નવસારી યુવતી આપઘાત કેસમાં ઓએસિસ સંસ્થાની સંડોવણીની તપાસ કરવા કોંગ્રેસની માંગ

નવસારીની યુવતીના રહસ્યમય મોતથી વિવાદમાં આવેલી ઓએસીસ સંસ્થા સામે કોંગ્રેસ નેતા નરેન્દ્ર રાવતે આક્ષેપો કરતા જણાવ્યુ છે કે 21 વર્ષ બાદ ઓએસિસ સંસ્થાના સંચાલકો સામે તપાસ થવી જોઈએ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 24, 2021 | 12:59 PM

ગુજરાતમાં (Gujarat) નવસારીની(Navsari)યુવતી આપઘાત કેસમાં શંકાના ઘેરામાં આવેલી ઓએસિસ સંસ્થા(OASIS) પર કોંગ્રેસે(Congress)આક્ષેપ કર્યો છે. તેમજ આ કેસમાં સંસ્થાની પ્રવુતિઓની તપાસ કરવાની માંગ પણ કરી છે.

આ કેસમાં વિવાદમાં આવેલી ઓએસીસ સંસ્થાને વિવાદ સાથે જૂનું લેણું હોય તેવુ લાગી રહ્યુ છે.નવસારીની યુવતીના રહસ્યમય મોતથી વિવાદમાં આવેલી ઓએસીસ સંસ્થા સામે કોંગ્રેસ નેતા નરેન્દ્ર રાવતે આક્ષેપો કરતા જણાવ્યુ છે કે 21 વર્ષ બાદ ઓએસિસ સંસ્થાના સંચાલકો સામે તપાસ થવી જોઈએ.

આ સંસ્થામાં અનેક અનૈતિક પ્રવૃતિઓ ચાલતી હતી અને હાલમાં તપાસ થાય તો હાલમાં પણ અનેક ઘટસ્ફોટ થઇ શકે છે. નરેન્દ્ર રાવતે વધુમાં આક્ષેપ કર્યો હતો કે પોલીસ પાસે પૂરતી માહિતી હોવા છતાં ગુનેગારો બહાર ફરી રહ્યા છે. તપાસમાં પોલીસ સંપૂર્ણ નિષ્ફળ સાબિત થઇ હોવાના આરોપો છે.

ત્યારે ઉલ્લેખનીય છે કે વર્ષ 1995માં ઓએસીસને એમ.એસ.યુનિવર્સિટી કેમ્પસમાં પ્રવેશબંધી ફરમાવાઇ હતી. એવામાં ઓએસિસ સંસ્થા પુનઃ એકવાર વિવાદમાં આવતા સંસ્થા સામે અનેક સવાલો ઉદ્દભવ્યા છે.

જો કે આ કેસમાં રાજ્ય પોલીસ વડા આશિષ ભાટીયાએ કેસના ઝડપી નિરાકરણ માટે એસઆઇટીની રચના કરી છે. જેમાં છ અધિકારીઓની દેખરેખમાં આ સમગ્ર કેસની તપાસ કરવામાં આવશે. તેમજ ગુનેગારોને પકડવા માટે ઝડપથી કાર્યવાહી કરવામાં આવશે.

આ  પણ વાંચો : ગુજરાત સરકારે કોરોના મૃત્યુ સહાય માટે RTPCR અને રેપિડ ટેસ્ટ માન્ય કર્યો

આ  પણ વાંચો : કોવિડ વેક્સિનેશન સર્ટિફિકેટ પર PM મોદીનો ફોટો કેમ ? કેરળ હાઇકોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસે માંગ્યો જવાબ

Follow Us:
106 દંપત્તીને બારોબાર લગ્ન નોંધણીના પ્રમાણપત્ર આપાયા હોવાની આશંકા
106 દંપત્તીને બારોબાર લગ્ન નોંધણીના પ્રમાણપત્ર આપાયા હોવાની આશંકા
ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી નહી મળે રાહત !
ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી નહી મળે રાહત !
આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો
આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">