AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: CERCના સર્વેમાં બહાર આવી વિગતો, ડિજિટલ લેવડ દેવડમાં ગ્રાહકોને પડે છે મુશ્કેલી

સર્વે મુજબ ડિજિટલ સાક્ષરતાનું નીચું સ્તર, સલામતી અને ડેટા પ્રાઈવસીને કારણે ગ્રાહકોને ડિજિટલ લેવડ દેવડ કરવામાં સંપૂર્ણ સાહજીકતાનો અનુભવ થતો નથી. ઇ-વોલેટનો ઉપયોગ કરતા ગ્રાહકોને નેટવર્ક સમસ્યા, સર્વર એરર અને ફોન હેંગ થવા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

Ahmedabad: CERCના સર્વેમાં બહાર આવી વિગતો, ડિજિટલ લેવડ દેવડમાં ગ્રાહકોને પડે છે મુશ્કેલી
Symbolic image
Dipen Padhiyar
| Edited By: | Updated on: Mar 22, 2022 | 12:33 PM
Share

કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર (Consumer Education and Research Center)  દ્વારા ડિજિટલ ટ્રાન્જેક્શન (Digital transaction) અંગે કરવામાં આવેલા સર્વે (Survey) માં રસપ્રદ વિગતો સામે આવી છે. કોરોનાકાળ બાદ નાણાંકીય વ્યવહારોમાં ડિજિટલ પદ્ધતિ અપનાવ્યા બાદ ભારતે નોંધપાત્ર પ્રગતિ કરી છે. પરંતુ હજી લાંબી સફર કાપવાનું બાકી હોવાનું એક સર્વેક્ષણમાં બહાર આવ્યું છે. CERC દ્વારા હાથ ધરવામાં આવેલા એક સર્વેમાં ડિજિટલ સાક્ષરતાનું નીચું સ્તર, સલામતી અને ડેટા પ્રાઈવસીને કારણે ગ્રાહકોને ડિજિટલ લેવડ દેવડ કરવામાં સંપૂર્ણ સાહજીકતાનો અનુભવ થતો નથી. ઇ-વોલેટ (E-wallet) નો ઉપયોગ કરતા ગ્રાહકોને નેટવર્ક સમસ્યા, સર્વર એરર અને ફોન હેંગ થવા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

CERC દ્વારા વિવિધ પ્રકારના ડિજિટલ ટ્રાન્જેક્શન અંગે ગ્રાહકો પાસેથી અભિપ્રાય જાણવામાં ઓનલાઇન સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં 17થી 69 વર્ષના ગ્રાહકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં 94.4 ટકા ગ્રાહકો વિવિધ નાણાંકીય વ્યવહારો માટે ડેબિટ કાર્ડનો ઉપયોગ કરતા હતા. 33.6 ટકા ગ્રાહકોને ATMમાંથી નાણાં ઉપાડતી વખતે સમસ્યાઓનો સામનો કરવો પડતો હોવાનું સામે આવ્યું છે. આ માટે ગ્રાહકોએ બેંકનો સંપર્ક કર્યો હતો અથવા કોલ સેન્ટરમાં કોલ કર્યો હતો. કેટલાક ગ્રાહકોએ બેન્ક સમક્ષ ફરિયાદ નોંધાવ્યા પછી પણ તેમના ખાતામાં નાણાં પરત જમા થયા નહોતા. 42.1 ટકા ગ્રાહકોના જણાવ્યા મુજબ તેમણે ક્યારેય ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કર્યો નથી. જેમાં મોટાભાગના ગ્રાહકો વાર્ષિક ફી અને લેટ પેમેન્ટ ચાર્જ અંગે જાણકારી ધરાવતા હતા. પરંતુ 24.3 ટકા ગ્રાહકોને ક્રેડિકાર્ડ કંપનીઓ દ્વારા વસુલવામાં આવતા કોઈપણ પ્રકારના ચાર્જીસ અંગે ખ્યાલ નહોતો.

75 ટકા ગ્રાહકોએ પેટીએમ, ગૂગલ પે, ફોનપે ઇ-વોલેટનો ઉપયોગ કર્યો હતો. આ માટે તેમણે ફરિયાદના ઉકેલ માટે સંપર્કની ચોક્કસ વિગતો સહિત ઇ-વોલેટ કંપનીઓની સ્પષ્ટતાના અભાવ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. 81.3 ટકા ગ્રાહકોએ જ્ઞાનનો અભાવ, ઉંચા જોખમની શકયતા અને દેશમાં તેની કાયદેસરતા અંગેની સ્પષ્ટતાના અભાવે ક્રિપ્ટોકરન્સીમાં ક્યારેય રોકાણ કર્યું નથી અને આ અંગે વિચાર્યું પણ નથી. સર્વેમાં ભાગ લેનાર ગ્રાહકો માંથી 23 ટકા ગ્રાહકો કરીયાણાની ખરીદી માટે માત્ર રોકડનો ઉપયોગ કરે છે. જ્યારે ઓનલાઇન ફૂડ સહિત ઓનલાઇન ખરીદી માટે 18 ટકા ગ્રાહકો કેશ ઓન ડિલિવરીનો વિકલ્પ પસંદ કરે છે. જ્યારે યુટીલિટી બીલ્સની ચુકવણી માટે 50 ટકા લોકો ઓનલાઇન બેન્કિંગનો, 10 ટકા લોકો ચેક અને 15 ટકા લોકો રોકડનો ઉપયોગ કરે છે. રોકાણ અંગેના વ્યવહારો કરવા મોટાભાગના લોકો ઓનલાઇન બેન્કિંગનો ઉપયોગ કરે છે.

આ અંગે CERCના સીઈઓ ઉદય માવાણીએ જણાવ્યું હતું કે વૈશ્વિક સ્તરે ડિજિટલ ચુકવણી ધિરાણ, વીમો અને વેલ્થ મેનેજમેન્ટમાં પરિવર્તન લાવી રહી છે. નાણાંકીય સેવાઓના ગ્રાહકો માટે ડિજિટલ ચુકવણી મહત્વની બની રહી છે. જો કે ડિજિટલ સેવાઓના આગવા જોખમ રહેલા છે જે નાના ગ્રાહકોને અસર કરી શકે છે. આ સર્વેમાં ડિજિટલ ફાઇનાન્સ અંગે ગ્રાહકોમાં વિશ્વાસનું સ્તર નીચું છે તેને ઉજાગર કરવામાં આવ્યું છે. સમાજના તમામ વર્ગો શહેરી, ગ્રામીણ, વરિષ્ઠ નાગરિકો, બાળકો વગેરેએ ફાઇનાન્સ, સેવિંગ્સ અને લેવડ દેવડને આગળ ધપાવતી બદલાતી ટેકનોલોજીથી માહિતગાર થવાની જરૂર છે.

આ પણ વાંચોઃ અમદાવાદના નગરજનોને રૂ. 271 કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ, દરેકનું ‘ઘરના ઘર’નું સ્વપ્ન સાકાર કરવા સરકાર કટિબદ્ધ : મુખ્યમંત્રી

આ પણ વાંચોઃ LPG Gas Cylinder : આમ આદમીને મોંઘવારીનો વધુ એક ફટકો, પેટ્રોલ – ડીઝલ બાદ રાંધણ ગેસ પણ મોંઘો થયો, જાણો નવી કિંમત

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">