vadodara : ગુજરાતને કોરોનાની બીજી લહેરમાંથી ઝડપથી બહાર આવનારું પ્રથમ રાજ્ય બનાવીશું : CM
vadodara : મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના કોરોના સંક્રમણ નિયંત્રણ સારવારના સાચી દિશાના ઉપાયો અને સેવા સંગઠનો તથા લોક સહયોગથી કોરોનાની બીજી લહેરને મહાત આપવાનો વિશ્વાસ દર્શાવ્યો છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વડોદરા ખાતે ચાર નવા ઓક્સિજન પ્લાન્ટનું ઇ-લોકાર્પણ કર્યું હતું.
vadodara : મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના કોરોના સંક્રમણ નિયંત્રણ સારવારના સાચી દિશાના ઉપાયો અને સેવા સંગઠનો તથા લોક સહયોગથી કોરોનાની બીજી લહેરને મહાત આપવાનો વિશ્વાસ દર્શાવ્યો છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વડોદરા ખાતે ચાર નવા ઓક્સિજન પ્લાન્ટનું ઇ-લોકાર્પણ કર્યું હતું.
મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં કહ્યું પરીસ્થિતિમાં હતાશ- નિરાશ થયા વગર સંગઠિત થઈ સામૂહિક લડાઈ લડી વિજયના વિશ્વાસ સાથે આગળ વધીશું. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્ય સરકારના કોરોના સંક્રમણ નિયંત્રણ સારવારના સાચી દિશા અને સાચી નિયતના ઉપાયો તેમજ સેવા સંગઠનો તથા લોક સહયોગથી કોરોનાની બીજી લહેરને મહાત આપવાનો વિશ્વાસ દર્શાવતા જણાવ્યું કે, ગુજરાતને કોરોનાની આ બીજી લહેરમાંથી ઝડપથી બહાર આવનારુ પ્રથમ રાજ્ય બનાવીશું.
છેલ્લા 2 મહિનાથી રાજ્ય સરકાર સાચી દિશા અને નિયતથી કોરોના નિયંત્રણની કામગીરી કરી રહી છે. જેને કારણે રાજ્યમાં ડિસ્ચાર્જ રેટ વધી રહ્યો છે. અને પોઝિટિવિટી રેટ ઘટી રહ્યો છે અને એપ્રિલ મહિનામાં જે કેસો વધ્યા હતા. તે સામે હવે પરિસ્થિતિ નિયંત્રણ તરફ જઇ રહી છે તેમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીએ વડોદરા ખાતે વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન દ્વારા 1.28 કરોડના ખર્ચે વડોદરાની ચાર હોસિપ્ટલો માટે નિર્મિત ચાર નવા ઓક્સિજન પ્લાન્ટનું ગાંધીનગરથી ઇ-લોકાર્પણ કર્યું હતું. તેમણે કહ્યું કે, ગુજરાતની હોસ્પિટલોમાં ઓક્સીજનનો સતત અવિરત અસ્ખલિત પુરવઠો આપી રહ્યા છીએ. ઓકસીજનના અભાવે રાજ્યમાં ક્યાંય કોઈ ને જીવ ગુમાવવો પડે નહિ તેવી સ્થિતિ ઊભી કરી છે.
સરકાર માર્ચ મહિનાથી જ કોરોનાની બીજી લહેર સામે લડવા કામે લાગી ગઈ હતી. બે મહિનામાં હોસ્પિટલમાં એક લાખ બેડ,1100 ટન ઓક્સિજન સપ્લાય, 7 લાખ રેમડેસિવિર ઇન્જેક્શન અને અન્ય આવશ્યક દવાઓની આપૂર્તિ માટે સરકારના પરિણામલક્ષી પ્રયત્નો ફળીભૂત થયા છે તેમ તેમણે ઉમેર્યું હતું.
રૂપાણીએ કહ્યું કે, કોરોનાની સંભવીત ત્રીજી લહેર સામે સજજતાની પણ રાજ્ય સરકાર પૂર્વ તૈયારીઓ આરંભી દીધી છે. આવતીકાલે સોમવારે રાજ્યના ટાસ્ક ફોર્સના તબીબો વૈજ્ઞાનિકો બાયોટેકનોલોજીના તજજ્ઞો અને ઉચ્ચ અધિકારીઓ સાથે કોર કમિટીની મહત્વપૂર્ણ બેઠકનું તે માટે આયોજન કરવામાં આવ્યું છે.
તેમણે કહ્યું કે, કપરા કાળમાં ગુજરાતની અનેક સામાજીક ધાર્મિક સંસ્થાઓ અને શ્રેષ્ઠીજનોએ આગળ આવી સરકાર સાથે ખભે ખભા મિલાવી કામ કર્યું છે. વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશને ગુજરાતમાં 18 ઓક્સિજન પ્લાન્ટ ઉભા કરવાનો સંકલ્પ કરી જનસેવાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે અને અન્યો માટે પ્રેરણા રૂપ બન્યા છે.
મુખ્યમંત્રી દ્વારા ઇ-લોકાર્પિત અને વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન દ્વારા 1.28 કરોડના ખર્ચે નિર્મિત ચાર ઓક્સિજન પ્લાન્ટ એસ.એસ.જી. હોસ્પિટલ, ગોત્રી હોસ્પિટલ, વ્રજધામ કોવિડ સેન્ટર અને નરહરિ હોસ્પિટલ ખાતે દર્દીઓની સારવારમાં ઉપયોગી થશે. માત્ર એક સાપ્તાહમાંજ 4 ઓક્સિજન પ્લાન્ટ ઉભા કરી દીધા હોવાનું તેમણે ઉમેર્યું.
વ્રજધામ સંકુલ,નરહરિ હોસ્પિટલ ,SSG હોસ્પિટલ અને GMERS ગોત્રી કોવિડ હોસ્પિટલ ખાતે સવા કરોડના ખર્ચે ઉભા કરાયા છે ઓક્સિજન પ્લાન્ટ,દરરોજ લગભગ 90 ટન થી વધુ ઓક્સિજન નું ઉત્પાદન થશે.
વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન દ્વારા 1.28 કરોડના ખર્ચે નિર્મિત ચાર ઓક્સિજન પ્લાન્ટ એસ.એસ.જી. હોસ્પિટલ, ગોત્રી હોસ્પિટલ, વ્રજધામ કોવિડ સેન્ટર અને નરહરિ હોસ્પિટલ ખાતે દર્દીઓની સારવારમાં ઉપયોગી થશે
વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા આગામી પખવાડિયા માં ગુજરાતના અલગ અલગ શહેરો વધુ 18 ઓક્સિજન પ્લાન્ટ ઉભા કરાશે. અમદાવાદ,સુરત,રાજકોટ નવસારી સહિત ના વિસ્તારોમાં કોવિડના દર્દીઓને મદદ રૂપ થવા દાતાઓની મદદથી હંગામી ઓક્સિજન પ્લાન્ટ ઉભા કરાયા છે.
આ પ્રસંગે વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન ના પ્રણેતા વ્રજરાજકુમારજી ગોસ્વામીએ કહ્યું કે, વિજયભાઇ રૂપાણીની આગેવાનીમાં ગુજરાત સરકાર જનતાની સુરક્ષા માટે દિન રાત જહેમત ઉઠાવી રહી છે અને વહીવટીતંત્ર પણ પૂરી સંવેદનશીલતા સાથે કામ કરી રહ્યું છે.
વ્રજરાજકુમારજી ગોસ્વામીએ શ્રીકૃષ્ણએ ગોવર્ધન પર્વત ઉપાડ્યાના પ્રસંગનો ઉલ્લેખ કરી કહ્યું કે, જેમ વ્રજ ભક્તો-ગોવાળોએ અતિવૃષ્ટિની આપદામાં શ્રીકૃષ્ણને લાકડી વડે ટેકો આપ્યો તેમ સમાજના શ્રેષ્ઠીઓ સેવાભાવી સંગઠનો અને ધાર્મિક સંસ્થાઓ આ મહા આપદામાં સાથે મળી સરકારી તંત્રને ટીકો આપે તે સમયની માંગ છે.