અમદાવાદમાં એક જ અઠવાડિયામાં ત્રીજી હત્યા, ભાડૂતે મકાન માલિકને બોથડ પદાર્થ ઝીંકી પતાવી દીધો

મૃતક અમિતકુમારની પત્નીની પુછપરછ કરતા તેનું કહેવું છે કે મકાન ભાડે આપવાની ના પાડતા સત્યેન્દ્ર સિંહ અદાવત રાખી અમિતની હત્યા કરી. હત્યાના અનેક કલાકો બાદ પણ હજુ આરોપી પોલીસથી દૂર છે.

અમદાવાદમાં એક જ અઠવાડિયામાં ત્રીજી હત્યા, ભાડૂતે મકાન માલિકને બોથડ પદાર્થ ઝીંકી પતાવી દીધો
અમદાવાદમાં એક જ અઠવાડિયામાં ત્રીજી હત્યા, ભાડૂતે મકાન માલિકને બોથડ પદાર્થ ઝીંકી પતાવી દીધો
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Mar 20, 2022 | 2:39 PM

અમદાવાદ (Ahmedabad)  શહેરમાં ફરી એક હત્યા થઈ છે. હવેલી, રખિયાલ બાદ હવે સાબરમતીમાં હત્યા (murder) નો બનાવ બન્યો છે. એક જ અઠવાડિયામાં ત્રણ ત્રણ હત્યાનો બનાવ બનતાં પોલીસ (Police) પર પ્રશ્નો ઉભા થયા. મકાનના ભાડાને લઈને થયેલ તકરારની અદાવત રાખીને ભાડુઆતે મકાન માલિકની ક્રૂરતાથી હત્યા કરી નાખી હતી.

રેલ્વે સ્ટોરમાં એસ.ઓ તરીકે નોકરી કરતા અમિતકુમાર સત્યાર્થી પરિવાર સાથે ચાંદખેડા ગ્રીન પાર્ક વિભાગ-2 માં આવેલ શ્રવણ મહાવીર સોસાયટીમાં રહે છે. છેલ્લા અઢી માસથી અમિત કુમારે તેમના મિત્ર બાબુસિંગ યાદવની ઓળખણથી સત્યેન્દ્ર સિંહ ઉર્ફે મોનુ યાદવને મકાન ભાડે આપ્યું હતું. જેનું દર મહિને રૂપિયા 3 હજાર ભાડું નક્કી કરવામાં આવ્યું હતું. ગઇકાલે બાબુસિંગ યાદવ સત્યેન્દ્ર સિંહના ઘરે આવતા મૃતક અને બંને સાથે સાંજના સમયે જમવા બેઠા હતા. ત્યારે તેઓને મકાનના ભાડા બાબતે બોલાચાલી થઈ હતી.

બાદમાં બાબુસિંગ યાદવ સત્યેન્દ્ર સિંહને તેઓની સાથે લઈ ગયા હતા. જોકે રાત્રે ઘરે પરત આવ્યા બાદ સત્યેન્દ્ર સિંહ એક બેગ લઈને જતો રહ્યો હતો. બાદમાં લગભગ સાડા અગિયાર વાગ્યાની આસપાસ તે પરત અમિતકુમારના ઘરે આવ્યો હતો અને તેઓને ઘરની બહાર બોલાવી ચાલતા ચાલતા બંને સોસાયટીની બહાર ગયા હતા. જોકે મૃતક અમિત સત્યેન્દ્ર સિંહ સાથે કોઈ કામથી બહાર ગયા હશે. તે સમજીને તેમના પત્ની અને બાળક સૂઈ ગયા હતા. જ્યારે સવારે પાડોશીએ આવીને મૃતકની પત્નીને જાણ કરી હતી કે સોસાયટીની સામે આવેલા ખુલ્લા મેદાનમાં અમિત કુમારનો મૃતદેહ પડયો છે.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

મૃતક અમિતકુમારની હત્યા ક્રૂરતા પૂર્વક કરવામાં આવી હતી. જેમાં મોઢા અને ગુપ્તાગ ભાગે બોર્થડ પદાર્થથી ગંભીર ઇજાઓ કરી હતી. હાલમાં આ સમગ્ર મામલે હત્યાનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે. મૃતક અમિતકુમારની પત્નીની પુછપરછ કરતા તેનું કહેવું છે કે મકાન ભાડે આપવાની ના પાડતા સત્યેન્દ્ર સિંહ અદાવત રાખી અમિતની હત્યા કરી. હત્યાના અનેક કલાકો બાદ પણ હજુ આરોપી પોલીસથી દૂર છે.

હત્યાના બનાવમાં સોલા, ચાંદખેડા અને સાબરમતી પોલીસનો હદનો વિવાદ સર્જાયો હતો અને તેવામાં જ આરોપીને છટકવાનો મોકો મળ્યો હતો. ત્યારે કેટલા સમયમાં હવે આરોપી પકડમાં આવે છે તે જોવાનું રહ્યું. ત્યારે એક જ અઠવાડિયામાં ત્રણ ત્રણ હત્યાના બનાવોથી પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.

આ પણ વાંચોઃ Mehsana: ચૌધરી સમાજ બે ભાગમાં વહેંચાઈ ગયો, ગુંજા ગામે વિપુલ ચૌધરીના અને બોરીયાવીમાં અશોક ચૌધરીના સમર્થનમાં સંમેલન

આ પણ વાંચોઃ હંમેશાં હરિયાળા રહેતો જિલ્લો છતાં, નવસારી શહેરમાં ઉનાળાની શરૂઆતની સાથે પાણીની સમસ્યા

Latest News Updates

રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
g clip-path="url(#clip0_868_265)">