PM મોદીએ ત્રીજા રોજગાર મેળાનું વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઉદ્ઘાટન કર્યું, વડોદરાના 126 ઉમેદવારોને નિયુક્તિ પત્ર એનાયત થયા

વડોદરાના (Vadodara) 126 સહિત દેશના 71 હજારથી વધારે સફળ ઉમેદવારોને આજરોજ નિમણૂંક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. વડોદરાના સફળ ઉમેદવારોના અભિવાદન અને તેમને નિયુક્તિ પત્રોના વિતરણના કાર્યક્રમનું કરવામાં આવ્યુ હતુ.

PM મોદીએ ત્રીજા રોજગાર મેળાનું વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઉદ્ઘાટન કર્યું, વડોદરાના 126 ઉમેદવારોને નિયુક્તિ પત્ર એનાયત થયા
વડોદરાના 126 ઉમેદવારોને નિયુક્તિ પત્ર એનાયત થયા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 20, 2023 | 5:02 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ભારત સરકારે, તેની હેઠળના વિવિધ વિભાગો અને સંસ્થાઓમાં લાયક ઉમેદવારોની ભરતીની ઝુંબેશ શરૂ કરી છે. જે અંતર્ગત PM મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી રોજગાર મેળાના ત્રીજા તબક્કાનું ઉદ્ઘાટન કર્યું હતું. જેમાં કેન્દ્રીય રેલવે અને ટેક્સટાઈલ રાજ્યમંત્રી દર્શના જરદોશ વડોદરાથી સીધા જોડાયા હતા.

આગામી સમયમાં દેશના 10 લાખ યુવાઓને સરકારી સેવામાં જોડવાના ભારત સરકારના સંકલ્પ અને ઝૂંબેશ હેઠળ સફળ થઈને નિમણૂંકને પાત્ર બનેલા વડોદરાના 126 સહિત દેશના 71 હજારથી વધારે સફળ ઉમેદવારોને આજરોજ નિમણૂંક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. વડોદરાના સફળ ઉમેદવારોના અભિવાદન અને તેમને નિયુક્તિ પત્રોના વિતરણના કાર્યક્રમનું આજે ગોત્રી-સેવાસી સ્થિત એફ.જી.આઈ. ઓડિટરિયમ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.

નવનિયુક્ત ઉમેદવારોને અભિનંદન અને શુભકામના પાઠવતા કેન્દ્રીય રાજ્યમંત્રી દર્શના ઝરદોશે જણાવ્યું કે, સરકારી સેવામાં જોડાનાર યુવાઓ વિકસિત ભારતની યાત્રાના ભાગીદાર છે. આ યુવાઓના માથે આત્મનિર્ભર, સશક્ત અને સમર્થ ભારતની જવાબદારી છે. PM નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી ભારત સરકાર મિશન મોડમાં રોજગાર પ્રદાન કરી રહી છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

દર્શના ઝરદોશે વધુમાં જણાવ્યું કે, PM નરેન્દ્ર મોદી યુવાઓની ચિંતા કરી રહ્યા છે, યુવાઓના રોજગારના વિકલ્પની ચિંતા કરી રહ્યા છે, ત્યારે આઝાદીના આ અમૃત મહોત્સવમાં નવનિયુક્ત યુવા કર્મયોગીઓ ભરપૂર ઉર્જા સાથે દેશને ઉપયોગી બનશે અને ભવ્ય ભારતનું નિર્માણ કરશે. યુવા કર્મયોગીઓ અલગ-અલગ મંત્રાલયો અને સરકારી વિભાગોમાં જોડાઈને પ્રજાની સેવાના લક્ષ્ય સાથે નિરંતર આગળ વધશે, ત્યારે ભારતની વિકાસયાત્રા બમણી ગતિથી વેગવંતી બનશે. તેમણે આ નિમણૂંક પત્રોથી માત્ર કર્મયોગીઓ જ નહીં, પરંતુ તેઓના સ્વજનોના જીવનમાં પણ સુખદ વળાંક આવશે, તેવો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કરીને નવા સંકલ્પ સાથે નવોદિત કર્મયોગીઓ આગળ વધશે તેવી અપેક્ષા સેવી હતી.

કાર્યક્રમના અંતે કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી દર્શના જરદોશ તથા અન્ય ઉપસ્થિત મહાનુભાવના વરદ હસ્તે સફળ ઉમેદવારોને નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતા.આ પ્રસંગે વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ, વડોદરાના સાંસદ  રંજનબેન ભટ્ટ, મેયર અને ધારાસભ્ય  કેયુરભાઈ રોકડીયા, ધારાસભ્ય  ચૈતન્યસિંહ ઝાલા, ચૈતન્ય દેસાઈ, કલેક્ટર અતુલ ગોર, સીજીએસટીના પ્રિન્સિપાલ ચીફ કમિશનર અજય ઉબલે, આઈઆરસીટીસીના ડીઆરએમ  અમિત ગુપ્તા, રેલવે, ઈપીએફઓ, જીએસટી વિભાગના ઉચ્ચ અધિકારીઓ, રોજગાર મેળાના નોડલ, નિમણૂક પત્ર મેળવનાર સફળ ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા.|

(વિથ ઇનપુટ-યુનુસ ગાઝી, વડોદરા)

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">