વાઈનશોપની પરમિશન માટે તોડી પડાયું શિવ મંદિર, સેલવાસના સ્થાનિકો 25 વર્ષથી કરતા હતા પૂજા

સેલવાસ-વાપી રોડ પર 25 વર્ષથી મહાદેવનું એક મંદિર આવેલું હતું. જેને તોડી પડાતા સ્થાનિકોમાં રોષ છે. અહેવાલ પ્રમાણે વાઈનશોપની પરમિશન માટે આ કૃત્ય કરવામાં આવ્યું છે.

વાઈનશોપની પરમિશન માટે તોડી પડાયું શિવ મંદિર, સેલવાસના સ્થાનિકો 25 વર્ષથી કરતા હતા પૂજા
People are angry on demolition of Shiva temple to get permission for wine shop in Silvassa-Vapi road
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 15, 2021 | 4:44 PM

સેલવાસમાં એક એવી ઘટના બની છે જેના કારણે ધાર્મિક લોકોની લાગણી દુભાઈ. અને બાદમાં તેમણે આ મુદ્દે કલેક્ટર પાસે જવાનું નક્કી કર્યું. વાત જાણે એમ છે કે એક ખાનગી સમાચાર સંસ્થાના અહેવાલ અનુસાર સેલવાસ વાપી રોડ પર એક વાઈનશોપને મંજુરી મળે તે માટે મંદિર તોડી પાડવામાં આવ્યું. ખરેખરમાં તો ભગવાન શિવનું આ મંદિર 25 વર્ષ જૂનું હતું. વાઈનશોપની મંજુરી માટે મંદિરને હટાવવાના કારણે સ્થાનિક લોકોની લાગણી દુભાઈ છે.

25 વર્ષ જૂનું મંદિર તોડતા વિવાદ

અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે સેલવાસમાં સાયોના હોસ્પિટલની બાજુમાં મહાદેવનું મંદિર આવ્યું હતું. જે 25 વર્ષ કરતા પણ જુનું હતું. જેને વાઈનશોપની મંજૂરી માટે તોડી પાડવામાં આવ્યું. બાદમાં મામલો કલેક્ટર ઓફીસ પહોંચ્યો. સ્થાનિકોની લાગણી દુભાતા તેમણે કલેક્ટર ઓફીસના દરવાજા ખખડાવ્યા અને કલેક્ટરને આ બાબતે લેખિતમાં રજૂઆત કરી છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

લોકો વર્ષોથી મંદિરમાં કરતા હતા પૂજા

અહેવાલમાં સ્થાનિક રહેવાસીના મત પ્રમાણે જણાવવામાં આવ્યું છે કે જીતાલ બારની બાજુમાં મહાદેવનું મંદિર આવેલું હતી. જેમાં ભગવાન શિવની મૂર્તિ અને શિવલિંગ આવેલું હતું. મંદિર સાથે હજારો ભક્તોની આસ્થા જોડાયેલી હતી. લોકો વર્ષોથી મંદિરમાં પૂજા, આરતી અને સ્તુતિ કરતા હતા. અહેવાલમાં સ્થાનિકે જણાવ્યું છે કે અચાનક મંદિર, મૂર્તિ અને શિવલિંગ તોડી પાડવામાં આવ્યું. કોઈ અસામાજિક તત્વો દ્વારા કે પછી કોઈ સ્વાર્થ માટે કોઈએ સમજીવિચારીને આ કૃત્ય કર્યું છે.

ફરીથી મંદિર બનાવવાની માંગ

વર્ષો જૂનું મંદિર નામશેષ થઇ જતા સ્થાનિકોમાં રોષ છે. સેલવાસના રહેવાસી તેમજ મંદિરની આજુબાજુ રહેતા સોસાયટીના લોકોને ઘણું દુઃખ અને આઘાત લાગ્યો છે. આ કારણે આ ઘટનાનો ભારે વિરોધ થઇ રહ્યો છે. સમગ્ર મામલે લોકો દ્વારા કલેકટર ઓફીસમાં અરજી આપવામાં આવી છે. અને પ્રશાસન દ્વારા આ મામલે જલ્દીથી જલ્દી પગલા ભરવામાં આવે. તેમજ લોકોની ભાવનાને ધ્યાનમાં રાખીને ફરીથી આ મંદિરનું નિર્માણ કરવાની માંગ લોકોમાં ઉઠી છે.

આ પણ વાંચો: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના પ્રધાનમંડળની શપથવિધિ ગુરુવારે 16મી સપ્ટેમ્બરના રોજ બપોરના 1.30 કલાકે યોજાશે

આ પણ વાંચો: Gujarat માં મંત્રીમંડળની રચનાને લઇને પેચ ફસાયો, ચાર નારાજ ધારાસભ્ય પૂર્વ સીએમ રૂપાણીને મળવા પહોંચ્યા : સૂત્ર

Latest News Updates

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">