VALSAD : ડુમલાવ ગામમાં પશુઓમાં ખરમાન નામનો રોગચાળો ફેલાયો, 10થી વધુ પશુઓના મોતનો પશુપાલકોનો દાવો

પારડી તાલુકાના ડુમલાવ ગામમાં પશુપાલકો ઉપર આફત આવી છે. જે પશુઓ થકી તેમનું ગુજરાન ચાલે છે એવા પશુઓ મોતને ભેટી રહ્યા છે.

VALSAD : ડુમલાવ ગામમાં પશુઓમાં ખરમાન નામનો રોગચાળો ફેલાયો, 10થી વધુ પશુઓના મોતનો પશુપાલકોનો દાવો
VALSAD: An epidemic called Kharman spread among cattle in Dumlaw village
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 11, 2021 | 7:25 PM

વલસાડ જિલ્લાના ડુમલાવ ગામમાં ખરમાન નામનો રોગ 10થી વધુ પશુઓને ભરખી ગયો છે.આ રોગએ પશુ પાલકોમાં ફફડાટ ફેલાવ્યો છે. અને પશુઓના મોતથી પશુપાલકો આર્થિક મુસીબતમાં મુકાઈ રહ્યા છે.

પશુપાલકોમાં ચિંતા અને ડરનો માહોલ

પારડી તાલુકાના ડુમલાવ ગામમાં પશુપાલકો ઉપર આફત આવી છે. જે પશુઓ થકી તેમનું ગુજરાન ચાલે છે એવા પશુઓ મોતને ભેટી રહ્યા છે. ડુમલાવ ગામના પશુઓમાં ખરમાન નામનો રોગ જોવા મળી રહ્યો છે. પશુપાલકોનું કહેવું છે કે આ રોગની ચપેટમાં આવેલા પશુઓ પહેલા પગ ખંખેરે છે, પછી મોં માંથી પાણી પડવાનું ચાલુ થાય છે. આ ચિન્હ દેખાઈ એટલે સમજવાનું કે પશુ ખરમાનમાં સપડાઈ ગયું છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ખરમાન રોગચાળામાં 10થી વધુ પશુના મોત : પશુપાલકો

ખરમાન રોગ અત્યારસુધી 15 થી 20 ઢોરને ભરખી ગયો છે. પશુપાલકોનું માનીએ તો આ રોગ ચેપીરોગ છે અને રોગના સકંજામાં આવેલા પશુઓને સારવાર ન મળે તો તેમનું મૃત્યુ થાય છે. અને સારા થયેલા પશુઓ પણ દૂધ ઓછું આપતા હોવાની ફરિયાદો ઉઠી છે. જેના કારણે પશુપાલકોને આર્થિક ફટકો પડી રહ્યો છે. તેમાં પણ જેમણે પશુઓ માટે લોન લીધી છે તેમની હાલત તો ખુબજ કફોડી બની રહી છે. તો બીજી તરફ સરકારી વિભાગના પશુ ચિકિત્સકએ પશુઓની સારવાર માટે કોઈ પગલા લીધા ન હોવાનું પણ પશુપાલકોનું કહેવું છે.

પશુવિભાગનો સબસલામતનો દાવો

તો બીજી બાજુ જિલ્લા પંચાયતના પશુ વિભાગનું કહેવું છે કે રોગના કારણે માત્ર 2 થી 3 પશુઓના જ મોત થયા છે. અને હાલ પરિસ્થિતિ કાબુમાં છે.તો સાથે સાથે પશુઓને વેક્સીન પણ અપાઈ હોવાનું તબીબનું કહેવું છે.

હાલ તો ડુમલાવના પશુપાલકોમાં ભયનું વાતાવરણ છે. તેમના ઢોર ક્યાંક ખરમાનની ચેપેટમાં આવી ન જાય તેનો ડર સતાવી રહ્યો છે.ત્યારે સરકારી તંત્ર આ માટે પગલા લે અને ખરમાનને કાબુમાં લેવા કે તેને જળમૂળથી નાથવા ત્વરિત પગલા લે એવી પશુપાલકોમાં માંગ ઉઠી રહી છે.

આ પણ વાંચો : Gujarat ના મુખ્યમંત્રી તરીકે પૂર્વ ગૃહમંત્રી પ્રફુલ પટેલનું નામ પણ ચર્ચામાં, જાણો તેમની રાજકીય સફર

આ પણ વાંચો :  Ahmedabad : ડો.ડિટોક્ષ ક્લિનિકની બે પૂર્વ કર્મચારીએ 12.50 લાખની છેતરપિંડી આચરી, બંને મહિલા ઝડપાઇ

Latest News Updates

દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
g clip-path="url(#clip0_868_265)">