AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: ગુનો કર્યો હશે તો સજા મળશે જ, ધોળકા હત્યા કેસમાં 4ને આજીવન કેદ

પૈસાની લેતીદેતી મામલે એક વ્યક્તિનું અપહરણ કરી અસહ્ય માર માર્યા બાદ ગળે ટુંપો આપી હત્યા કરી નાખવામાં આવી હતી અને બાદમાં ચાણોદ નજીક મૃતકને સળગાવી દેવામાં આવ્યો હતો.

Ahmedabad: ગુનો કર્યો હશે તો સજા મળશે જ, ધોળકા હત્યા કેસમાં 4ને આજીવન કેદ
4 will be sentenced to life imprisonment
Ronak Varma
| Edited By: | Updated on: Jul 04, 2022 | 11:28 PM
Share

વર્ષ 2018ની સાલમાં અમદાવાદ (Ahmedabad) જિલ્લાના ધોળકા (Dholka) ટાઉન પોલીસ (Police) સ્ટેશનમાં એક ગુનો નોંધાયો હતો જેમાં પૈસાની લેતીદેતી મામલે એક વ્યક્તિનું અપહરણ કરી બંધક બનાવીને ઢોર માર મારવામાં આવ્યો હતો. આ વ્યક્તિને અસહ્ય માર માર્યા બાદ ગળે ટુંપો આપી હત્યા કરી નાખવામાં આવી હતી અને બાદમાં ચાણોદ નજીક મૃતકને સળગાવી દેવામાં આવ્યો હતો. જે બાબતનો ગુનો ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો હતો. ધોળકા એડીશનલ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજની કોર્ટે કુલ ચાર આરોપીઓને આજીવન કેદની સજા સંભળાવી છે.

વર્ષ 2018 ની સાલમાં ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનમાં હત્યા અને અપહરણ અને કાવતરું રચવા હેઠળનો ગુનો નોંધાયો હતો. સમગ્ર હકીકત એ મુજબની છે કે ભરતભાઈ મનુભાઈ મકવાણા નામના એક વ્યક્તિએ પર્સોતોમભાઈ ઉર્ફે પસાભાઈ પરમાર પાસેથી ઉછીના 10 લાખ 30 હજાર લીધા હતા અવારનવાર પૈસાની ઉઘરાણી કરવા છતાય ભરતભાઈ મકવાણા કોઈ કારણોસર રૂપિયા આપી શકતા નોહતા જેથી આ કેસના મુખ્ય આરોપીએ પરસોતમ ભાઈ પરમારે અને અન્ય 06 આરોપીઓ એમ કુલ મળીને સાત આરોપીઓએ ભેગા મળીને ભરતભાઈ મકવાણાનું વટામણ ચોકડી પાસેથી અપહરણ કરી લીધું હતું અને અપહરણ કર્યા બાદ જુવાળ રૂપાવટી ગામમાં એક ઘરમાં લઈને જઈને પૂરી દીધા હતા અને ત્યાં આગળ ભરતભાઈને ધમકાવવામાં આવ્યા હતા અને માર મારવામાં આવ્યો હતો. બાદમાં પણ પૈસા નહી આપતા ગળે ટુપો દઈને ભરતભાઈ મકવાણાને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ તમામ આરોપીઓએ ભરત મકવાણાની લાશને ગાડીમાં નાખીને ચાણોદ લઇ જવા આવી હતી અને લાશને સળગાવી દેવામાં આવી હતી. જેથી કરીને પૂરવાનો નાશ કરી શકાય અને પોલીસ આરોપીઓ સુધી પોહચી શકે નહિ. ઉલ્લેખનીય છે કે આ મામલે ધોળકા પોલીસે શરૂઆતમાં કુલ સાત આરોપીઓ સામે ગુનો નોંધીને સાતેય આરોપીઓની ધરપકડ કરી લીધી હતી.

આ પણ વાંચો

ચાર વર્ષ બાદ શું આવ્યો ન્યાય પાલિકાનો ચુકાદો?

ધોળકા એડીશનલ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજની કોર્ટે સમગ્ર બનાવની ગંભીર નોંધ લેતા આ કેસમાં સંડોવાયેલા સાત આરોપીઓ માંથી ચાર આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે અને રૂપિયા 10,૦૦૦ નો દંડ ફટકાર્યો છે આ કેસમાં નામદાર કોર્ટે કુલ 37 જેટલા સાક્ષીઓની તપાસ કરી હતી અને 14 જેટલા દસ્તાવેજી પુરવાઓ ધ્યાને લીધા હતા મૃદાલા બેન પરમાર અને ભરતભાઈ પરમારને પુરવાના અભાવે કોર્ટે છોડી મુક્યા હતા. જયારે કોર્ટે જીતેન્દ્ર ઉર્ફે પરમાર, કૌશિક ઉર્ફે કનુભાઈ પરમાર,વિક્રમ ભાઈ પરમાર તથા નીલેશ ઉર્ફે ચકો પરમારને આજીવન કેસની સજા ફટકારી છે અને રૂપિયા દસ હજારનો દંડ પણ ફટકાર્યો છે.

ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
g clip-path="url(#clip0_868_265)">