Vadodara: અકોટાના મિકેનિકલ એન્જીનિયર યુવકે કંપનીમાં ફાંસો ખાઈ લીધો, અત્મહત્યાનું કારણ અકબંધ

મિકેનિકલ એન્જિનિયર યશ અગ્રવાલના લગ્ન 4 મહિના પહેલા જ થયા હતા. લગ્નના 4 મહિનામાં જ પુત્ર ગુમાવતા પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા છે. 

Vadodara: અકોટાના મિકેનિકલ એન્જીનિયર યુવકે કંપનીમાં ફાંસો ખાઈ લીધો, અત્મહત્યાનું કારણ અકબંધ
mechanical engineer suicide
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 04, 2022 | 11:55 PM

વડોદરા (Vadodara) માં એક યુવકની આત્મહત્યા (suicide) ના લાઈવ સીસીટીવી (CCTV) સામે આવ્યા છે. વડોદરાના અકોટાના યુવકની મકરપુરાની કંપનીમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. આત્મહત્યા પૂર્વે યુવક તણાવમાં ફરી રહ્યો હોવાના અને બાદમાં પટ્ટા વડે ગળેફાંસો ખાતા દ્રશ્યો સીસીટીવીમાં કેદ થઈ ગયાં છે. 27 વર્ષીય મિકેનિકલ એન્જીનિયર યુવકે ક્યાં કારણોસર આત્મહત્યા કરી તે અંગે પોલીસ તપાસ શરૂ કરી છે.

વડોદરાના અકોટા પટેલ એસ્ટેટ પાસે સન્મુખ પાર્કમાં રહેતો 27 વર્ષીય મિકેનિકલ એન્જિનિયર યશ અગ્રવાલે મકરપુરા GIDCમાં આવેલી એન્જિનિયરિંગ કંપનીમાં ફરજ બજાવતો હતો. 2 જુલાઇએ રાત્રે પટ્ટા વડે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. મોડે સુધી ઘરે ન આવતા પુત્રની ચિંતામાં પરિવારે કંપનીમાં ફોન કરતા ઘટનાની જાણ થઈ હતી. પોલીસના જણાવ્યા મુજબ યુવાનનો ભાઈ સિંગાપુર ખાતે હોવાથી તેનો મૃતદેહ કોલ્ડરૂમમાં મૂકવામાં આવ્યો છે. યુવાને આ પગલું કેમ ભર્યું તેનું રહસ્ય હજુ સુધી અકબંધ રહ્યું છે. આ બનાવ અંગે માંજલપુર પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી પ્રમાણે મિકેનિકલ એન્જિનિયર યશ અગ્રવાલના લગ્ન 4 મહિના પહેલા જ થયા હતા. લગ્નના 4 મહિનામાં જ પુત્ર ગુમાવતા પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા છે. યશ અગ્રવાલે મકરપુરા સ્થિત કંપનીમાં આપઘાત કર્યો હતો. જેથી સમગ્ર ઘટના કંપનીના CCTVમાં કેદ થઈ ગઈ હતી. CCTVમાં દેખાય છે કે, આપઘાત કરતા પહેલા યશ અગ્રવાલ 1 કલાક 10 મિનિટ સુધી આંટાફેરા મારે છે, ત્યારબાદ તે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લે છે.

આ પણ વાંચો

વડોદરામાં આપઘાતના અન્ય બે બનાવ પણ બન્યા હતા. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ,ચાપડ બિલ રોડ પર ફોર્ચ્યુન ઇલાઇટમાં રહેતી સુશીલાબેન જેઠારામ માંજુના  પતિ મકરપુરામાં ચ્હાની લારી છે.આજે સવારે તેનો પતિ કામ  પર ગયો હતો.તે દરમિયાન સુશીલાએ રહસ્યમય સંજોગોમાં ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.રાતે તેનો પતિ ઘરે આવ્યો ત્યારે આપઘાતની જાણ થઇ હતી.

અન્ય એક બનાવની વિગત એવી છે કે,વડસર બ્રિજ નીચે ઇન્દિરાનગરમાં રહેતા ભારતીદેવી યાદવે આજે સવારે લીલા કલરની સાડી વડે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.તેના પતિ ભાઇના ઘરે ટિફિન આપવા ગયો હતો.તે પરત આવ્યો ત્યારે પત્નીને  ફાંસો ખાધેલી  હાલતમાં જોતા પોલીસને જાણ કરી હતી.માંજલપુર  પોલીસે જણાવ્યું હતું કે,ભારતીદેવીનો લગ્નગાળો દોઢ વર્ષનો છે.અને તેને એક મહિનાનો ગર્ભ હતો.આપઘાતનું કારણ હજી જાણી શકાયું નથી.કારેલીબાગમાં રહેતા માનસિક અસ્વસ્થ યુવાને ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરી લીધો હતો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">