Vadodara: કારેલીબાગમાં સામી સાંજે એક મહિલાએ પાડોશમાં રહેતી યુવતીની હત્યા કરી નાખી

મીનહાઝ નામની યુવતીની ચપ્પુ જેવા તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકવામાં આવતા મીનહઝનું મોત થયું, મૃતક મીનહાઝની બહેન કહી રહી છે કે પાડોશમાં રહેતી સમીના નામની મહિલાએ તેની બહેનની નિર્દયતા પૂર્વક હત્યા કરી દીધી.

Vadodara: કારેલીબાગમાં સામી સાંજે એક મહિલાએ પાડોશમાં રહેતી યુવતીની હત્યા કરી નાખી
Vadodara woman Murder
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 23, 2022 | 7:57 AM

વડોદરા (Vadodara) શહેરના કારેલીબાગમાં સામી સાંજે એક યુવતીની હત્યા (Murder) કરી દેવામાં આવતા પોલીસ (Police) દોડતી થઈ હતી. યુવતીની હત્યાનો આરોપ અન્ય કોઈ પર નહીં પાડોશમાં જ રહેતી મહિલા પર લાગ્યો છે, મૃતકના પરિજનો હત્યાનું કારણ જુદું આપે છે અને પોલીસની પ્રાથમિક તપાસમાં કારણ જુદું નીકળી રહ્યું છે. કારેલીબાગ પોલીસે હત્યા કરનાર મહિલા (woman) અને તેના પરિવારજનોની શોધખોળ શરૂ કરી છે.

ઘટનાને પગલે વડોદરા શહેરના SSG હોસ્પિટલમાં લોકોના ટોળાં ઉમટ્યાં હતાં. પોસ્ટમોર્ટમ રૂમ આગળ પણ લોકોની મોટી ભીડ જામી હતી. કારેલીબાગ પોલીસ સ્ટેશન અને મહિલા પોલીસ સ્ટેશન જ્યાં આવેલું છે તેની સામેની ગલીમાં આવેલ મણિયાર મોહલ્લામાં DCP ACP સહિતના પોલીસ કાફલાની તપાસ શરૂ કરી દીધી અને લોકોની પૂછપરછ શરૂ કરી દીધી હતી. અહીં એક યુવતીની હત્યા થઈ હતી અને યુવતીની હત્યા કરનાર અન્ય કોઈ નહીં પાડોશમાં રહેતી એક માહિલા જ છે. મીનહાઝ નામની યુવતીની ચપ્પુ જેવા તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકવામાં આવતા મીનહઝનું મોત થયું, મૃતક મીનહાઝની બહેન કહી રહી છે કે પાડોશમાં રહેતી સમીના નામની મહિલાએ તેની બહેનની નિર્દયતા પૂર્વક હત્યા કરી દીધી.

મણિયાર નગરમાં બંને પરીવારો નજીકમાં જ રહે છે, મીનહાઝના પિતા ઘરની બહાર હતા તેઓને જાણ થતાં તેઓ પણ દોડી આવ્યા હતા,અને હત્યા કરનાર વિરુદ્ધ સખત કાર્યવાહીની માંગ કરી હતી.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

બનાવની જાણ થતાં કારેલીબાગ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી, પોલીસ દ્વારા પરિવારજનોની પ્રાથમિક પૂછપરછ બાદ હત્યા કરનાર આરોપી મહિલા અને તેના પરિવારજનો ની શોધખોળ શરૂ કરી હતી, બનાવને ગંભીરતા થી લઈ વડોદરા ઝોન-4 DCP પન્ના મોમાયા અને ACP વી જી પટેલ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને મીનહાઝ ના પરીવારજનો પાસેથી વિગતો જાણી હત્યારાઓ ને ઝડપ થી પકડી પાડવા માટે કારેલીબાગ પોલીસ ને સૂચના આપી હતી.

મીનહાઝ ના પરિવારજનો હત્યાનું કારણ જુદું આપે છે અને પોલીસની પ્રાથમિક તપાસમાં જુદું કારણ સામે આવી રહ્યું છે, હત્યાના ખરા કારણો અને આરોપીઓને શોધવામાં પોલીસ લાગી છે, જોવાનું હવે એ છે કે હત્યાના ખરા કારણો પરથી ક્યાર સુધીમાં પોલીસ પડદો ઊંચકી આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલે છે.

આ પણ વાંચોઃ Navsari: 24 કલાકથી લાઈટ ન અવતાં બિલિમોરામાં મોડી રાત્રે લોકોએ DGVCLની કચેરી પર પથ્થરમારો કરતાં પોલીસે લાઠીચાર્જ કર્યો

આ પણ વાંચોઃ Bharuch : ઝાડેશ્વર વિસ્તારમાં પાર્ક કાર સળગી ઉઠતા ફાયરબ્રિગેડે આગ ઉપર કાબુ મેળવ્યો, જુઓ Burning Car નો વિડીયો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">