AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું કોલ્ડ ડ્રિંક પીવાથી એસિડિટી અને ગેસમાં રાહત મળે છે ? પેટના નિષ્ણાંત ડોક્ટરે જણાવ્યું તેનું ચોંકાવનારું સત્ય

મોટાભાગના લોકો એવું માને છે કે કોલ્ડ ડ્રિંક પીવાથી ગેસમાં રાહત મળે છે, પરંતુ ડોક્ટર્સ આને એક ખતરનાક ભ્રમ માને છે. કોલ્ડ ડ્રિંકમાં રહેલું કાર્બન ડાયોક્સાઈડ અને સુગર તમારી સમસ્યાને ઘટાડવાને બદલે પાચનતંત્રને વધુ બગાડી શકે છે. જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ.

શું કોલ્ડ ડ્રિંક પીવાથી એસિડિટી અને ગેસમાં રાહત મળે છે ? પેટના નિષ્ણાંત ડોક્ટરે જણાવ્યું તેનું ચોંકાવનારું સત્ય
Image Credit source: AI
| Updated on: Feb 19, 2026 | 8:29 PM
Share

ગેસ અને એસિડિટીની સમસ્યા અત્યારે ઘરે-ઘરે જોવા મળે છે. જ્યારે પણ પેટમાં ભારેપણું લાગે કે એસિડિટી થાય, ત્યારે લોકો તરત જ બજારમાં મળતા ઠંડા પીણા (Cold Drinks) પીવાનું પસંદ કરે છે. કોલ્ડ ડ્રિંક પીધા પછી આવતો ઓડકાર લોકોને લાગે છે કે ગેસ નીકળી ગયો, પણ હકીકતમાં તે તમારા સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ હોઈ શકે છે.

ઓડકાર એ રાહત નથી, પણ વધારાનો ગેસ છે

હેલ્થ એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, કોલ્ડ ડ્રિંક પીધા પછી જે ઓડકાર આવે છે તે પેટનો ગેસ નથી, પરંતુ કોલ્ડ ડ્રિંકમાં રહેલો કાર્બન ડાયોક્સાઈડ વાયુ છે જે ઓડકાર વાટે બહાર આવે છે. આનાથી ક્ષણિક રાહતનો અનુભવ થાય છે, પરંતુ લાંબા ગાળે તે પેટમાં દબાણ વધારે છે અને એસિડ રિફ્લક્સ (છાતીમાં બળતરા) ની સમસ્યાને ગંભીર બનાવે છે.

કેમ કોલ્ડ ડ્રિંક પીવું નુકસાનકારક છે?

ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ (પેટના ડોક્ટર) મુજબ કોલ્ડ ડ્રિંકમાં આ તત્વો હોય છે જે પેટને નુકસાન કરે છે

  • કાર્બોનેશન: ગેસના પરપોટા પેટમાં દબાણ પેદા કરે છે, જેનાથી એસિડ ગળા સુધી આવી શકે છે.
  • વધુ સુગર અને કેમિકલ્સ: તે લિવર માટે હાનિકારક છે અને ફેટી લિવરનું કારણ બની શકે છે.
  • એસિડિક તત્વો: આ ડ્રિંક્સ પોતે એસિડિક હોવાથી પેટના કુદરતી એસિડ લેવલને બગાડે છે અને સોજો (Bloating) લાવે છે.

એસિડિટીમાં શું પીવું જોઈએ?

નિષ્ણાતો સલાહ આપે છે કે ગેસ-એસિડિટીમાં કોલ્ડ ડ્રિંક્સના બદલે આ કુદરતી વિકલ્પો અપનાવવા જોઈએ

  • આદુની ચા અથવા આદુનું પાણી: તે પાચનમાં સુધારો કરે છે.
  • હર્બલ ટી: પેટને ઠંડક આપે છે.
  • ઠંડુ દૂધ (Low-Fat): તે પેટના એસિડને ન્યુટ્રલાઈઝ કરે છે.
  • વરિયાળીનું પાણી અથવા જીરાનું પાણી: આ ગેસ દૂર કરવાના સૌથી સલામત અને ઘરેલું ઉપાયો છે.

જો તમને વારંવાર ગેસ કે એસિડિટી થતી હોય, તો તેને સામાન્ય ન ગણો. જીવનશૈલીમાં ફેરફાર કરો, નાના-નાના અંતરે ભોજન લો અને વધુ સમસ્યા હોય તો તાત્કાલિક નિષ્ણાત ડોક્ટરનો સંપર્ક કરો.

Disclaimer: આ સમાચાર સામાન્ય માહિતી પર આધારિત છે. વધુ માહિતી માટે તમારા ડૉક્ટરની સલાહ લો.

મેચ પહેલા ખેલાડીઓ કેમ બાળકોના હાથ પકડીને મેદાનમાં આવે છે ? જાણો આ રસપ્રદ કારણ, વાંચવા માટે અહીં ક્લિક કરો

કડીમાં યોજાયેલ વિરાટ હિંદુ સંમેલનમાં અપૂર્વ મુનિએ કર્યુ સૂચક નિવેદન
કડીમાં યોજાયેલ વિરાટ હિંદુ સંમેલનમાં અપૂર્વ મુનિએ કર્યુ સૂચક નિવેદન
આનંદીબહેને કહ્યું-હું પણ પટેલ છુ પરંતુ પટેલવાદમાં નથી માનતી-જુઓ વીડિયો
આનંદીબહેને કહ્યું-હું પણ પટેલ છુ પરંતુ પટેલવાદમાં નથી માનતી-જુઓ વીડિયો
જામનગર મનપામાં સ્ટેન્ડિગ નહીં સેટીગ કમિટી છે-કોંગ્રેસ
જામનગર મનપામાં સ્ટેન્ડિગ નહીં સેટીગ કમિટી છે-કોંગ્રેસ
Breaking News: અમદાવાદમાં ફરી બોગસ કોલ સેન્ટર પકડાયું!
Breaking News: અમદાવાદમાં ફરી બોગસ કોલ સેન્ટર પકડાયું!
સરથાણા પોલીસે ચિરાગ ગોટીને ઘટનાસ્થળે લઈ જઈ કર્યું રિકન્સ્ક્રશન
સરથાણા પોલીસે ચિરાગ ગોટીને ઘટનાસ્થળે લઈ જઈ કર્યું રિકન્સ્ક્રશન
ધીરેન્દ્ર શાસ્ત્રીએ છોકરીઓને સંબોધતા કહ્યું- ક્યારેય બુરખાવાળી ના બનતા
ધીરેન્દ્ર શાસ્ત્રીએ છોકરીઓને સંબોધતા કહ્યું- ક્યારેય બુરખાવાળી ના બનતા
અંબાજીમાં જય અંબે તિથિ ભોજન માટે અનંત અંબાણીનું 27 કરોડનું દાન
અંબાજીમાં જય અંબે તિથિ ભોજન માટે અનંત અંબાણીનું 27 કરોડનું દાન
અમદાવાદમાં દરરોજ 50 લીટરથી વધુ તેલ વાપરતા એકમો માટે મનપાનો કડક નિર્ણય
અમદાવાદમાં દરરોજ 50 લીટરથી વધુ તેલ વાપરતા એકમો માટે મનપાનો કડક નિર્ણય
રાજકોટના જંગલેશ્વરમાં સોમવારે મેગા ડિમોલેશન
રાજકોટના જંગલેશ્વરમાં સોમવારે મેગા ડિમોલેશન
અડાજણના શિવ-શક્તિ એપાર્ટમેન્ટમાં DGVCL સામે ઉગ્ર વિરોધ, જુઓ Video
અડાજણના શિવ-શક્તિ એપાર્ટમેન્ટમાં DGVCL સામે ઉગ્ર વિરોધ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">