AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health News: આ આદતોને કારણે વધી રહ્યું છે કેન્સરનું જોખમ, જાણો નિષ્ણાતોએ શું સલાહ આપી

રાજીવ ગાંધી કેન્સર ઈન્સ્ટિટ્યૂટ એન્ડ રિસર્ચ સેન્ટરના એનેસ્થેસિયોલોજીના ડાયરેકટર ડો. રાજીવ ચાવલાએ જણાવ્યું હતું કે, હવે દર વર્ષે કેન્સરના કેસ વધી રહ્યા છે.

Health News: આ આદતોને કારણે વધી રહ્યું છે કેન્સરનું જોખમ, જાણો નિષ્ણાતોએ શું સલાહ આપી
Image Credit source: Google
TV9 Gujarati
| Edited By: | Updated on: May 01, 2023 | 10:17 PM
Share

હવે દર વર્ષે કેન્સરના કેસ વધી રહ્યા છે. આ રોગની સારવાર માટે પણ નવી ટેકનિક આવી રહી છે. જો કે, હજુ પણ મોટાભાગના કેન્સરના કેસ પાછળથી નોંધાઈ રહ્યા છે. આ રોગથી પીડિત દર્દીઓની સારવાર માટે તબીબો પણ સખત મહેનત કરે છે. કેન્સર સર્જનથી લઈને ઓન્કો એનેસ્થેસિયોલોજિસ્ટ સુધીની મોટી ભૂમિકા છે. તેમની મદદથી રેડિયો અને કીમોથેરાપી સરળતાથી કરી શકાય છે.

આ પણ વાચો: Knowledge: શું ખરેખર એક સફેદ વાળ તોડવાથી વધુ સફેદ વાળ ઉગે છે? જાણો કેમ કહેવાય છે આવુ

રાજીવ ગાંધી કેન્સર ઇન્સ્ટિટ્યૂટ અનેડ રિસર્ચ સેન્ટરના એનેસ્થેસિયોલોજીના ડોયરેક્ટર ડૉ. રાજીવ ચાવલાએ જણાવ્યું હતું કે, કેન્સરની સારવારમાં ઓન્કો – એનેસ્થેસિયોલોજીએ મુખ્ય ભૂમિકા ભજવી છે. તેને ક્યારેય ઓછો આંકવો જોઈએ નહીં. ડૉ. રાજીવે RGCIRC ખાતે એનેસ્થેસિયોલોજી વિભાગના કોમ્પ્રિહેન્સિવ ઓન્કો એનેસ્થેસિયા ટ્રેનિંગ પ્રોગ્રામના સત્રમાં જણાવ્યું હતું.

AIIMSની પણ મહત્વની ભૂમિકા

પ્રોફેસર સુષ્મા ભટનાગરે ઇન્સ્ટિટ્યૂટ ઓફ રોટરી કેન્સર હોસ્પિટલ, AIIMSના ડિરેક્ટર પણ ઓન્કો એનેસ્થેસિયોલોજીની ભૂમિકા વિશે વાત કરી. ડો.સુષ્માએ કહ્યું કે, કેન્સરની સારવારમાં એનેસ્થેસિયોલોજી ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેના દ્ગારા દર્દીઓની સારવાર કરવામાં આવે છે. કેમોથેરાપી અને રેડિયોથેરાપીની મદદથી કેન્સરની સારવાર કરવામાં આવે છે. એનેસ્થેસિયોલોજિસ્ટ ખાતરી કરે છે કે, આ બંને પ્રકિયાઓ સફળતાપૂર્વક કરવામાં આવે છે.

આક્રમક પ્રક્રિયાઓ વધુ સારી છે

ડો. ચાવલાએ જણાવ્યું હતું કે, કેન્સરના દર્દીઓની સારવારમાં ઓન્કો- એનેસ્થેસિયોલોજિસ્ટ માત્ર મિત્રની ભૂમિકા ભજવે છે, જે માત્ર અગવડતા ઓછી કરે છે, પરંતુ ઘણી આક્રમક પ્રક્રિયાઓ પણ પીડારહિત છે, જેનાથી દર્દીઓને અગવડતા ન પડે.

એનેસ્થેસિયોલોજિસ્ટ ખાતરી કરે છે કે, કેન્સરના દર્દીઓ સર્જરી પછી સરળતાથી સાજા થાય છે. દર વર્ષે કેન્સરના કેસ વધી રહ્યા હોવાથી હવે દરેક એનેસ્થેસિયોલોજિસ્ટની ભૂમિકા વધુ વધી છે. આ કાર્યક્રમમાં દેશભરમાંથી 120થી વધુ એનેસ્થેટિસ્ટોએ ભાગ લીધો હતો. એઈમ્સ દિલ્હી, એપોલો હોસ્પિટલ, સર ગંગારામ હોસ્પિટલ, મેન્ડાટા ઈન્સ્ટિટ્યૂટ અને પીજીઆઈ રોહતકના ડોકટરોએ હાજરી આપી હતી.

દર વર્ષે કેન્સરના કેસો વધી રહ્યા છે

ડો.ચાવલાએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી કેન્સરના કેસ વધી રહ્યા છે. તેનું મુખ્ય કારણ ખાનપાન અને જીવનશૈલી છે. આવી સ્થિતિમાં જરૂરી છે કે, આપણે આપણી દિનચર્યાનું ધ્યાન રાખીએ અને કોઈપણ રોગ થાય તો તરત જ તેની સારવાર કરાવીએ.

કેન્સરને કેવી રીતે અટકાવવું

ડો.ચાવલાએ જણાવ્યું કે, કેન્સરથી બચવા માટે હેલ્ધી ડાયટ લેવો જરૂરી છે. ધૂમ્રપાન અને આલ્કોહોલનું સેવન ટાળવું જોઈએ, દરરોજ વ્યાયામ કરો. આ સાથે, કોઈપણ રોગ થાય તો ખાસ કાળજી રાખવી જોઈએ. લક્ષણો દેખાય કે તરત જ સારવાર લેવી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

સ્વાસ્થ્ય અંગેના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
g clip-path="url(#clip0_868_265)">