કોરોના જ્ઞાનશાળા: કોરોના સંક્રમણથી સાજા થયા બાદ ક્યારે શરૂ કરવી જોઈએ કસરત?

કોરોના બાદ લોકો વધુ કાળજી રાખે છે. પરંતુ આ વાત નથી જાણતા કે કોરોનાથી સાજા થયાના કેટલા સમય બાદ દર્દીએ કસરત કરવી જોઈએ. ચાલો જાણીએ આ સવાલનો જવાબ.

કોરોના જ્ઞાનશાળા: કોરોના સંક્રમણથી સાજા થયા બાદ ક્યારે શરૂ કરવી જોઈએ કસરત?
Corona Knowledge: When should exercise can be started after corona transition
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 12, 2021 | 3:18 PM

કોરોનાની આ મહામારીએ લોકો પર અનેક રીતે અસર કરી છે. ઘણા લોકોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે. ઘણા લોકો એવા છે જેઓ માંડ કોરોનાની બીમારી સામે લડીને જીત્યા છે. કોરોના થયા બાદ ઘણા લોકોની તબિયત પહેલા જેવી રહી નથી. એક તરફ કોરોનાથી બચવા માટે પણ ઈમ્યુનિટી અને સ્વાસ્થ્ય જાળવવાનું કહેવામાં આવે છે. અને આના માટે લોકો કસરત અને પ્રાણાયામ પણ કરે છે. જોકે મોટો પ્રશ્ન કોરોનાથી સાજા થયેલા લોકો માટે છે.

કોરોના બાદ લોકો વધુ કાળજી રાખે છે. પરંતુ આ વાત નથી જાણતા કે કોરોનાથી સાજા થયાના કેટલા સમય બાદ દર્દીએ કસરત કરવી જોઈએ. ખરેખરમાં તો કોરોનાને લઈને ઘણા સવાલો લોકોના મનમાં ચાલતા જ રહે છે. ચાલો આજે આપણે જાણીએ આજના સવાલનો જવાબ. અને એ સવાલ છે,

કોરોના સંક્રમણ બાદ ક્યારે શરૂ કરવી જોઈએ કસરત?

આ પ્રશ્નના જવાબ આપતો એક વિડીયો જાહેર કરવામાં આવ્યો છે. આ વિડીયો ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવ્યો છે. જેમાં ક્રિટિકલ કેર મેડિસિન, RIMS, રાંચીના પ્રોફેસર અને પ્રમુખ ડો.પ્રદીપકુમાર ભટ્ટાચાર્ય આ પ્રશ્નનું નિરાકરણ આપે છે. ચાલો જાણીએ પ્રશ્નના જવાબ.

IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ

ડો.પ્રદીપકુમાર કહે છે કે ‘કોરોના દરેકને અલગ અલગ રીતે અસર કરે છે. કોરોનાના કારણે કોઈના ફેફસામાં વધુ ઇન્ફેકશન હોય છે તો કોઈને ઓછું. ઘણા લોકો વગર દવાએ સાજા થઇ જાય છે તો ઘણાને ઓક્સિજન અને દવાઓની જરૂર પડે છે.’ આવામાં ડોકટરે વધુ અસરગ્રસ્ત દર્દીઓ કે જેમણે વેન્ટીલેટરની સારવારથી સાજા કરવામાં આવ્યા છે. અને જેના ઈલાજ માટે ડોકટરે ઘણી મહેનત કરી છે એવા માટે જણાવ્યું છે કે, ‘આવા દર્દીના ફેફસાંને રિજનરેટ કરવા સમય આપવાની જરૂર છે.’

ડોકટરે કહ્યું કે, ‘આવા સિરિયસ પરિસ્થિતિથી સાજા થયેલા દર્દીઓએ કસરતનો વધુ સ્ટ્રેસના લેવો જોઈએ. વ્યાયામ કરવાથી ફેફસાં પર એક્સ્ટ્રા સ્ટ્રેસ આવે છે. તેમજ ફેફસાંની ધીમે ધીમે કેપેસિટી વધારવા માટે ધીમે ધીમે પ્રાણાયામ શરુ કરવામાં આવે છે. વધુ સ્ટ્રેસ ના આવે એ રીતે દર્દી એક કે બે મહિનાની અંદર હલકા પ્રાણાયામ કરી શકે છે. પરંતુ વધુ કસરત, પરસેવો પડે તેવી કસરત, મહેનત વાળી કસરત કરતા પહેલા પૂરો આરામ આપવો જરૂરી છે. ઘણા કેસમાં 6 મહિનામાં આવી કસરત શરુ કરવામાં આવે છે. ઘણા દર્દીઓમાં એક વર્ષ પણ લાગે છે. પરંતુ જો શ્વાસની તકલીફ જ્યાં સુધી ના મટે, શ્વાસ રોજીંદા ક્રમમાં ના આવી જાય ત્યાં સુધી કસરત ના કરવી જોઈએ.’ કોરોનાથી સાજા થયેલા દર્દીઓએ પહેલા નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. એ બાદ જ કયા પ્રકારની કસરત કરવી તે નક્કી કરવું જોઈએ

આ પણ વાંચો: કોરોના જ્ઞાનશાળા: કોણ ના લઈ શકે કોરોના વેક્સિન? જાણો એક્સપર્ટ પાસેથી

આ પણ વાંચો: કોરોના જ્ઞાનશાળા: શું HIV સંક્રમિત અથવા કેન્સરના દર્દીઓ કોરોનાની વેક્સિન લઈ શકે છે?

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">