સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રાના જીવા ગામમાં વીજ ટાવરો ઉભા કરવા મામલે ખેડૂતોનો વિરોધ, યોગ્ય વળતર ચુકવ્યા વગર વીજટાવરો નખાતા હોવાનો આક્ષેપ

ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો કે વીજ કંપનીએ ખેડૂતોની કોઇ મંજુરી લીધી નથી કે કોઇ વળતર ચુકવ્યુ નથી. પરંતુ ખેડૂતોના ઉભા પાકમાં જેસીબીથી વીજટાવરો ઉભા કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રાના જીવા ગામમાં વીજ ટાવરો ઉભા કરવા મામલે ખેડૂતોનો વિરોધ, યોગ્ય વળતર ચુકવ્યા વગર વીજટાવરો નખાતા હોવાનો આક્ષેપ
Surendranagar: Farmers protest against erection of power towers in Jiva village of Dhrangadhra
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 23, 2022 | 9:31 PM

સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના જીવા ગામ (Jiva village)આજુબાજુના ખેડૂતોના (Farmer)ખેતરોમાં પાક ઉભા છે. ત્યારે ખાનગી કંપની દ્વારા હેવી વીજ લાઇન માટે વીજ ટાવર (Power tower)ઉભા કરવાની કામગીરી પોલીસ બંદોબસ્ત સાથે શરૂ થતાં ખેડૂતોએ મંજુરી વગર અને કોઇપણ વળતર ચુકવ્યા વગર ગેરકાયદે બળપ્રયોગ વાપરી કંપની વીજ ટાવરો ઉભા કરતી હોવાના આક્ષેપ ખેડૂતોએ કર્યો છે. સાથે જ સ્થાનિક ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર આપી અને ઉગ્ર રજૂઆત કરી હતી. અગામી દિવસોમાં પૂરતુ વળતર નહીં મળે તો ખેડૂતો આત્મવિલોપન અને દવા પી જીંદગીનો અંત આણવાની ચિમકી ઉચારી છે.

કચ્છના લાકડીયાથી વડોદરા સુધી 756 KVની વીજલાઇન નાખવાની કામગીરી ખાનગી કંપની દ્રારા ઘણા જ સમયથી ચાલુ છે. અનેક જગ્યાઓએ ખેડૂતોએ વીજટાવર ઉભા કરવાની કામગીરીનો વિરોધ (Protest)કર્યો છે. યોગ્ય વળતર અને મંજુરી વગર વીજટાવરો ઉભા કરતા હોવાના આક્ષેપો ખેડૂતોએ કર્યા હતા. ત્યારે સુરેન્દ્રનગર જીલ્લામાંથી પણ આ વીજ લાઇન પસાર થતી હોવાથી ધ્રાંગધ્રા તાલુકાના આજુબાજુના ગામોમાં પણ જીવા ગામ સહિતના ખેડૂતોના ખેતરોમાં ખાનગી કંપની દ્વારા કામગીરી શરૂ થતાં ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી.

ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો કે વીજ કંપનીએ ખેડૂતોની કોઇ મંજુરી લીધી નથી કે કોઇ વળતર ચુકવ્યુ નથી. પરંતુ ખેડૂતોના ઉભા પાકમાં જેસીબીથી વીજટાવરો ઉભા કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ખેડૂતો વિરોધ કરે તો સાથેની સ્થાનિક પોલીસ અને SRP પોલીસ દ્વારા ખેડૂતો પર બળ પ્રયોગ વાપરી અને વીજટાવરો ઉભા કરવામાં આવી રહ્યા છે.ખેડૂતોએ વીજટાવરો ઉભા કરવાનો વિરોધ કરતા પોલીસે અટકાયત પણ કરી હતી.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

ત્યારે ખેડૂતોએ તાત્કાલિક ઉભા પાકમાં થતાં નુકસાનને અટકાવવા અને હાલ યોગ્ય વળતર ન મળે ત્યાં સુધી વીજટાવરો ઉભા કરવાની કામગીરી બંધ રાખવા માંગ કરી હતી. પરંતુ ખાનગી કંપનીએ સ્થાનિક પોલીસ અને SRP બંદોબસ્ત સાથે કામગીરી ચાલુ રાખતા ખેડૂતો નારાજ થયા હતા અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી.હાલ ખેતરોમાં તાત્કાલિક વીજ ટાવરો નાખવાની કામગીરી બંધ રાખવા અને યોગ્ય વળતરની માંગ સાથે મોટી સંખ્યામાં ખેડૂતો કલેક્ટર કચેરીએ એકઠા થઈ આવેદનપત્ર આપી માંગ કરી હતી કે તાત્કાલિક કંપની યોગ્ય વળતર ચુકવે. અગામી દિવસોમાં યોગ્ય નિરાકરણ નહીં આવે તો ખેડૂતો આત્મવિલોપન કરશે અને દવા પી જીંદગીનો અંત લાવશે તેવી ચિમકી પણ ઉચ્ચારી હતી.

આ પણ વાંચો : Dahod: પૌરાણિક કાળથી ચાલી આવતી સ્વયંવરની પ્રથા એટલે “ગોળ ગધેડા “નો મેળો

આ પણ વાંચો : અમુલ ડેરીમાં મિલ્ક ડેની ઉજવણીઃ ડેરીના પૂર્વ ડિરેક્ટરના વિચારનો તાલુકા મથકોએ અમલ કરાશે

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">