Depression: ડિપ્રેશનના આ લક્ષણો 90 ટકા લોકોમાં કોમન છે, તમે પીડિત છો કે કેમ એ કેવી રીતે જાણી શકાય ?

Depression and suicide : વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર ભારતમાં સૌથી વધુ લોકો ડિપ્રેશનથી પીડિત છે. નાનપણથી જ માનસિક સ્વાસ્થ્ય અંગે જાગૃતિ લાવવાની જરૂર છે. આ માટે સૌથી પહેલા ડિપ્રેશનના લક્ષણોને જાણવું જરૂરી છે જે આ રોગના 90 ટકા દર્દીઓમાં જોવા મળે છે.2021માં યુનિસેફના સર્વેક્ષણમાં જાણવા મળ્યું હતું કે ભારતીય યુવાનો માનસિક તણાવ અને ડિપ્રેશન વિશે વાત કરતાં અચકાય છે. ડૉ. ચંડોક કહે છે કે જો ડિપ્રેશનના લક્ષણોને સમયસર ઓળખવામાં આવે અને તેની સારવાર કરવામાં આવે તો આત્મહત્યાના કેસ નોંધપાત્ર રીતે ઘટાડી શકાય છે.

Depression: ડિપ્રેશનના આ લક્ષણો 90 ટકા લોકોમાં કોમન છે, તમે પીડિત છો કે કેમ એ કેવી રીતે જાણી શકાય ?
Depression
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 16, 2023 | 4:50 PM

Depression and suicide :ડિપ્રેશન એક એવી સમસ્યા છે જે ધીમે ધીમે તેનો વ્યાપ વધારી રહી છે તેમ કહી શકાય છે. આ સમસ્યા વ્યક્તિને આત્મહત્યા કરવા માટે પણ મજબૂર કરી શકે છે. ચિંતાની વાત એ છે કે આજે પણ લોકો આ સમસ્યા વિશે વાત કરવાનું ટાળે છે. જો કોઈ વ્યક્તિનું માનસિક સ્વાસ્થ્ય બગડતું હોય તો તેના લક્ષણો સરળતાથી શોધી શકાતા નથી. જે ચિંતા, ડર અને ગભરાટ તરીકે શરૂ થાય છે તે ડિપ્રેશનમાં ફેરવાય છે, જે પાછળથી ઘણી સમસ્યાઓનું કારણ બને છે.

અમેરિકન સાયકિયાટ્રી એસોસિએશનના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક વર્ષોમાં સમગ્ર વિશ્વમાં ડિપ્રેશનના કેસ વધી રહ્યા છે. ભાગદોડ ભરેલી જીંદગીને કારણે સ્થિતિ વધુ કફોડી બની છે. આ સમસ્યાના વધુ કેસો 14 વર્ષથી 30 વર્ષની વયજૂથમાં આવી રહ્યા છે. મોટાભાગના કિસ્સાઓમાં, લોકો જાણતા નથી કે તેઓ ડિપ્રેશનથી પીડિત છે.

હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે તમે ડિપ્રેશનથી પીડિત છો તે કેવી રીતે જાણી શકાય? આ અંગે તબીબોનું કહેવું છે કે શરૂઆતના તબક્કે ડિપ્રેશનના લક્ષણોને ઓળખીને સ્થિતિ વધુ બગડે તે પહેલા સારવાર મેળવી શકાય છે. પરંતુ આજે પણ લોકો માનસિક સ્વાસ્થ્ય અંગે ડોક્ટરો સાથે વાત કરવાનું ટાળે છે. આ જ કારણ છે કે ઘણા લોકો ડિપ્રેશનનો શિકાર બને છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર ભારતમાં સૌથી વધુ લોકો ડિપ્રેશનથી પીડિત છે. નાનપણથી જ માનસિક સ્વાસ્થ્ય અંગે જાગૃતિ લાવવાની જરૂર છે. આ માટે સૌથી પહેલા ડિપ્રેશનના લક્ષણોને જાણવું જરૂરી છે જે આ રોગના 90 ટકા દર્દીઓમાં જોવા મળે છે.

આ પણ વાંચો : ડિપ્રેશનના કારણે આ સ્ટાર્સે કરી આત્મહત્યા, નીતિન દેસાઈ સહિત આ સ્ટાર્સે જાતે જ ટૂંકાવ્યુ જીવન

આ લક્ષણો છે

ડૉ. રાહુલ ચંડોકે, હેડ કન્સલ્ટન્ટ, મેન્ટલ હેલ્થ એન્ડ બિહેવિયરલ સાયન્સ, આર્ટેમિસ હોસ્પિટલ, ગુરુગ્રામ આ 11 લક્ષણો વર્ણવ્યા છે.

વ્યક્તિને અચાનક વધુ કે ઓછી ભૂખ લાગવા લાગે છે

મનમાં નકારાત્મક વિચારો આવવા લાગે છે

હંમેશા થાક લાગે છે

પોતાને બેકાર સમજવું

કોઈપણ કામમાં રસનો અભાવ

ઊંઘની પેટર્ન બદલવી

હસીને અથવા સ્મિત કરીને લાગણીઓને છુપાવવાનો પ્રયાસ કરવો

એકલા રહેવાનું મન થાય છે

કંઈક કરવામાં આનંદ નથી અનુભવતો

જીવનની કોઈ દુઃખદ ઘટના હંમેશા યાદ આવવી

ડિપ્રેશન વિશે વાત કરશો નહીં

ડૉ. ચંડોક કહે છે કે 2021માં યુનિસેફના સર્વેક્ષણમાં જાણવા મળ્યું હતું કે ભારતીય યુવાનો માનસિક તણાવ અને ડિપ્રેશન વિશે વાત કરતાં અચકાય છે. ડૉ. ચંડોક કહે છે કે જો ડિપ્રેશનના લક્ષણોને સમયસર ઓળખવામાં આવે અને તેની સારવાર કરવામાં આવે તો આત્મહત્યાના કેસ નોંધપાત્ર રીતે ઘટાડી શકાય છે.

તેથી, જો તમે ડિપ્રેશનના આ લક્ષણોનો અનુભવ કરી રહ્યાં હોવ, તો તમારે ડૉક્ટર સાથે વાત કરવી જોઈએ. જો તમે તમારા કોઈપણ પરિચિતો, મિત્રો અથવા પરિવારના સભ્યોની વર્તણૂકમાં આ ફેરફારો જોતા હોવ, તો તેને/તેણીને મદદ કરો.

નોંધ :આ લેખ માત્ર જાણકારી માટે છે.સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates