AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Giloy Side Effects : રોગપ્રતિકારક શક્તિ વધારવા ગિલોયનો આ રીતે ઉપયોગ કરવાનું ટાળો, નહીંતર થઇ શકે છે અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ

રોગપ્રતિકારક શક્તિને (immunity) વધારવા માટે ગિલોયને ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તે આપણને અનેક રોગોથી બચાવે છે. જો કે અમે તમને આજે જણાવીશુ કે કેવી રીતે ગિલોય શરીર માટે હાનિકારક સાબિત થઈ શકે છે.

Giloy Side Effects : રોગપ્રતિકારક શક્તિ વધારવા ગિલોયનો આ રીતે ઉપયોગ કરવાનું ટાળો, નહીંતર થઇ શકે છે અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ
ગિલોય આ રીતે સ્વાસ્થ્યને નુકસાન પણ પહોંચાડી શકે છે
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 30, 2022 | 8:06 AM
Share

કોરોનાકાળમાં (Corona) લોકોને સ્વાસ્થ્યની સંભાળ રાખવાનું અને રોગપ્રતિકારક શક્તિ (immunity) વધારવાનું મહત્વ સમજાયુ છે. મહામારી દરમિયાન ઘણા લોકોએ રોગપ્રતિકારક શક્તિ વધારવા અનેક પ્રયાસ કર્યા છે. કોરોનાના સમયગાળા દરમિયાન લોકોએ આયુર્વેદની પણ ખૂબ મદદ લીધી છે. જડીબુટ્ટીઓમાંથી બનેલી ઘણી વસ્તુઓ અથવા રોજ ઉકાળો પીવો એ જાણે સામાન્ય બની ગયુ હતુ. ખાસ કરીને ગિલોય વિશે વાત કરીએ તો તેને આયુર્વેદની ખૂબ ફાયદાકારક ઔષધિ તરીકે ગણવામાં આવે છે, ગિલોય રોગપ્રતિકારક શક્તિને વધારીને આપણને ઘણા રોગોથી બચાવે છે. જો કે તેનું વધુ સેવન કરવામાં આવે તો તે શરીરને નુકસાન (Health Problem) પણ પહોંચાડે છે.

અમે તમને આ વાત જણાવી રહ્યા છીએ ત્યારે તમને જાણીને નવાઇ લાગશે કે શું ખરેખર ગિલોય શરીરને નુકસાન પહોંચાડી શકે છે, ગિલોયને કેટલી માત્રામાં ખાવું કે પીવું જોઈએ? ગિલોયથી શું નુકસાન થાય છે, ગિલોય પીવાનો યોગ્ય સમય કયો છે. અમે તમને જણાવીશું કે કેવી રીતે ગિલોય શરીર માટે હાનિકારક સાબિત થઈ શકે છે.

ઝાડા

આયુર્વેદ અનુસાર જો ગિલોયનું વધુ પડતું સેવન કરવામાં આવે તો તમને ઝાડા પણ થઈ શકે છે. ઘણા લોકો ગિલોયને કારણે આડઆસર થતી હોવાનું માને છે. જો કે વાસ્તવમાં તે ગિલોય વધુ પડતા સેવનને કારણે થાય છે. ગિલોય એ એક પ્રકારની દવા છે, જે પેટને સ્વસ્થ રાખે છે, પરંતુ તેના વધુ પડતા સેવનથી પાચનતંત્ર બગડી શકે છે.

ઓટોઇમ્યુન હેલ્થ પ્રોબ્લેમ

ગિલોયને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટેનો શ્રેષ્ઠ સ્ત્રોત મનાય છે, પણ જો તમને પહેલેથી જ ઓટોઇમ્યુન હેલ્થ સમસ્યાઓ છે, તો તમારે થોડી સાવચેતી રાખવાની જરૂર છે. જે લોકોને આ સમસ્યા છે, તેમણે કાં તો ગિલોયને ઓછી માત્રામાં લેવી જોઈએ અથવા ડૉક્ટરની સલાહ લીધા પછી જ તેની દિનચર્યા શરૂ કરવી જોઈએ.

લો બ્લડ પ્રેશર

જે લોકોને લો બ્લડ પ્રેશરની સમસ્યા હોય તેમણે ગિલોયનું સેવન કરતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. તજજ્ઞોના મતે ગિલોય તમારા બીપી લેવલને વધુ ઘટાડી શકે છે. એટલું જ નહીં થોડા સમય પહેલા જો તમારી સર્જરી થઈ હોય તો પણ ગિલોયનું સેવન ન કરો. આ સ્થિતિમાં પણ બીપી લો થવાની શક્યતા રહે છે.

(આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. TV9 ગુજરાતી આની પુષ્ટિ કરતું નથી. તજજ્ઞોની સલાહ લીધા પછી જ આને અનુસરો.)

Follow Us
ગીરમાં સિંહોના મોતથી વન વિભાગ એલર્ટ, શરૂ કરાયું વેક્સીનેશન અભિયાન
ગીરમાં સિંહોના મોતથી વન વિભાગ એલર્ટ, શરૂ કરાયું વેક્સીનેશન અભિયાન
PM મોદીએ વિસ્તારેલ ગુજરાત વિકાસ મોડલથી દેશના 80% ભાગમાં BJPની સત્તા
PM મોદીએ વિસ્તારેલ ગુજરાત વિકાસ મોડલથી દેશના 80% ભાગમાં BJPની સત્તા
પાંચ રાઉન્ડ ફાયરિંગ કેસમાં નિવૃત્ત DYSP અશોકસિંહ ચૌહાણની ધરપકડ
પાંચ રાઉન્ડ ફાયરિંગ કેસમાં નિવૃત્ત DYSP અશોકસિંહ ચૌહાણની ધરપકડ
બનાસકાંઠામાં SOGએ પેટ્રોલિંગ દરમિયાન 171 શંકાસ્પદ ઘીના ડબ્બા ઝડપ્યા!
બનાસકાંઠામાં SOGએ પેટ્રોલિંગ દરમિયાન 171 શંકાસ્પદ ઘીના ડબ્બા ઝડપ્યા!
Breaking News : પાલીતાણાની શેત્રુંજી નદીમાં દારૂની મજા માણતો વીડિયો
Breaking News : પાલીતાણાની શેત્રુંજી નદીમાં દારૂની મજા માણતો વીડિયો
બોરસદની યુવતીની કેનેડામાં ચપ્પાના ઘા ઝીંકીને હત્યા, જુઓ-Video
બોરસદની યુવતીની કેનેડામાં ચપ્પાના ઘા ઝીંકીને હત્યા, જુઓ-Video
બાઈક બાદ હવે ક્રેન ખાડામાં પડી, જુઓ વીડિયો
બાઈક બાદ હવે ક્રેન ખાડામાં પડી, જુઓ વીડિયો
ભાજપના પૂર્વ મહિલા હોદ્દેદારે જિલ્લા પ્રમુખને કહ્યું માંફી માંગો
ભાજપના પૂર્વ મહિલા હોદ્દેદારે જિલ્લા પ્રમુખને કહ્યું માંફી માંગો
નિયમિત કસરત કરો, વધુ પડતું ખાવાનું ટાળો
નિયમિત કસરત કરો, વધુ પડતું ખાવાનું ટાળો
પાલનપુરમાં પ્રી-મોન્સૂન કામગીરી ઠપ્પ, પાલિકાના નેતાઓના દાવા જ જુદા
પાલનપુરમાં પ્રી-મોન્સૂન કામગીરી ઠપ્પ, પાલિકાના નેતાઓના દાવા જ જુદા
g clip-path="url(#clip0_868_265)">