WELFARE COVID HOSPITAL અગ્નિકાંડમમાં 25 દર્દીઓના જીવ બચાવનાર ભરૂચ પોલીસને સરકારે 5 લાખનું ઇનામ જાહેર કર્યું

WELFARE COVID HOSPITAL માં 1 લી મેના રોજ 18 દર્દીઓ એ જીવ ગુમાવ્યો હતો. કોવિદ હોસ્પિટલમા રત્ન સમયે અચાનક આગ ફાટી નીકળી હતી. આ મામલાની ઉચ્ચ સ્તરીય તપાસ ચાલી રહી છે.

WELFARE COVID HOSPITAL અગ્નિકાંડમમાં 25 દર્દીઓના જીવ બચાવનાર ભરૂચ પોલીસને સરકારે 5 લાખનું ઇનામ જાહેર કર્યું
WELFARE HOSPITAL BHARUCH
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 02, 2021 | 11:50 AM

1લી મેની રાતે ભરૂચમાં વેલ્ફેર કોવિડ કેર સેન્ટર(WELFARE COVID HOSPITAL)માં અચાનક ફાટી નીકળેલી આગમાં ગુંગળાઈ રહેલા દર્દીઓને જીવન જોખમે બચાવનાર ભરૂચ પોલીસના જવાનોને સરકારે 5 લાખનું ઇનામ જાહેર કર્યું છે. પોલીસકર્મીઓને સાહસને બિરદાવતા આ જાહેરાત રાજ્યના ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ કરી હતી.

ભરૂચની  વેલફેર કોવિડ હોસ્પિટલમાં આગ ફાટી નીકળતા દર્દીઓ અને સ્ટાફ આગની જવાળાઓમાં ફસાઈ ગયો હતો. ઘટનાની જાણ ફાયર બ્રિગેડને પોલીસને કરવામાં આવતા તાત્કાલિક ટુકડીઓ રવાના થઇ હતી. આસપાસના વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલી પોલીસને ઘટનાની જાણ થતા બી ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.

પોતાના જીવની પરવાહ કાર્ય વગર પોલીસકર્મીઓએ હોસ્પિટલના કાચ ફોડી ધુમાડાના ગોટા અને આગની જ્વાળાઓ વચ્ચેથી 25 જેટલા દર્દીઓનું રેસ્ક્યુ કર્યું હતું. કમનશીબે ઘટનામાં 18 લોકોએ જાણ ગુમાવી હતી.  આ મામલામાં પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી અને ઘણા દર્દીઓના જીવ બચાવ્યા હતા આ બાબતે ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ભરૂચ ખાતેની પટેલ વેલ્ફેર કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગમાં કોરોનાગ્રસ્ત દર્દીઓને બચાવવા માટે સંનિષ્ઠ કામગીરી કરનાર ભરૂચ પોલીસના જવાનોને રૂપિયા પાંચ લાખનું ઇનામ આપવામાં આવશે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

મુખ્ય મંત્રી વિજય રૂપાણીની સરકારે  આ જવાનોની કામગીરીને બિરદાવીને તેમને પ્રોત્સાહન આપવા માટે આ જાહેરાત કરી છે. હોસ્પિટલમાં જયારે આગ લાગી ત્યારે સમગ્ર કેમ્પસમાં અંધારૂં હતું ત્યારે આ જવાનો ત્વરિત પહોંચી વોર્ડના કાચ તોડીને અંદર પ્રવેશ્યા હતાં અને કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓના જીવ બચાવવા માટે જવાનોએ પોતાના જાનની પરવા કર્યા વગર કોરોનાની સારવાર લઇ રહેલા ૨૫ જેટલાં દર્દીઓના જીવ બચાવ્યા છે અને અતિ વિકટ પરિસ્થિતિમાં કુનેહ પૂર્વક કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખી હતી.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">