AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ભાજપે વડોદરા માંજલપુર પેટાચૂંટણી માટે સતીશ પટેલના નામની કરી જાહેરાત, 30મી જુલાઈએ મતદાન

વડોદરાની માંજલપુર બેઠક પરની પેટાચૂંટણી માટે ભાજપે સતીશ પટેલને ઉમેદવાર જાહેર કર્યા છે. પૂર્વ ધારાસભ્ય યોગેશ પટેલના નિધન બાદ આ બેઠક ખાલી પડી હતી. સતીશ પટેલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચૂક્યા છે અને સહકારી ક્ષેત્રે પણ સક્રિય છે.

Breaking News : ભાજપે વડોદરા માંજલપુર પેટાચૂંટણી માટે સતીશ પટેલના નામની કરી જાહેરાત, 30મી જુલાઈએ મતદાન
Kinjal Mishra
| Edited By: | Updated on: Jul 09, 2026 | 10:33 PM
Share

વડોદરાની રાજનીતિમાં હાલ માંજલપુર બેઠકની પેટાચૂંટણી કેન્દ્રસ્થાને છે. આ બેઠક પર ભાજપે પોતાના ઉમેદવાર તરીકે સતીશ પટેલના નામની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. આ જાહેરાત સાથે જ માંજલપુર બેઠક પરનો ચૂંટણીનો માહોલ વધુ ગરમાયો છે અને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે.

માંજલપુર બેઠક ભાજપ માટે એક મહત્વપૂર્ણ ગઢ રહી છે. આ બેઠક પર પૂર્વ પ્રધાન અને પાંચ ટર્મથી વધુ સમય સુધી ધારાસભ્ય રહેલા યોગેશ પટેલનું તાજેતરમાં નિધન થતાં આ બેઠક ખાલી પડી હતી. યોગેશ પટેલનો માંજલપુર પર દાયકાઓથી પ્રભુત્વ રહ્યું હતું અને તેમના અવસાન બાદ ભાજપ માટે એક મજબૂત અને અનુભવી ચહેરાની પસંદગી કરવી અનિવાર્ય હતી.

ભાજપે આ બેઠક માટે સતીશ પટેલ પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. સતીશ પટેલનો રાજકીય અને સામાજિક અનુભવ ઘણો વિશાળ છે. તેઓ ભૂતકાળમાં વડોદરા મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી ચૂક્યા છે. આ પદ પર રહીને તેમણે વડોદરાના વિકાસ કાર્યોમાં સક્રિય યોગદાન આપ્યું હતું. તેઓ ભાજપના એક સિનિયર અને પાયાના કાર્યકર તરીકે જાણીતા છે. સંગઠનમાં તેમની પકડ મજબૂત છે અને તેઓ વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે પણ સફળતાપૂર્વક સેવા આપી ચૂક્યા છે.

સતીશ પટેલનો સહકારી ક્ષેત્ર સાથે પણ ગાઢ સંબંધ રહેલો છે. તેઓ અનેક સહકારી સંસ્થાઓમાં આગેવાન તરીકેની ભૂમિકા ભજવી ચૂક્યા છે. આ કનેક્શન તેમને સ્થાનિક સ્તરે મતદારો સાથે જોડાવામાં મદદરૂપ થશે. ભાજપ દ્વારા તેમની પસંદગી પાછળ “પાટીદાર ફેક્ટર” પણ એક મહત્વનો મુદ્દો મનાઈ રહ્યો છે. માંજલપુર બેઠક પાટીદાર પ્રભુત્વવાળી બેઠક ગણાય છે, અને ભાજપે એક પાટીદાર નેતાને ટિકિટ આપીને આ સમુદાયને સાધવાનો પ્રયાસ કર્યો છે. આ નિર્ણય દ્વારા ભાજપે યોગેશ પટેલના નિધન બાદ પણ પાટીદાર મતદારોનો વિશ્વાસ જાળવી રાખવાનો સંકેત આપ્યો છે.

આ પેટાચૂંટણીનું આયોજન ૩૦મી જુલાઈએ કરવામાં આવ્યું છે. ભાજપે ઉમેદવાર જાહેર કરતા હવે અન્ય પક્ષો પણ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરશે, જેના પરિણામે માંજલપુરમાં રાજકીય ગરમાવો વધુ વધશે. ભાજપને આશા છે કે સતીશ પટેલનો અનુભવ, સંગઠન પ્રત્યેની તેમની નિષ્ઠા અને સામાજિક સ્વીકૃતિ તેમને માંજલપુર બેઠક પર વિજય અપાવવામાં મદદરૂપ થશે. ભાજપે આશાવાદ વ્યક્ત કર્યો છે કે સતીશ પટેલ યોગેશ પટેલના વિકાસના વારસાને આગળ ધપાવશે.

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો ભય! હિંમતનગરમાં છ વર્ષના બાળકનું મૃત્યુ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">