કૃષિ કાયદાને લઈ ફરી ગુજરાતમાં ટકરાવ ! APMCની આર્થિક કટોકટીને લઈ કોંગ્રેસ પ્રવક્તાએ સરકારને આડે હાથ લીધી
APMC કર્મચારી સંઘે મુખ્ચપ્રધાનને (CM Bhupendra Patel) પત્ર લખીને તેઓની કેટલીક માગણીઓની રજૂઆત કરી છે. કર્મચારીઓના માગણીના પ્રશ્ને સરકારને 10 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે.
Vadodara : રાજ્યના વિવિધ APMC આર્થિક કટોકટીનો (Financial Crisis) સામનો કરી રહી છે. માર્કેટ ફીની આવક બંધ થતા APMC કર્મચારીઓના પગાર ચુકવવા પણ સમર્થ નથી,પરિણામે APMCને તાળા મારવાની ફરજ પડી છે. આ પરિસ્થિતિથી APMC કર્મચારી સંઘે મુખ્ચપ્રધાનને (CM Bhupendra Patel) પત્ર લખીને તેઓની કેટલીક માગણીઓની રજૂઆત કરી છે. કર્મચારીઓના માગણીના પ્રશ્ને સરકારને 10 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે અને જો માગણી ના સંતોષાય તો પ્રતિક ઉપવાસની ચીમકી પણ આપી છે.
માગણી ના સંતોષાય તો પ્રતિક ઉપવાસની ચીમકી
2020માં આવેલા કૃષિ કાયદાને કારણે APMCની માર્કેટ ફી પર અસર થઈ છે.આ બાબતે કોંગ્રેસના પ્રવક્તા મનહર પટેલે (manhar patel) એક નિવેદન કર્યું છે. કોંગ્રેસ પ્રવક્તાએ જણાવ્યું છે કે, નવા કૃષિ કાયદા (New Agricultural Laws)બાદ ભાજપે APMC અને ખેડૂતોને તોડ્યા છે. રાજ્ય સરકારના અધિકૃત આંકડાઓ મુજબ 15 APMC બંધ થઇ છે,પરંતુ ખરી સ્થિતિ એ છે કે હાલ રાજ્યની 80 APMC બંધ હાલતમાં છે.જેને લઈ સરકારે કૃષિ કાયદો રદ કરવો જોઈએ.