AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વડોદરા : 9 માર્ચે ગુમ થયેલા યુવકનો કેનાલમાંથી મળ્યો મૃતદેહ, મૃતકના પિતાએ હત્યા કરાઈ હોવાનો કર્યો આક્ષેપ

મૃતક પંકજ પરમારના પિતાનો આક્ષેપ છે કે તેમના પુત્રની હત્યા કરવામાં આવી છે. પિતાના જણાવ્યા પ્રમાણે 9મી માર્ચથી પંકજ ઘરેથી બાઈક લઇ નીકળ્યો હતો પરંતુ બીજે દિવસે પણ પરત નહીં ફરતા તેની સાથે મોબાઈલ ફોન પર સંપર્ક કર્યો હતો.

વડોદરા : 9 માર્ચે ગુમ થયેલા યુવકનો કેનાલમાંથી મળ્યો મૃતદેહ, મૃતકના પિતાએ હત્યા કરાઈ હોવાનો કર્યો આક્ષેપ
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 13, 2023 | 12:52 PM
Share

વડોદરાના રામપુરા ગામના 9 માર્ચે ગુમ થયેલા યુવકનો મૃતદેહ ડભાસાની કેનાલમાંથી મળી આવતા ચકચાર મચી છે. મૃતક પંકજ પરમારના પિતાનો આક્ષેપ છે કે તેમના પુત્રની હત્યા કરવામાં આવી છે. પિતાના જણાવ્યા પ્રમાણે 9મી માર્ચથી પંકજ ઘરેથી બાઈક લઇ નીકળ્યો હતો પરંતુ બીજે દિવસે પણ પરત નહીં ફરતા તેની સાથે મોબાઈલ ફોન પર સંપર્ક કર્યો હતો.

આ પણ વાંચો : Gujarati Video: વડોદરાને મળશે આજે નવા મેયર, કેયુર રોકડિયાના રાજીનામા બાદ અનેક નામો ચર્ચામાં, ચિરાગ બારોટ અને મનોજ પટેલનું નામ મોખરે

પંરતુ તેને ફોન ઉપાડ્યો ન હોતો. જેથી પરિવાર તેની શોઘખોળ કરી રહ્યો હતો. તે જ અરસામાં ડભાસાની કેનાલમાંથી પંકજનો મૃતદેહ મળ્યો હતો. સાથે જ કેનાલ પાસે તેની બાઈક અને તેમાંથી મોબાઈલ અને પર્સ પણ મળી આવ્યું હતું. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગે પંકજનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. તો પોલીસે પણ આ અંગે તપાસ હાથ ધરી છે.

અમદાવાદની હોસ્પિટલમાંથી મળ્યો મૃતદેહ

આ અગાઉ અમદાવાદમાં 3 દિવસથી ગુમ થયેલી નર્સનો હોસ્પિટલમાંથી મૃતદેહ મળ્યો હતો. ચાંદખેડાની SMS હોસ્પિટલમાં નર્સ ફરજ બજાવતી હતી. 3 દિવસથી ગુમ થયેલી નર્સનો હોસ્પિટલમાંથી લટકતી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. નર્સ હોસ્પિટલના 7માં માળે કામ કરતી હતી અને 3 દિવસથી ફરજ પર ન આવતા પરિવારને તેની જાણ કરાઈ હતી.

નર્સની આત્મહત્યા કરેલી હાલતમાં લાશ મળતા પોલીસે તે દીશામાં તપાસ ચાલુ કરી હતી. પરંતુ નર્સની હત્યા થઈ હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો. મહત્વનું છે કે નર્સ માનસિક વિભાગમાં સારવાર લેતી હોવાનો પણ હોસ્પિટલ તંત્રએ દાવો કર્યો હતો. હાલ નર્સની હત્યા થઈ છે કે આત્મહત્યા તે પોલીસ તપાસ બાદ જ સામે આવશે.

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">