AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World Water Day 2022: ગુજરાતમાં જળ સંકટ ચિંતા ઉપજાવનારું, જાણો રાજ્યના જળાશયોમાં શું છે પાણીની સ્થિતિ

ભલે હોશે હોશે આપણે વિશ્વ જળ દિવસની ઉજવણી કરતા હોઇએ. પરંતુ પાણીની વાસ્તવિકતા ચિંતાજનક છે. રાજ્યના મોટાભાગના જળાશયો અડધા જ ભરેલા છે. ગત્ત વર્ષે ઓછા વરસાદથી જળાશયો અધૂરા રહ્યા.

World Water Day 2022: ગુજરાતમાં જળ સંકટ ચિંતા ઉપજાવનારું, જાણો રાજ્યના જળાશયોમાં શું છે પાણીની સ્થિતિ
World Water Day 2022 (Symbolic Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 22, 2022 | 1:53 PM
Share

ભલે આજે આપણે વિશ્વ જળ દિવસની (World Water Day 2022) ઉજવણી (Celebration) કરતા હોઈએ, પરંતુ જળ સંકટ (Water crisis) ચિંતા ઉપજાવનારૂ છે. આપને જાણીને આશ્ચર્ય થશે કે રાજ્યના મોટાભાગના જળાશયો અડધા જ ભરેલા છે. આવા સમયે જો મેઘરાજા રિસાય તો રાજ્યમાં પાણીનો વિકરાળ પ્રશ્ન સર્જાઈ શકે છે. ત્યારે વિશ્વ જળ દિવસ નિમિત્તે આવો જોઈએ રાજ્યમાં જળની શું સ્થિતિ છે.

આજે વિશ્વ જળ દિવસ છે. વિશ્વમાં પાણીના ઉપયોગ સામે તેની સાચવણી એક મોટો પ્રશ્ન છે. ત્યારે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે પણ આજે વિશ્વ જળ દિવસે ટ્વીટ કરીને આ અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યુ કે પાણીને બચાવવાની જવાબદારી આપણા સૌની છે.

ભલે હોંશે હોંશે આપણે વિશ્વ જળ દિવસની ઉજવણી કરતા હોઈએ. પરંતુ પાણીની વાસ્તવિકતા ચિંતાજનક છે. રાજ્યના મોટાભાગના જળાશયો અડધા જ ભરેલા છે. ગત્ત વર્ષે ઓછા વરસાદથી જળાશયો અધૂરા રહ્યા. ત્યારે ચાલુ વર્ષે પણ જો ઓછો વરસાદ વરસે તો પાણીની પારાયણ વિકટ બની શકે છે. રાજ્યમાં 183 ડેમમાં 70 ટકાથી ઓછુ પાણી છે તો 5 ડેમમાં 90 ટકાથી વધુ પાણી છે. ત્યારે ગત્ત વર્ષની સરખામણી કરીઓ તો આ પાણી 10 ટકા ઓછુ છે.

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાંથી જરૂર મુજબ પાણી લેવાઈ રહ્યું છે અને હાલ નર્મદા ડેમ અડધો જ ભરેલો છે. રાજ્યના જળાશયોની સ્થિતિ પર નજર કરીએ તો ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 17.19 ટકા પાણીનો જથ્થો છે. મધ્ય ગુજરાતના 17 ડેમમાં 55.14 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જ્યારે દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 75.51 ટકા પાણીનો જથ્થો છે. જ્યારે કચ્છના 20 ડેમમાં 22.49 ટકા અને સૌરાષ્ટ્રના 141 ડેમમાં 52.67 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.

આમ રાજ્યના 206 ડેમમાં સરેરાશ 50 ટકા પાણી ઉપલબ્ધ છે. એક રિપોર્ટ મુજબ હાલ રાજ્યના જળાશયોમાં 9 હજાર 858.74 MCM પાણીનો જથ્થો છે. જે 31 મે સુધીમાં 6,435.56 MCM રહેવાનો અંદાજ છે. જોકે સૌથી કફોડી સ્થિતિ ઉત્તર ગુજરાતના વિસ્તારોની છે. વિશ્વ જળ દિવસે જળાશયોમાં જળની સ્થિતિના આંકડા ચિંતાનું કારણ બની શકે છે. ત્યારે આવો આજના દિવસે જળનું મહત્વ સમજીએ જળનું જતન કરીએ અને સંભવિત જળ સંકટને દૂર કરીએ.

આ પણ વાંચો- રશિયા-યુક્રેન યુદ્ધની અસરઃ મેટલના વધતા ભાવથી સુરતના ઉદ્યોગકારો પરેશાન, 80 ટકા જરી ઉદ્યોગકારોએ ઉત્પાદન બંધ કર્યું

આ પણ વાંચો- Ahmedabad: CERCના સર્વેમાં બહાર આવી વિગતો, ડિજિટલ લેવડ દેવડમાં ગ્રાહકોને પડે છે મુશ્કેલી

આવી રીતે ઇન્ટિરીયર ડિઝાઇનના ક્ષેત્રમાં દીપા દેવરાજને બનાવી પોતાની ઓળખ
આવી રીતે ઇન્ટિરીયર ડિઝાઇનના ક્ષેત્રમાં દીપા દેવરાજને બનાવી પોતાની ઓળખ
રિમઝીમ સૈકિયા: મહિલા સશક્તિકરણ અને રાષ્ટ્રીય ઓળખના પ્રણેતા
રિમઝીમ સૈકિયા: મહિલા સશક્તિકરણ અને રાષ્ટ્રીય ઓળખના પ્રણેતા
ઘર ખર્ચમાંથી મહિલાઓ માટે ફિટનેસ સેન્ટર બનાવનાર કોણ છે પ્રતિભા શર્મા?
ઘર ખર્ચમાંથી મહિલાઓ માટે ફિટનેસ સેન્ટર બનાવનાર કોણ છે પ્રતિભા શર્મા?
આજે તમે ચિંતિત રહેશો, કામના મોરચે અડચણો આવશે
આજે તમે ચિંતિત રહેશો, કામના મોરચે અડચણો આવશે
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
g clip-path="url(#clip0_868_265)">