VIDEO: વડોદરાના આજવા સરોવરમાંથી પાણી છોડાયું, નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા
ઉપરવાસમાં થઈ રહેલા ભારે વરસાદના કારણે વડોદરામાં આજવા સરોવરમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. આજવા સરોવરનું જળસ્તર વધતા 12,200 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. હાલ આજવા સરોવરની જળસપાટી 212.20 ફૂટે પહોંચી છે. આજવામાંથી પાણી છોડાતા વિશ્વામિત્રી નદીની સપાટીમાં વધારો થશે. વિશ્વામિત્રી નદીની જળસપાટી 18થી 20 ફૂટે પહોંચી શકે છે. હાલ વિશ્વામિત્રી નદી 10 ફૂટની સપાટી પર […]
ઉપરવાસમાં થઈ રહેલા ભારે વરસાદના કારણે વડોદરામાં આજવા સરોવરમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. આજવા સરોવરનું જળસ્તર વધતા 12,200 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. હાલ આજવા સરોવરની જળસપાટી 212.20 ફૂટે પહોંચી છે. આજવામાંથી પાણી છોડાતા વિશ્વામિત્રી નદીની સપાટીમાં વધારો થશે. વિશ્વામિત્રી નદીની જળસપાટી 18થી 20 ફૂટે પહોંચી શકે છે. હાલ વિશ્વામિત્રી નદી 10 ફૂટની સપાટી પર વહી રહી છે. નદીનું જળસ્તર વધવાની શક્યતાને જોતા તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: મચ્છરજન્ય રોગચાળાને અટકાવવા AMC દ્વારા તળાવમાં છોડવામાં આવી પોરાભક્ષક માછલીઓ
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો