હરિધામ સોખડા મંદિરમાં ફરી વિવાદ, સરલ સ્વામીની ઓડિયો ક્લિપમાં કહેવાયું કે સંતોની હાજરીમાં પ્રબોધ સ્વામીએ મારી માફી માગી છે, સંતોએ નિવેદન આપ્યું કે આવું થયું જ નથી

વડોદરા નજીક આવેલા હરિધામ સોખડા મંદિરમાં પ્રબોધ સ્વામી સાથે ગેરવર્તન થયું હોવાનો હરિભક્તની અરજી બાદ ફરી મંદિરમાં વિવાદ સામે આવ્યો હતો. આ વિવાદમાં પોલીસ વચ્ચે પડી હતી અને સમર્થકોએ કલેક્ટરને આવેદન આપ્યું હતું. આ વિવાદમાં આજે ફરી નવો ફણગો ફૂટ્યો છે.

હરિધામ સોખડા મંદિરમાં ફરી વિવાદ, સરલ સ્વામીની ઓડિયો ક્લિપમાં કહેવાયું કે સંતોની હાજરીમાં પ્રબોધ સ્વામીએ મારી માફી માગી છે, સંતોએ નિવેદન આપ્યું કે આવું થયું જ નથી
સંતોએ નિવેદન આપ્યું કે ઓડિયો ક્લિપમાં કહેવાયું છે તેવું થયું જ નથી.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 20, 2022 | 3:43 PM

વડોદરા (Vadodara) નજીક આવેલા હરિધામ સોખડા(Haridham Sokhda) મંદિરમાં પ્રબોધ સ્વામી (Prabodh Swami) સાથે ગેરવર્તન થયું હોવાનો હરિભક્તની અરજી બાદ ફરી મંદિરમાં વિવાદ (Controversy) સામે આવ્યો હતો. આ વિવાદ બાદ વડોદરા ગ્રામ્ય DySP તથા વડોદરા તાલુકા પોલીસના PSIની ટીમ મંદિર પહોંચી હતી. બીજા દિવસે પ્રબોધસ્વામી સાથે ગેરવર્તનને લઇને હરિભક્તો વડોદરા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને કોઠારી પદેથી પ્રેમ સ્વરૂપ સ્વામીના રાજીનામાની માંગ કરી હતી. આ મામલે કાર્યવાહી કરવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. આ દરમિયાન કલેક્ટર ઓફિસની બહાર બંને પક્ષના સમર્થકો વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી.

જોકે ત્યાર બાદ આ વિવાદમાં શાતિ જોવા મળી હતી પણ આજે ચાર દિવસ બાદ ફરી વિવાદ બહાર આવ્યો છે. પ્રબોધ સ્વામી સાથે ગેરવર્તન કરવાનો જેના પર આરોપ છે તે સરલ સ્વામીની ઓડિયો કલીપ જાહેર થઈ છે. જેમાં તેમણે કેટલાક સંતોની હાજરીમાં પ્રબોધ સ્વામીએ તેની માફી માગી હોવાનું કહ્યું છે. જોકે આ ક્લિપમાં જે સંતોના નામ છે તે ત્રણ સંતોએ સંયુક્ત નિવેદન આપ્યું છે કે આવી કોઈ ઘટના બની જ નથી.

સરલ સ્વામીની ઓડિયો કલીપમાં શું છે?

જય સ્વામિનારાયણ, હજી બીજું એક સાંભળી લેજો એક મહિનો નથી થયો એ પહેલા પ્રબોધ સ્વામી મારી અને યોગીચરણ સ્વામીની માફી માગવા આવ્યા હતા કે મારે ના કરવા જેવુ તમારી જોડે કર્યું છે અને પ્રબોધ સ્વામીની સાક્ષી જોઈતી હોય તો સુરજ સ્વામિ ને પૂછો, શ્રીજી ચરણ ને પૂછો,પછી બીજા કોણ હતા ,ગુરુપ્રસાદ સ્વામીને પૂછો,પ્રબોધ સ્વામીએ માફી માંગી??પૂછો અને પછી મને જવાબ આપો. જય સ્વામિનારાયણ

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ઓડિયો ક્લિપમાં નામ છે તે ત્રણ સંતોએ સંયુક્ત નિવેદનમાં શું કહ્યું?

આત્મીય સમાજના સૌ ભૂલકાઓને અંતરના જય શ્રી સ્વામિનારાયણ. હું સાધુ સુરાજ દાસ,હું સાધુ ગુરુપ્રસાદ દાસ,હું સાધુ શ્રીજી ચરણ દાસ, અમે ત્રણેય ખાતરી પૂર્વક કહીએ છીએ કે સરલ સ્વામીજીએ જે અમારા ત્રણ ના નામનો ઉપયોગ કરી પરમ પૂજ્ય પ્રબોધ સ્વામી પર ઉપર ખોટા આક્ષેપ લગાવી માફી માગવાની જે વાત કરી છે કે સત્ય થી સતત વેગળી છે,જૂઠી છે પહેલા તો એવી કોઈ ઘટના બનીજ નથી કે જેથી માફી માગવાનો કોઈ સવાલ આવે ..તો સૌ ભૂલકાઓ ને જણાવવાનું કે આ વાત સદંતર સત્યથી વેગળી છે માફી મંગવાની કોઈ ઘટના બનીજ નથ.. માફી માંગી જ નથી જેની સૌ નોંધ લે.

આ બંને નિવેદનો સાંભળ્યા પછી ઊભા થતા સવાલો

  1. એક મહિના પહેલા હરિધામમાં એવી શુ ઘટના બની હતી?
  2. જેને ગાદી પર બીરાજવા માટે હરિ ભક્તો ની લાગણી છે એવી હરિપ્રસાદ સ્વામી પછી ની પ્રથમ હરોળના પ્રબોધ સ્વામી ત્રીજી હરોળ ના સરલ સ્વામી કે યોગી ચરણ સ્વામી ની માફી માંગવા કેમ આવે?
  3. એ ઘટના શુ હતી,એ ઘટના નો મુદ્દો શું હતો? એક મહિના પહેલા બનેલી એ ઘટના કેમ દબાઈ ગઈ? અને ત્યાર પછી 5 દિવસ પહેલા સરલ સ્વામી એ પ્રબોધ સ્વામી સાથે ગેર વર્તન કર્યું હોવાની વાત કેમ સામે આવી?
  4. સરલ સ્વામીના ઓડિયો બાદ, ત્રણ સંતોને ખુલાસો કરવાની કેમ ફરજ પડી?
  5. જો કોઈ ઘટના બની જ નથી તો સરલ સ્વામી દ્વારા ત્રણ સંતોના નામ જોગ કેમ નિવેદન આપ્યું?
  6. સાધુ સુરાજદાસ આ વાતનું ખંડન કેમ કરે છે?
  7. આ પ્રકારના સતત વિવાદો છેડવા પાછળ જે ટોળકી સક્રિય છે તેને હરિધામ સોખડામાં રહેલા ક્યા સંતો અને ટ્રસ્ટીઓ છાવરી રહ્યા છે?

આ પણ વાંચોઃ અમદાવાદમાં એક જ અઠવાડિયામાં ત્રીજી હત્યા, ભાડૂતે મકાન માલિકને બોથડ પદાર્થ ઝીંકી પતાવી દીધો

આ પણ વાંચોઃ Mehsana: ચૌધરી સમાજ બે ભાગમાં વહેંચાઈ ગયો, ગુંજા ગામે વિપુલ ચૌધરીના અને બોરીયાવીમાં અશોક ચૌધરીના સમર્થનમાં સંમેલન

Latest News Updates

આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
g clip-path="url(#clip0_868_265)">