છે. જેમા તે એક જીવમાથી બીજા જીવને જન્મ આપે છે. આ સમયગાળો આનંદની સાથે મહિલાના સ્વાસ્થ માટે મુશ્કેલી ભર્યો હોય છે. ગર્ભવસ્થા દરમિયાન મહિલાઓને ઘણા સારા- ખરાબ ઉતાર- ચઢાવનો સામનો કરવો પડે છે. આ સમય દરમિયાન ગર્ભવસ્થા ધરાવતી સ્ત્રીઓને પોતાના શરીરની ખાસ કાળજી રાખવી પડે છે. તેમાના શરીરમા પોષણ તત્વોની કમી ના થાય તેનુ પણ ધ્યાન રાખવુ પડે છે. જેના કારણે ગર્ભવસ્થા ધરાવતી મહિલાઓને ડોકટરની સલાહ અનુસાર આયરન અને જરૂરી વિટામીનની દવા આપવામા આવે છે. લોકોમા અનેક માન્યતાને કારણે કેટલીક વાર ખરાબ સ્થિતીનો સામનો કરવો પડે છે. જેમા એક એવી પણ માન્યતા છે કે જો મહિલાઓ ગર્ભવસ્થામા આયરનની દવા લે છે તો તેમના બાળકનો રંગ કાળો થઈ જાય છે.
ગર્ભવસ્થા કેમા આપવામા આવે છે આયરનની ગોળી
ગર્ભવસ્થા સમય દરમિયાન જો મહિલામા આયરનની ઉણપ થાય તો તે સ્ત્રીને એનીમિયા થવાની સંભાવના વધી જાય છે. જેના કારણે ડોકટર ગર્ભવસ્થા દરમિયાન આયરનની ગોળી ખાવાની સલાહ આપે છે. આયરનની ગોળી ખાવાથી ગર્ભવતી મહિલાના શરીરમા હિમોગ્લોબિનનુ સ્તર જળવાય રહે છે. જેના કારણે બાળકને ઓક્સિજન સારી રીતે મળી રહે છે.
શું આયર્નની ગોળીઓ લીધા પછી બાળકનો રંગ કાળો થઈ જાય છે?
IVF નિષ્ણાત ડોકટરના જણાવ્યા અનુસાર ગર્ભાવસ્થા સમય દરમિયાન આયરનની ગોળીઓ ખાવાથી બાળકના રંગ પર કોઈ અસર પડતી નથી. લોકમાન્યતા મુજબ ગર્ભવસ્થામા આયરનની ગોળીનુ સેવન કરો છો તો બાળકનો રંગ કાળો પડી જાય છે તે એક માત્ર ભ્રમ છે. જો કે આયરનની ગોળીનુ સેવન ડૉક્ટરની સલાહ અનુસાર કરવુ જોઈએ. જો તમારા શરીરમાં આયરનની ઉણપ હોય તો સમય પહેલા પ્રસ્તુતી થવાની શક્યતા વધી જાય છે.
આયરનની ઉણપવાળા બાળકને શું નુકસાન થાય
નિષ્ણાતોના મતે અનુસાર જો માતાના શરીરમાં આયરનની ઉણપ હોય તો આ સ્થિતિમાં બાળકના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યના વિકાસ પર અસર પડી શકે છે. એક રિપોર્ટ્સ અનુસાર, ભારતમાં ગર્ભાવસ્થાની શરૂઆતમાં મહિલાઓનું હિમોગ્લોબિન લેવલ ઓછું હોય છે.
ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા કૃપા કરીને નિષ્ણાતની સલાહ લો.