AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : રહેણાંક અને બિનરહેણાંક મિલકતદારો માટે મિલકતવેરામાં વ્યાજ માફી યોજનાની મુદ્દત શાસકોએ એક મહિનો લંબાવી

મનપા દ્વારા રજુ કરવાં આવેલા બજેટમાં વ્યાજમાફીની યોજના લાગુ કરવામાં આવી હતી. જેમાં સુરત મહાનગરપાલિકા દ્વારા 31-03-2021ના રોજ મિલકતવેરો ભરવાનો બાકી હોય તેવા મિલકતદારો પાસેથી વ્યાજ માફી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો

Surat : રહેણાંક અને બિનરહેણાંક મિલકતદારો માટે મિલકતવેરામાં વ્યાજ માફી યોજનાની મુદ્દત શાસકોએ એક મહિનો લંબાવી
Surat Municipal Corporation (File Image )
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 02, 2022 | 2:14 PM
Share

બે વર્ષ સુધી સતત કો૨ોના (Corona ) કાળના કારણે શહેરીજનોની હાલત કફોડી થવા પામી હતી . સંખ્યાબંધ મિલકતદારો એવા હતા કે જેઓ કટોકટીના કારણે બે વર્ષ સુધી વેરો (Tax )ભરી શક્યા ન હતા . જેથી આખરે આવા મિલકતદારો માટે મનપાએ વ્યાજ માફી યોજના લાગુ કરી હતી . જેની મુદ્દત 31 મી માર્ચના રોજ પૂર્ણ થતી હતી પરંતુ મહાનગરપાલિકામાં મળેલી સ્થાયી સમિતિમાં આ યોજનાની મુદ્દત વધુ એક મહિના માટે લંબાવવામાં આવી છે . જેથી શહેરીજનો આગામી હજુ એક મહિના સુધી આ યોજનાનો લાભ લઇ શકશે . ઉલ્લેખનીય છે કે 3.60 લાખ મિલકતદારો પૈકી માત્ર 85 હજાર મિલકતદારોએ જ આ યોજનાનો લાભ લીધો છે .કોરોના સમયમાં લોકોની હાલત આર્થિક રીતે કફોડી થવા પામી હતી . સુરત શહેરમાં વસવાટ કરતા સંખ્યાબંધ એવા રહેણાક અને બિનરહેણાકમાં મિલકતદારો વેરો ભરપાઇ કરી શક્યા ન હતા .

જેના કારણે સુરત મનપા દ્વારા રજુ કરવાં આવેલા બજેટમાં વ્યાજમાફીની યોજના લાગુ કરવામાં આવી હતી. જેમાં સુરત મહાનગરપાલિકા દ્વારા 31-03-2021ના રોજ મિલકતવેરો ભરવાનો બાકી હોય તેવા મિલકતદારો પાસેથી વ્યાજ માફી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જોકે શહેરમાં 3.60 લાખ મિલકતધારકો પૈકી અત્યારસુધી ફક્ત 85 હજાર લોકોએ જ યોજનાનો લાભ લીધો છે. ત્યારે આ યોજનાનો લાભ લેવા માટે મનપા દ્વારા લોકોને અપીલ પણ કરવામાં આવી હતી .જેથી સુરત મનપા દ્વારા આ યોજના વધુ એક મહિનો લંબાવવામાં આવી છે .

સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશ પટેલે જણાવ્યું હતું કે , આ યોજનાનો મહત્તમ લોકો લાભ થઈ શકે તે માટે વ્યાજ માફી યોજના 30 એપ્રિલ સુધી લંબાવાઈ છે . અત્રે ઉલ્લેખનીય છે કે , વ્યાજમાફી યોજના અંતર્ગત 3.60 લાખ મિલકતદારો માટે આ વ્યાજ માફી યોજના લાગુ કરી હતી . જેમાં કુલ 3.60 લાખ મિલકતદારોને આ પાસેથી કુલ 567 કરોડની વસુલાત થશે. જે પૈકી 31 મી માર્ચ સુધીમાં મનપાની તિજોરીમાં 90 કરોડની ૨કમ જમા થઈ છે . જેમાં વ્યાજમાફી પેટે 20 કરોડ માફ કરવામાં આવ્યા છે એટલે કે મનપાને 20 કરોડનું નુકસાન થયું છે . આમ હવે શહેરીજનો 30 એપ્રિલ સુધી આ યોજનાનો લાભ લઇ શકશે.

આ પણ વાંચો :

Surat: જુની પેન્શન યોજનાની માંગ સાથે શિક્ષકોએ પણ કાળો દિવસ મનાવ્યો, શાળા પરિસરમાં કાળી પટ્ટી પહેરીને બે મિનિટનું મૌન પાળી વિરોધ

વડાપ્રધાન મોદી સુરત મેટ્રો પ્રોજેક્ટની કામગીરીની સમીક્ષા કરશે, એક રૂટની કામગીરી જૂન 2024 સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">