AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chaitra Navratri 2022: માર્કંડેય પુરાણમાં કહેવામાં આવ્યું છે આ ઔષધી છે નવદુર્ગા, દુશ્મનો જેવા રોગોનો કરે છે નાશ

નવદુર્ગાને ખૂબ જ શક્તિશાળી અને શત્રુઓનો નાશ કરનાર માનવામાં આવે છે. માર્કંડેય પુરાણમાં નવદુર્ગાની જેમ નવ ઔષધીઓની શક્તિનું વર્ણન કરવામાં આવ્યું છે અને તે તમામ રોગોનો નાશ કરનાર કહેવાય છે. તેમના વિશે જાણો.

Chaitra Navratri 2022: માર્કંડેય પુરાણમાં કહેવામાં આવ્યું છે આ ઔષધી છે નવદુર્ગા, દુશ્મનો જેવા રોગોનો કરે છે નાશ
medicines (symbolic image )
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 02, 2022 | 3:28 PM
Share

નવરાત્રિ (Navratri)માં મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આ નવ સ્વરૂપો ખૂબ શક્તિશાળી હોવાનું કહેવાય છે. તેમની પૂજા કરવાથી જીવનના તમામ દુઃખોનો અંત આવે છે. કહેવાય છે કે જ્યારે અસુરોનો આતંક દેવતાઓને પણ પરેશાન કરવા લાગ્યો ત્યારે માતા પાર્વતીના આ નવ સ્વરૂપો અસુરોના વિનાશ માટે રચાયા હતા. માર્કંડેય પુરાણમાં આવી નવ દવાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે મા દુર્ગાના નવ સ્વરૂપોની જેમ ખૂબ જ શક્તિશાળી હોવાનું કહેવાય છે. આ ઔષધીને નવદુર્ગા નામ આપવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે આ નવ ઔષધીઓ દુશ્મનો જેવા રોગોનો નાશ કરે છે. તેનું સેવન કરવાથી સૌથી મોટી બીમારી સામે લડી શકાય છે. આજે 2 એપ્રિલથી નવદુર્ગાની આરાધનાનો ચૈત્રી નવરાત્રિ (Chaitra Navratri) પર્વનો પ્રારંભ થયો છે. આ અવસર પર જાણીએ નવદુર્ગા જેવી શક્તિશાળી ઔષધ્ધિ વિશે.

હરડે

હરડેની સરખામણી માતા શૈલપુત્રી સાથે કરવામાં આવે છે. હરડેના 7 પ્રકાર છે અને દરેક પ્રકારના હરડેની અલગ-અલગ લાક્ષણિકતાઓ છે. હરિતિકા હરડે ભય દૂર કરનાર, પથયા બધા માટે કલ્યાણકારી, શરીરને ડિટોક્સ કરવા માટે અમૃત સમાન છે, હિમાલયમાં ઉદ્ભવતી હેમાવતી, મનને પ્રસન્ન કરનારી ચેતકી અને સર્વના કલ્યાણ માટે શ્રેયસી હરડે માનવામાં આવે છે.

બ્રાહ્મી

તેનું નામ બ્રાહ્મી માંના અન્ય સ્વરૂપ બ્રહ્મચારિણી પરથી રાખવામાં આવ્યું છે. તે તમારા સ્વરને મધુર બનાવે છે, મગજ તેજ બનાવે છે અને મગજને લગતી તમામ સમસ્યાઓ દૂર કરે છે. યાદશક્તિ સુધારે છે અને રક્ત સંબંધિત વિકારઓ દૂર કરે છે. તેને મા સરસ્વતી પણ કહેવામાં આવે છે.

ચંદુસૂર

ચંદુસુરને માતા ચંદ્રઘંટાનું સ્વરૂપ માનવામાં આવે છે. તે દેખાવમાં કોથમીર જેવું લાગે છે. તે શરીરની ચરબી દૂર કરવામાં ઉપયોગી છે. સ્થૂળતા દૂર કરવાથી શરીરની તમામ સમસ્યાઓ આપોઆપ ખતમ થઈ જાય છે. તે હૃદયના દર્દીઓ માટે ફાયદાકારક માનવામાં આવે છે.

કુમ્હડા

કુમ્હડા માતા કુષ્માંડા સમાન માનવામાં આવે છે. તે ફાયદાકારક, વીર્ય વધારનાર અને લોહીના વિકારને દૂર કરી શકે છે. તે પિત્ત અને ગેસની સમસ્યાને પણ કંટ્રોલ કરે છે. તેનો ઉપયોગ પેથા બનાવવા માટે થાય છે.

અળસી

અળસી પણ ખૂબ શક્તિશાળી માનવામાં આવે છે. તેની સરખામણી સ્કંદમાતા સાથે કરવામાં આવે છે. શણના બીજ પૈકી, તે ત્રિદોષ એટલે કે વાત, પિત્ત અને કફનો નાશ કરવા સક્ષમ માનવામાં આવે છે. આયુર્વેદમાં તમામ રોગો વાત, પિત્ત અને કફ સાથે સંબંધિત છે.

મોઇયા

તે માતાના છઠ્ઠા સ્વરૂપ કાત્યાયની જેટલી શક્તિશાળી માનવામાં આવે છે. તે અંબા, અંબાલિકા, અંબિકા અને માચિકા તરીકે પણ ઓળખાય છે. મોઇયા કફ, પિત્ત અને ગળાના રોગોનો નાશ કરવામાં સક્ષમ માનવામાં આવે છે.

નાગદૌન

નાગદૌન દવાને માતા કાલરાત્રી નામ આપવામાં આવ્યું છે. આ દવા શારીરિક અને માનસિક બંને પ્રકારની પીડા સામે લડવામાં સક્ષમ છે. તે તમારા શરીરમાંથી ઝેરનો નાશ પણ કરી શકે છે અને તમને કાલના મુખમાંથી બહાર કાઢી શકે છે.

તુલસી

દરેક ઘરમાં જોવા મળતી તુલસીને મહાગૌરી કહેવામાં આવે છે. તે તમને રોગો સામે લડવાની શક્તિ આપે છે. કફના પ્રકોપથી તમારું રક્ષણ કરે છે. તેનું નિયમિત સેવન કરવાથી લોહીના વિકાર પણ દૂર થાય છે.

શતાવરી

શતાવરી માતા સિદ્ધિદાત્રીનું સ્વરૂપ માનવામાં આવે છે. તે શરીરને મજબૂત અને શક્તિશાળી બનાવે છે. તે માનસિક શક્તિ અને વીર્ય માટે શ્રેષ્ઠ ઔષધ માનવામાં આવે છે. તે વાત અને પિત્ત સંબંધિત સમસ્યાઓને દૂર કરવામાં સક્ષમ છે.

(આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. TV9 ગુજરાતી આની પુષ્ટિ કરતું નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)

આ પણ વાંચો :Surat : રહેણાંક અને બિનરહેણાંક મિલકતદારો માટે મિલકતવેરામાં વ્યાજ માફી યોજનાની મુદ્દત શાસકોએ એક મહિનો લંબાવી

આ પણ વાંચો :Gandhinagar: કલોલમાં ઘરમાં ઘૂસીને એક મહિલાનું અપહરણ, અપહરણકારોએ મહિલાને આ રીતે કરી મુક્ત

Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
Breaking News : આકાશમાંથી પેરાશુટ લઇને યુવક વીજ વાયર પર પડ્યો
Breaking News : આકાશમાંથી પેરાશુટ લઇને યુવક વીજ વાયર પર પડ્યો
જીવનસાથી સાથે શોપિંગ કરવાની મજા આવશે, કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખો
જીવનસાથી સાથે શોપિંગ કરવાની મજા આવશે, કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખો
BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો
ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
ત્યજી દેવાયેલી દીકરીને સુરત પોલીસે અપનાવી, કર્યું નામકરણ
ત્યજી દેવાયેલી દીકરીને સુરત પોલીસે અપનાવી, કર્યું નામકરણ
ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર - જુઓ Video
ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">