AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોરોના જ્ઞાનશાળા: કોરોના સંક્રમણથી સાજા થયા બાદ ક્યારે શરૂ કરવી જોઈએ કસરત?

કોરોના બાદ લોકો વધુ કાળજી રાખે છે. પરંતુ આ વાત નથી જાણતા કે કોરોનાથી સાજા થયાના કેટલા સમય બાદ દર્દીએ કસરત કરવી જોઈએ. ચાલો જાણીએ આ સવાલનો જવાબ.

કોરોના જ્ઞાનશાળા: કોરોના સંક્રમણથી સાજા થયા બાદ ક્યારે શરૂ કરવી જોઈએ કસરત?
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 12, 2021 | 3:18 PM
Share

કોરોનાની આ મહામારીએ લોકો પર અનેક રીતે અસર કરી છે. ઘણા લોકોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે. ઘણા લોકો એવા છે જેઓ માંડ કોરોનાની બીમારી સામે લડીને જીત્યા છે. કોરોના થયા બાદ ઘણા લોકોની તબિયત પહેલા જેવી રહી નથી. એક તરફ કોરોનાથી બચવા માટે પણ ઈમ્યુનિટી અને સ્વાસ્થ્ય જાળવવાનું કહેવામાં આવે છે. અને આના માટે લોકો કસરત અને પ્રાણાયામ પણ કરે છે. જોકે મોટો પ્રશ્ન કોરોનાથી સાજા થયેલા લોકો માટે છે.

કોરોના બાદ લોકો વધુ કાળજી રાખે છે. પરંતુ આ વાત નથી જાણતા કે કોરોનાથી સાજા થયાના કેટલા સમય બાદ દર્દીએ કસરત કરવી જોઈએ. ખરેખરમાં તો કોરોનાને લઈને ઘણા સવાલો લોકોના મનમાં ચાલતા જ રહે છે. ચાલો આજે આપણે જાણીએ આજના સવાલનો જવાબ. અને એ સવાલ છે,

કોરોના સંક્રમણ બાદ ક્યારે શરૂ કરવી જોઈએ કસરત?

આ પ્રશ્નના જવાબ આપતો એક વિડીયો જાહેર કરવામાં આવ્યો છે. આ વિડીયો ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવ્યો છે. જેમાં ક્રિટિકલ કેર મેડિસિન, RIMS, રાંચીના પ્રોફેસર અને પ્રમુખ ડો.પ્રદીપકુમાર ભટ્ટાચાર્ય આ પ્રશ્નનું નિરાકરણ આપે છે. ચાલો જાણીએ પ્રશ્નના જવાબ.

ડો.પ્રદીપકુમાર કહે છે કે ‘કોરોના દરેકને અલગ અલગ રીતે અસર કરે છે. કોરોનાના કારણે કોઈના ફેફસામાં વધુ ઇન્ફેકશન હોય છે તો કોઈને ઓછું. ઘણા લોકો વગર દવાએ સાજા થઇ જાય છે તો ઘણાને ઓક્સિજન અને દવાઓની જરૂર પડે છે.’ આવામાં ડોકટરે વધુ અસરગ્રસ્ત દર્દીઓ કે જેમણે વેન્ટીલેટરની સારવારથી સાજા કરવામાં આવ્યા છે. અને જેના ઈલાજ માટે ડોકટરે ઘણી મહેનત કરી છે એવા માટે જણાવ્યું છે કે, ‘આવા દર્દીના ફેફસાંને રિજનરેટ કરવા સમય આપવાની જરૂર છે.’

ડોકટરે કહ્યું કે, ‘આવા સિરિયસ પરિસ્થિતિથી સાજા થયેલા દર્દીઓએ કસરતનો વધુ સ્ટ્રેસના લેવો જોઈએ. વ્યાયામ કરવાથી ફેફસાં પર એક્સ્ટ્રા સ્ટ્રેસ આવે છે. તેમજ ફેફસાંની ધીમે ધીમે કેપેસિટી વધારવા માટે ધીમે ધીમે પ્રાણાયામ શરુ કરવામાં આવે છે. વધુ સ્ટ્રેસ ના આવે એ રીતે દર્દી એક કે બે મહિનાની અંદર હલકા પ્રાણાયામ કરી શકે છે. પરંતુ વધુ કસરત, પરસેવો પડે તેવી કસરત, મહેનત વાળી કસરત કરતા પહેલા પૂરો આરામ આપવો જરૂરી છે. ઘણા કેસમાં 6 મહિનામાં આવી કસરત શરુ કરવામાં આવે છે. ઘણા દર્દીઓમાં એક વર્ષ પણ લાગે છે. પરંતુ જો શ્વાસની તકલીફ જ્યાં સુધી ના મટે, શ્વાસ રોજીંદા ક્રમમાં ના આવી જાય ત્યાં સુધી કસરત ના કરવી જોઈએ.’ કોરોનાથી સાજા થયેલા દર્દીઓએ પહેલા નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. એ બાદ જ કયા પ્રકારની કસરત કરવી તે નક્કી કરવું જોઈએ

આ પણ વાંચો: કોરોના જ્ઞાનશાળા: કોણ ના લઈ શકે કોરોના વેક્સિન? જાણો એક્સપર્ટ પાસેથી

આ પણ વાંચો: કોરોના જ્ઞાનશાળા: શું HIV સંક્રમિત અથવા કેન્સરના દર્દીઓ કોરોનાની વેક્સિન લઈ શકે છે?

Follow Us
અમદાવાદના KOMO BY KAFFAમાં ગાર્લિક બ્રેડમાં માખી ફ્રાય કરીને પીરસાઈ
અમદાવાદના KOMO BY KAFFAમાં ગાર્લિક બ્રેડમાં માખી ફ્રાય કરીને પીરસાઈ
વડોદરામાં અનોખો ધર્મ પરિવર્તન કેસ, મૂળ ઓળખ થતાં યુવકે લીધો નિર્ણય
વડોદરામાં અનોખો ધર્મ પરિવર્તન કેસ, મૂળ ઓળખ થતાં યુવકે લીધો નિર્ણય
અમદાવાદની શાળાને ધમકીભર્યા મેઈલ મળતા ICSE બોર્ડની પરીક્ષા અટવાઈ-Video
અમદાવાદની શાળાને ધમકીભર્યા મેઈલ મળતા ICSE બોર્ડની પરીક્ષા અટવાઈ-Video
ગુજરાત ATSએ 6 કિલો મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું
ગુજરાત ATSએ 6 કિલો મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું
પાટણના ચાણસ્મા ખાતે ગેંગવોરની ઘટના, PI સહિત 8 પોલીસકર્મી સસ્પેન્ડ
પાટણના ચાણસ્મા ખાતે ગેંગવોરની ઘટના, PI સહિત 8 પોલીસકર્મી સસ્પેન્ડ
ગુજરાતમાં કમોસમી વરસાદ અને તેજ પવનની આગાહી, જુઓ વીડિયો
ગુજરાતમાં કમોસમી વરસાદ અને તેજ પવનની આગાહી, જુઓ વીડિયો
અમદાવાદની શાળાઓને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
અમદાવાદની શાળાઓને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
પ્રધાનો અને ધારાસભ્યો ST બસમાં વિધાનસભા પહોંચ્યા
પ્રધાનો અને ધારાસભ્યો ST બસમાં વિધાનસભા પહોંચ્યા
UAEથી ક્રૂડ લઈને ‘જગ લાડકી’ જહાજ મુંદ્રા બંદર પહોંચ્યું
UAEથી ક્રૂડ લઈને ‘જગ લાડકી’ જહાજ મુંદ્રા બંદર પહોંચ્યું
ખાવા-પીવામાં સાવધાની રાખો, રમત-ગમતની પ્રવૃત્તિઓમાં ભાગ લો
ખાવા-પીવામાં સાવધાની રાખો, રમત-ગમતની પ્રવૃત્તિઓમાં ભાગ લો
g clip-path="url(#clip0_868_265)">