Valsad Loksabha Election Result 2024: ગુજરાતની આ બેઠક જીતનાર પક્ષની કેન્દ્રમાં રચાય છે સરકાર, અત્યાર સુધી રહ્યો છે ઈતિહાસ જાણો

ગુજરાતની આ લોકસભા બેઠક આદિવાસી સમુદાય માટે અનામત બેઠક છે. આ બેઠક કોંગ્રેસે વધુ વખત જીતી છે. ભાજપ અહીંથી અત્યાર સુધી પાંચ વખત જીતી ચુકી છે. 2024ની ચૂંટણીમાં આ સીટ પર જે પક્ષના ઉમેદવારની જીત થઈ છે તેમની સરકાર રચાઈ રહી હોવાના સજોગો સર્જાયા છે. લોકસભાની આ બેઠક અને કેન્દ્રની સરકારને લઈ એક અલગ જ માન્યતા છે.

Valsad Loksabha Election Result 2024: ગુજરાતની આ બેઠક જીતનાર પક્ષની કેન્દ્રમાં રચાય છે સરકાર, અત્યાર સુધી રહ્યો છે ઈતિહાસ જાણો
Follow Us:
| Updated on: Jun 04, 2024 | 5:03 PM

વલસાડ લોકસભા બેઠક ગુજરાતના દક્ષિણ ભાગમાં આવે છે. આ બેઠકનો મોટો હિસ્સો આદિવાસીઓનો છે. આ બેઠક પણ આદિવાસી સમુદાય માટે અનામત છે. છેલ્લી બે ચૂંટણીઓથી આ બેઠક ભાજપ પાસે છે. આ પહેલા આ બેઠક બે ટર્મથી કોંગ્રેસ પાસે હતી. આ ચૂંટણીમાં ભાજપે યુવા ચહેરાને તક આપીને ધવલ પટેલને મેદાનમાં ઉતાર્યા હતા. જ્યારે કોંગ્રેસે સારી દાવ રમતા વર્તમાન ધારાસભ્ય અનંત પટેલને ટિકિટ આપી હતી. 7 મેના રોજ યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં વલસાડ લોકસભા બેઠક પર સૌથી વધુ મતદાન થયું હતું.

આ બેઠક પર 72.71 ટકા મતદાન થયું હતું. આ બેઠક પર કોંગ્રેસ, ભાજપ ઉપરાંત બસપાએ પણ પોતાના ઉમેદવાર ઉતાર્યા હતા. આવી સ્થિતિમાં આ બેઠક પર અપક્ષ સહિત કુલ 7 ઉમેદવારો છે, પરંતુ મુખ્ય મુકાબલો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે હતો. કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીએ ખાસ કરીને વલસાડના ધરમપુરમાં અનંત પટેલ માટે જાહેર સભા યોજી હતી.

પાંચ બેઠકો વલસાડ જિલ્લાની

વલસાડ લોકસભા બેઠકની સાત વિધાનસભા બેઠકો પૈકી વાસંદા બેઠક સિવાયની તમામ બેઠકો પર ભાજપનો કબજો છે. આ લોકસભા મતવિસ્તારમાં એક બેઠક નવસારીમાં અને એક બેઠક ડાંગ જિલ્લામાં છે. બાકીની પાંચ બેઠકો વલસાડ જિલ્લાની છે. અનંત પટેલ પોતે વાસંદાના ધારાસભ્ય છે.

આજનું રાશિફળ તારીખ : 18-10-2024
સૂકા તુલસીના લાકડાથી દેવી લક્ષ્મી કેવી રીતે પ્રસન્ન થશે? જાણી લો
કાવ્યા મારન માટે આવ્યા આ મોટા સમાચાર, IPL 2025 પહેલા SRH ને લાગ્યો ઝટકો
દિવાળીમાં જૂના લાકડાના બારી-દરવાજા ચમકશે નવા જેવા, સફાઈ માટે અપનાવો આ 7 ટિપ્સ
સુંદરતાના વિટામીન કોને કહેવાય છે? નામ સાંભળીને દરેકને ખાવાનું મન થશે
પાન પર લવિંગ રાખીને સળગાવવાથી શું થાય છે?

ભૂતકાળમાં 1996, 1998 અને 1999માં ભાજપે મેળવી હતી જીત

2022ની ચૂંટણીમાં અનંત પટેલ બીજી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. જ્યારે ધવલ પટેલ પ્રથમ વખત ચૂંટણી લડી રહ્યા છે. આવી સ્થિતિમાં ભાજપ ગત વખતની જેમ હેટ્રિક નોંધાવી છે. ભૂતકાળની વાત કરવામાં આવે તો 1996, 1998 અને 1999માં ભાજપે આ સીટ પર સતત ત્રણ વખત જીત મેળવી હતી. જે આ હેટ્રીક ફરી ભાજપે વલસાડ લોકસભા સીટમાં જીત મેળવી છે.

2019માં સાંસદ કે.સી.પટેલે વલસાડથી જંગી માર્જિનથી જીત મેળવી હતી

2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપના વર્તમાન સાંસદ કે.સી.પટેલે વલસાડથી જંગી માર્જિનથી જીત મેળવી હતી. તેમણે કોંગ્રેસના ઉમેદવાર જીતુભાઈ ચૌધરીને 3,53,797 મતોની સરસાઈથી હરાવ્યા હતા. 2014ની ચૂંટણીમાં ડૉ.કે.સી.પટેલ 2.08 લાખ મતોથી જીત્યા હતા. ત્યારબાદ તેમણે તત્કાલીન સાંસદ કિશનભાઈ પટેલને હરાવ્યા હતા. હવે ભાજપના ઉમેદવાર ધવલ પટેલે ભાજપને જીત અપાવી છે.

ભાજપની વલસાડમાં જીત

હવે વાત ભાજપની જીતને લઈને કરવામાં આવે તો ગુજરાતની સત્તાને લઈ એવી લોકવાયકા છે કે, વલસાડ લોકસભા બેઠક પર જે પાર્ટીની જીત થાય તેની સરકાર કેન્દ્રમાં બનશે. ત્યારે આ લોકવાયકા ક્યાંક ને ક્યાંક સાચી પડી છે તેમ કહેવાય. ભાજપની વલસાડમાં જીત થઈ આ સાથે કેન્દ્રમાં પણ ભાજપની એક બેઠક સિવાય તમામ બેઠકો જીતી છે. એટલે કે વર્ષોથી ચાલતી આવતી લોકવાયકા સાચી ઠરી છે. વલસાડમાં ભાજપની જીતની વાત કરવામાં આવે તો

કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
અમરેલી જિલ્લામાં રેતી ચોરી સામે ધારી મામલતદારની ટીમનો સપાટો- જુઓ Video
અમરેલી જિલ્લામાં રેતી ચોરી સામે ધારી મામલતદારની ટીમનો સપાટો- જુઓ Video
મિસ્ત્રી પરિવારની 9 વર્ષની દીકરીના અંગદાનથી 7 લોકોને મળ્યુ નવજીવન
મિસ્ત્રી પરિવારની 9 વર્ષની દીકરીના અંગદાનથી 7 લોકોને મળ્યુ નવજીવન
મોહન ભાગવતે પાકિસ્તાનને લઈને આપ્યુ મોટુ નિવેદન,અમે માર ખાતા નથી અને...
મોહન ભાગવતે પાકિસ્તાનને લઈને આપ્યુ મોટુ નિવેદન,અમે માર ખાતા નથી અને...
g clip-path="url(#clip0_868_265)">