World Water Day 2022: ગુજરાતમાં જળ સંકટ ચિંતા ઉપજાવનારું, જાણો રાજ્યના જળાશયોમાં શું છે પાણીની સ્થિતિ

ભલે હોશે હોશે આપણે વિશ્વ જળ દિવસની ઉજવણી કરતા હોઇએ. પરંતુ પાણીની વાસ્તવિકતા ચિંતાજનક છે. રાજ્યના મોટાભાગના જળાશયો અડધા જ ભરેલા છે. ગત્ત વર્ષે ઓછા વરસાદથી જળાશયો અધૂરા રહ્યા.

World Water Day 2022: ગુજરાતમાં જળ સંકટ ચિંતા ઉપજાવનારું, જાણો રાજ્યના જળાશયોમાં શું છે પાણીની સ્થિતિ
World Water Day 2022 (Symbolic Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 22, 2022 | 1:53 PM

ભલે આજે આપણે વિશ્વ જળ દિવસની (World Water Day 2022) ઉજવણી (Celebration) કરતા હોઈએ, પરંતુ જળ સંકટ (Water crisis) ચિંતા ઉપજાવનારૂ છે. આપને જાણીને આશ્ચર્ય થશે કે રાજ્યના મોટાભાગના જળાશયો અડધા જ ભરેલા છે. આવા સમયે જો મેઘરાજા રિસાય તો રાજ્યમાં પાણીનો વિકરાળ પ્રશ્ન સર્જાઈ શકે છે. ત્યારે વિશ્વ જળ દિવસ નિમિત્તે આવો જોઈએ રાજ્યમાં જળની શું સ્થિતિ છે.

આજે વિશ્વ જળ દિવસ છે. વિશ્વમાં પાણીના ઉપયોગ સામે તેની સાચવણી એક મોટો પ્રશ્ન છે. ત્યારે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે પણ આજે વિશ્વ જળ દિવસે ટ્વીટ કરીને આ અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યુ કે પાણીને બચાવવાની જવાબદારી આપણા સૌની છે.

આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
આજનું રાશિફળ તારીખ : 14-05-2024
પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા
એક્સપાયરી ડેટ પછી ફેકી ન દેતા આ વસ્તુઓ, જાણો ક્યાં કરી શકો છો ઉપયોગ
Contact Number Recover : Mobile માંથી ડિલિટ થયેલા નંબરને આ રીતે પાછા મેળવો

ભલે હોંશે હોંશે આપણે વિશ્વ જળ દિવસની ઉજવણી કરતા હોઈએ. પરંતુ પાણીની વાસ્તવિકતા ચિંતાજનક છે. રાજ્યના મોટાભાગના જળાશયો અડધા જ ભરેલા છે. ગત્ત વર્ષે ઓછા વરસાદથી જળાશયો અધૂરા રહ્યા. ત્યારે ચાલુ વર્ષે પણ જો ઓછો વરસાદ વરસે તો પાણીની પારાયણ વિકટ બની શકે છે. રાજ્યમાં 183 ડેમમાં 70 ટકાથી ઓછુ પાણી છે તો 5 ડેમમાં 90 ટકાથી વધુ પાણી છે. ત્યારે ગત્ત વર્ષની સરખામણી કરીઓ તો આ પાણી 10 ટકા ઓછુ છે.

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાંથી જરૂર મુજબ પાણી લેવાઈ રહ્યું છે અને હાલ નર્મદા ડેમ અડધો જ ભરેલો છે. રાજ્યના જળાશયોની સ્થિતિ પર નજર કરીએ તો ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 17.19 ટકા પાણીનો જથ્થો છે. મધ્ય ગુજરાતના 17 ડેમમાં 55.14 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જ્યારે દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 75.51 ટકા પાણીનો જથ્થો છે. જ્યારે કચ્છના 20 ડેમમાં 22.49 ટકા અને સૌરાષ્ટ્રના 141 ડેમમાં 52.67 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.

આમ રાજ્યના 206 ડેમમાં સરેરાશ 50 ટકા પાણી ઉપલબ્ધ છે. એક રિપોર્ટ મુજબ હાલ રાજ્યના જળાશયોમાં 9 હજાર 858.74 MCM પાણીનો જથ્થો છે. જે 31 મે સુધીમાં 6,435.56 MCM રહેવાનો અંદાજ છે. જોકે સૌથી કફોડી સ્થિતિ ઉત્તર ગુજરાતના વિસ્તારોની છે. વિશ્વ જળ દિવસે જળાશયોમાં જળની સ્થિતિના આંકડા ચિંતાનું કારણ બની શકે છે. ત્યારે આવો આજના દિવસે જળનું મહત્વ સમજીએ જળનું જતન કરીએ અને સંભવિત જળ સંકટને દૂર કરીએ.

આ પણ વાંચો- રશિયા-યુક્રેન યુદ્ધની અસરઃ મેટલના વધતા ભાવથી સુરતના ઉદ્યોગકારો પરેશાન, 80 ટકા જરી ઉદ્યોગકારોએ ઉત્પાદન બંધ કર્યું

આ પણ વાંચો- Ahmedabad: CERCના સર્વેમાં બહાર આવી વિગતો, ડિજિટલ લેવડ દેવડમાં ગ્રાહકોને પડે છે મુશ્કેલી

Latest News Updates

રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
"મેન્ટરિંગ બિયોન્ડ AI" પુસ્તકનું જે એમ વ્યાસના હસ્તે કરાયું વિમોચન
ભારજ નદી પરનો પુલ બેસી જતા તંત્રએ કરોડોના ખર્ચે બનાવ્યુ કામચલાઉ છલિયુ
ભારજ નદી પરનો પુલ બેસી જતા તંત્રએ કરોડોના ખર્ચે બનાવ્યુ કામચલાઉ છલિયુ
g clip-path="url(#clip0_868_265)">