ચૈત્રી નવરાત્રીમાં બંધ રહેશે વડોદરાના પાદરાનુ તુલજા ભવાનીનું મંદિર

આગામી 13થી 21 એપ્રિલ સુધી મા તુલજા ભવાનીનું ( Maa Tulja Bhavani ) મંદિર બંધ રહેતા સોશિયલ મિડીયાના મધ્યમથી મા તુલજા ભવાનીના દર્શન, આરતી કરવા અપીલ

| Updated on: Apr 11, 2021 | 12:57 PM

ગુજરાતમાં અતિ ઝડપે વધી રહેલા કોરોનાના કેસને ધ્યાને લઈને કોરોનાનું સંક્રમણ વધુ ના ફેલાય તે માટે વડોદરાના પાદરામાં ( Padra) આવેલ તુલજા ભવાનીનુ ( Maa Tulja Bhavani ) મંદિર ચૈત્રી નવરાત્રીમાં ભાવિક ભક્તો માટે બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.

દર વર્ષે ચૈત્રી નવરાત્રી દરમિયાન પાદરાના તુલજા ભવાની માતાના મંદિરે, મા તુલજા ભવાનીના દર્શન કરવા ગામેગામથી ભાવિક ભકતો ઉમટી આવે છે. આ વર્ષે કોરોનાના કેસ બહુ જ હોવાથી અને ઝડપથી એકબીજામાં કોરોનાનુ સંક્રમણ ફેલાતુ હોવાથી મંદિરના સત્તાવાળાઓએ આગામી 13 એપ્રિલથી લઈને 21 એપ્રિલ સુધી મંદિર ભાવિક ભકતો માટે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. એટલુ જ નહી, ચૈત્રી નવરાત્રી દરમિયાન મા તુલજા ભવાનીના મંદિરે યોજાતા તમામ ધાર્મિક કાર્યક્રમો પણ રદ કરવાનો નિર્ણય કર્યો છે.

ચૈત્રી નવરાત્રી દરમિયાન ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્રથી પણ અનેક ભાવિકો મા તુલજા ભવાનીના દર્શન કરવા આવતા હોય છે. આ વર્ષે કોરોનાનુ સંક્રમણ વધુ ઝડપથી પ્રસરી રહ્યું હોવાથી, ભાવિક ભક્તોને સોશિયલ મિડીયા થકી જ મા તુલજા ભવાનીના દર્શન કરવા, આરતી કરવા અને માતાજીની આરાધના કરવા માટે મંદિરના વહીવટકર્તાઓ દ્વારા આગ્રહભરી અપીલ કરાઈ છે.

Follow Us:
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
g clip-path="url(#clip0_868_265)">