AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોરોના જ્ઞાનશાળા: કોરોના સંક્રમણથી સાજા થયા બાદ ક્યારે શરૂ કરવી જોઈએ કસરત?

કોરોના બાદ લોકો વધુ કાળજી રાખે છે. પરંતુ આ વાત નથી જાણતા કે કોરોનાથી સાજા થયાના કેટલા સમય બાદ દર્દીએ કસરત કરવી જોઈએ. ચાલો જાણીએ આ સવાલનો જવાબ.

કોરોના જ્ઞાનશાળા: કોરોના સંક્રમણથી સાજા થયા બાદ ક્યારે શરૂ કરવી જોઈએ કસરત?
Corona Knowledge: When should exercise can be started after corona transition
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 12, 2021 | 3:18 PM
Share

કોરોનાની આ મહામારીએ લોકો પર અનેક રીતે અસર કરી છે. ઘણા લોકોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે. ઘણા લોકો એવા છે જેઓ માંડ કોરોનાની બીમારી સામે લડીને જીત્યા છે. કોરોના થયા બાદ ઘણા લોકોની તબિયત પહેલા જેવી રહી નથી. એક તરફ કોરોનાથી બચવા માટે પણ ઈમ્યુનિટી અને સ્વાસ્થ્ય જાળવવાનું કહેવામાં આવે છે. અને આના માટે લોકો કસરત અને પ્રાણાયામ પણ કરે છે. જોકે મોટો પ્રશ્ન કોરોનાથી સાજા થયેલા લોકો માટે છે.

કોરોના બાદ લોકો વધુ કાળજી રાખે છે. પરંતુ આ વાત નથી જાણતા કે કોરોનાથી સાજા થયાના કેટલા સમય બાદ દર્દીએ કસરત કરવી જોઈએ. ખરેખરમાં તો કોરોનાને લઈને ઘણા સવાલો લોકોના મનમાં ચાલતા જ રહે છે. ચાલો આજે આપણે જાણીએ આજના સવાલનો જવાબ. અને એ સવાલ છે,

કોરોના સંક્રમણ બાદ ક્યારે શરૂ કરવી જોઈએ કસરત?

આ પ્રશ્નના જવાબ આપતો એક વિડીયો જાહેર કરવામાં આવ્યો છે. આ વિડીયો ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવ્યો છે. જેમાં ક્રિટિકલ કેર મેડિસિન, RIMS, રાંચીના પ્રોફેસર અને પ્રમુખ ડો.પ્રદીપકુમાર ભટ્ટાચાર્ય આ પ્રશ્નનું નિરાકરણ આપે છે. ચાલો જાણીએ પ્રશ્નના જવાબ.

ડો.પ્રદીપકુમાર કહે છે કે ‘કોરોના દરેકને અલગ અલગ રીતે અસર કરે છે. કોરોનાના કારણે કોઈના ફેફસામાં વધુ ઇન્ફેકશન હોય છે તો કોઈને ઓછું. ઘણા લોકો વગર દવાએ સાજા થઇ જાય છે તો ઘણાને ઓક્સિજન અને દવાઓની જરૂર પડે છે.’ આવામાં ડોકટરે વધુ અસરગ્રસ્ત દર્દીઓ કે જેમણે વેન્ટીલેટરની સારવારથી સાજા કરવામાં આવ્યા છે. અને જેના ઈલાજ માટે ડોકટરે ઘણી મહેનત કરી છે એવા માટે જણાવ્યું છે કે, ‘આવા દર્દીના ફેફસાંને રિજનરેટ કરવા સમય આપવાની જરૂર છે.’

ડોકટરે કહ્યું કે, ‘આવા સિરિયસ પરિસ્થિતિથી સાજા થયેલા દર્દીઓએ કસરતનો વધુ સ્ટ્રેસના લેવો જોઈએ. વ્યાયામ કરવાથી ફેફસાં પર એક્સ્ટ્રા સ્ટ્રેસ આવે છે. તેમજ ફેફસાંની ધીમે ધીમે કેપેસિટી વધારવા માટે ધીમે ધીમે પ્રાણાયામ શરુ કરવામાં આવે છે. વધુ સ્ટ્રેસ ના આવે એ રીતે દર્દી એક કે બે મહિનાની અંદર હલકા પ્રાણાયામ કરી શકે છે. પરંતુ વધુ કસરત, પરસેવો પડે તેવી કસરત, મહેનત વાળી કસરત કરતા પહેલા પૂરો આરામ આપવો જરૂરી છે. ઘણા કેસમાં 6 મહિનામાં આવી કસરત શરુ કરવામાં આવે છે. ઘણા દર્દીઓમાં એક વર્ષ પણ લાગે છે. પરંતુ જો શ્વાસની તકલીફ જ્યાં સુધી ના મટે, શ્વાસ રોજીંદા ક્રમમાં ના આવી જાય ત્યાં સુધી કસરત ના કરવી જોઈએ.’ કોરોનાથી સાજા થયેલા દર્દીઓએ પહેલા નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. એ બાદ જ કયા પ્રકારની કસરત કરવી તે નક્કી કરવું જોઈએ

આ પણ વાંચો: કોરોના જ્ઞાનશાળા: કોણ ના લઈ શકે કોરોના વેક્સિન? જાણો એક્સપર્ટ પાસેથી

આ પણ વાંચો: કોરોના જ્ઞાનશાળા: શું HIV સંક્રમિત અથવા કેન્સરના દર્દીઓ કોરોનાની વેક્સિન લઈ શકે છે?

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">